SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩શ્લોક-૧૪ ૧૭ સતી – અભ્યથાન ન કરે છતે પાર્થસ્થાદિને આસન આપીને પ્રણામ માત્ર કરીને આલોચના કરે, અને પચ્ચાસ્કૃતને ઈવર સામાયિક આરોપણ અને લિંગ આપીને યથાવિધિ તેમની પાસે આલોચના કરે.. – તન્થ અન્યત્ર કે ત્યાં રહીને પ્રાયશ્ચિત્ત વહન કરે=જો પાર્શ્વસ્થાદિ અબ્યુત્યિત થાય તો પ્રવચન લાઘવતા ભયથી તેની સાથે ત્યાંથી અન્યત્ર જઈને પ્રાપ્ત થયેલ પ્રાયશ્ચિત કે શુદ્ધ તપ વહન કરે, અને જો તે અભ્યસ્થિત ન થાય તો તેના વડે અપાયેલ પ્રાયશ્ચિત્ત કે શુદ્ધ તપ તે ત્યાં રહીને જ વહન કરે. સંવિ . તત્થવ એ મૂળ ગાથાનો ટીકામાં અર્થ બતાવે છે – સંવને ..... માત્રોચિતવ્ય, અન્ય સાંભોગિક લક્ષણ સંવિગ્ન અવિદ્યમાન હોતે છતે ગીતાર્થ એવા પાર્થસ્થની સમીપમાં આલોચના કરવી, ગીતાર્થ પાર્શ્વસ્થ એવા તેના પણ અભાવમાં વક્ષ્યમાણ આગળ કહેવાશે તેવા સ્વરૂપવાળા ગીતાર્થ સારૂપિક પાસે આલોચના કરવી, સારૂપિક એવા તેના પણ અભાવમાં ગીતાર્થ એવા પચ્ચાસ્કૃત પાસે આલોચના કરવી. સ્તેષાં ... મનોવૃતવ્યમ્ ! અને આ બધાની મધ્યમાં જેની પાસે આલોચના ગ્રહણ કરવા માટે ઇચ્છાય તેને અભ્યચિત કરીને ત્યાર પછી તેની આગળ આલોચના કરવી. અભ્યત્થાપન એટલે શું ? તે બતાવે છે – ગયુત્થાપન .... વરીષ, વંદનને સ્વીકારવા આદિ પ્રત્યે તત્પર કરાવવા સંયમમાં અપ્રમાદભાવથી પ્રવૃત્તિ કરે તેવા કરવા, તે અભ્યત્થાપન કહેવાય. તહિં - તેને કહે છે=Íવિજે .. એ ગાથામાં પરિવર્તે અર્મેટ્ટિય કહ્યું તેને કહે છે – મ્યુત્યિને ....... મૂત્ | અભ્યસ્થિત થયે છd=વંદન સ્વીકારવા આદિ પ્રત્યે કરાયેલ અભ્યપગમવાળા હોતે છતે, પાપનું પ્રાયશ્ચિત્ત કરે. અતિ ... આજ્ઞોપનીય, અભ્યત્યાનનો અભાવ હોતે છતે પાર્શ્વસ્થાદિને આસન આપીને પ્રણામ માત્ર કરીને આલોચના કરવી. પશ્વાસ્કૃતી ..... માત્તોનીયમ્ ! પશ્ચાદ્ભૂતને ઈવર સામાયિકનું આરોપણ થોડા કાળ માટે સામાયિકનું આરોપણ, અને લિંગ પ્રદાન કરીને સાધુવેષ-રજોહરણ આપીને, વિધિ પ્રમાણે તેમની પાસે આલોચના કરવી. અત્રાર્થ વિધિઃ - પછી સંવ . એ મૂળગાથાના ઉત્તરાર્ધના અંતે અન્નત્ય તત્યે વા કહ્યું તેનો અર્થ ટીકામાં કહે છે – મન્નત્ય તત્થવ' ત્તિ - એ મૂળગાથાનું પ્રતીક છે. .... પરિદરત: | જો પાર્થસ્થાદિ અભ્યત્યાન કરે તો પ્રવચન લાઘવના ભયથી તેમની સાથે અન્યત્ર જઈને પ્રાપ્ત પ્રાયશ્ચિત્તને કે શુદ્ધ તપને વહન કરે માસાદિથી માંડીને ઉત્કૃષ્ટથી છ માસ સુધીના શુદ્ધ તપને કે પરિવાર તપને વહન કરે.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy