SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૧ પ્રતિમાશતક | શ્લોક : ૪૨-૪૩ સ્વીકાર, ઉભયત્ર=ઉત્તરાધ્યયન અને પ્રજ્ઞાપનામાં, તુલ્ય છે, અર્થાત્ ઉત્તરાધ્યયન અને પ્રજ્ઞાપતાના કથનનો વિરોધ હોવા છતાં પ્રામાણ્યનો અભ્યપગમ ત્યાં કરો છો, એ રીતે સ્થાનાંગ, સમવાયાંગ આદિ અને મહાનિશીથના કથનનો વિરોધ છે, ત્યાં પણ પ્રામાયનો સ્વીકાર થઈ શકે છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ૪રા વિશેષાર્થ : ધ્યાનશતક ગાથા-૪૮નું તાત્પર્ય એ છે કે, શાસ્ત્રોમાં કોઈ કોઈ સ્થાનોમાં આપાતથી પરસ્પર વિરોધ દેખાય, પરંતુ તે બે કથનોના ભેદ પાછળ હેતુ શું છે ? ઉદાહરણ શું છે ? એ પ્રાપ્ત થતાં ન હોય અને તેથી તેનો સારી રીતે નિર્ણય કરી ન શકાય એવા સ્થાનોમાં, બુદ્ધિશાળી પુરુષો સર્વજ્ઞોનો મત અવિતથ છે, એ પ્રમાણે ચિંતવન કરે. II૪શા. અવતરણિકા : महानिशीथ एवान्यथावचनमाशङ्कते - અવતરણિકાર્ય : મહાનિશીથમાં જ અન્યથાવચનની દ્રવ્યસ્તવના અસ્વીકારરૂપ અવ્યથાવચનની, આશંકા કરે છે - વિશેષાર્થ : મહાનિશીથ સૂત્રના કુવલયાચાર્યના પ્રસંગમાં જે દ્રવ્યસ્તવના વિષયમાં ‘ઘરે ... તમઃ' એ રૂપ જે કુવલયાચાર્યનું અન્યથા વચન છે=દ્રવ્યસ્તવના અસ્વીકારનું વચન છે, તે શું દ્રવ્યસ્તવનો નિષેધ નથી કરતું? એ પ્રકારની પૂર્વપક્ષી આશંકા કરે છે – શ્લોક : भ्रष्टैश्चैत्यकृतेऽथितः कुवलयाचार्यो जिनेन्द्रालये, यद्यप्यस्ति तथाप्यदः सतम इत्युक्त्वा भवं तीर्णवान् । एतत्किं नवनीतसारवचनं नो मानमायुष्मताम्, यत्कुर्वन्ति महानिशीथबलतो द्रव्यस्तवस्थापनम् ।।४३ ।। શ્લોકાર્ધ : ભ્રષ્ટો વડે ચૈત્ય માટે અર્થિત એવા કુવલયાચાર્ય “જોકે જિનાલયના વિષયમાં છે, તો પણ આ સપાપ છે', એ પ્રમાણે કહીને ભવને તર્યા, આ નવનીતસાર વચન આયુષ્યમાન એવા
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy