SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૬ સ્થિતિકાળમાં, પ્રૌઢિથી જsઉત્સુકતાથી જ છે, એથી કરીને શું તેવા છે ?=દ્રૌપદીના પ્રતિમાના અર્ચનની જેમ શું તને પ્રમાણ નથી? અર્થાત્ જો સૂર્યાભદેવનું કરાયેલ વંદન તને પ્રમાણ હોય તો દ્વિપદીનું પણ પ્રતિમાઅર્ચન તારે પ્રમાણ માનવું જોઈએ. ભાવાર્થ : અહીં “પ્રૌઢિ' શબ્દથી ઉત્સુકતા ગ્રહણ કરવાની છે, પરંતુ તે ઉત્સુકતા દ્રૌપદીના દૃષ્ટાંતમાં સુંદર પતિની ઇચ્છારૂપ નથી, પરંતુ પોતાના જીવનનો મહત્ત્વનો પ્રસંગ ભગવાનની ભક્તિપૂર્વક જ કરવો જોઈએ, જેમ શ્રાવક લગ્નાદિ પ્રસંગે વિશેષ પ્રકારે જિનભક્તિ મહોત્સવ કરે છે, તેમ દ્રૌપદીએ પણ પોતાના લગ્નના પ્રસંગે ભગવાનની ભક્તિ વિશેષ કરેલ છે, એ રીતનું ઔસ્ક્ય અહીં ગ્રહણ કરવાનું છે. અને સૂર્યાભદેવના પ્રસંગમાં સૂર્યાભદેવે પોતાની ઉત્પત્તિના કાળમાં ઈન્દ્રમહોત્સવના સમયે દેવો જે ઈન્દ્રમહોત્સવ કરે છે, તે ભગવાનના વંદનાદિપૂર્વક થાઓ, એ પ્રકારની ઉત્સુકતાથી વંદનાદિક કરેલ છે. અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, કામભોગાદિની ઇચ્છાથી સૂર્યાબે વંદનાદિ કરેલ નથી, માટે અમને તે પ્રમાણ છે, તો ગ્રંથકારશ્રી કહે છે – વિજ્ઞાષ્ટજી તું: લિષ્ટ ઇચ્છા=કામભોગાદિ ઇચ્છા, તેનો વિરહ=કામભોગાદિની ઈચ્છાનો વિરહ, બંનેમાં પણ દ્રોપદી અને સૂર્યાભદેવ બંનેમાં પણ, સમતુલ્ય છે. અહીં પૂર્વપક્ષી કહે કે, સૂર્યાભદેવે ભગવાનની ભક્તિથી વંદન કરેલ છે, તેથી સૂર્યાભદેવનું વંદન અમને પ્રમાણ છે, તો ગ્રંથકારશ્રી કહે છે – ભળો .... વ ા ભક્તિનો ગુણ પણ બંનેમાં દ્રોપદી અને સૂર્યાભદેવમાં, તુલ્ય જ છે. થર્ ? અહીં પૂર્વપક્ષી કહે કે, બંનેમાં ભક્તિનો ગુણ તુલ્ય કેવી રીતે છે? તો ગ્રંથકારશ્રી કહે છે – નાદિ પ્રવાતેવી અપેક્ષાએ=નાગાદિ પ્રતિમાઅર્ચનની અપેક્ષાએ=નાગાદિ પ્રતિમાઅર્ચનમાં પુત્રની પ્રાર્થના છે તેવી અપેક્ષાએ, અહીં દ્રોપદીના જિનાર્ચનમાં, નાગાદિ પ્રતિમાઅર્ચનથી વિશેષ પ્રથા=ગુણના પ્રણિધાનરૂપ વિશેષ દૃષ્ટિ, વ્યક્ત=પ્રકટ છે. નાગાદિ પ્રતિમાના અર્ચનથી દ્રૌપદીની જિનાર્ચામાં વિશેષ દૃષ્ટિ પ્રગટ છે, એમ પૂર્વમાં કહ્યું તે વિશેષ દૃષ્ટિ કઈ રીતે છે ? તે સ્પષ્ટ બતાવે છે – નાગરિ ... મૂયતે I નાગાદિ પ્રતિમાના અર્ચનમાં ભદ્રા સાર્થવાહી વડે પુત્રની પ્રાર્થનાદિ કરેલ સંભળાય છે. તેમાં તથાદિથી વિદરતિ સુધી સાક્ષીપાઠ આપેલ છે, અને એ રીતે=ાગાદિ પ્રતિમાઅર્ચન કરતાં દ્રોપદીની જિનાચમાં વિશેષ દૃષ્ટિ છે એ રીતે, દ્રોપદી વડે જિનપ્રતિમાને અર્ચને વરની માંગણી કરેલી સંભળાતી નથી, ઊલટું નિા નાવિયા' ઈત્યાદિ વડે ભગવાનના ગુણનું પ્રણિધાન જ કરેલ છે. એ પ્રમાણે સચેતનો કેમ જોતા નથી ? અર્થાત્ એ પ્રમાણે સચેતનોએ જોવું જોઈએ. નાદિ .... શ્યતેનો અન્વયન ચૂર્વ ..... સવેતા: ૨ની સાથે છે.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy