SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તિમાશતક | શ્લોકઃ ૩૪ ૪૭૫ વેદ વડે જે યજ્ઞમાં કે હવિષમાં ચતુર્મન્ત પદ દ્વારા બનાવાયેલ હોય તે ચતુર્થ્યન્ત પદ જ તે યજ્ઞમાં દેવતા છે. ઉત્થાન : મીમાંસક દેવતાનું જે લક્ષણ કર્યું તેનાથી ‘જેન્દ્ર ધ મવતિ'=ઈંદ્રસંબંધી દધિયજ્ઞ થાય છે, એ બતાડવા માટે વપરાયેલ વેદવાક્યમાં રહેલ રૂદ્ધ ધ મવતિ' એ પ્રકારના વચનપ્રયોગમાં, ઈન્દ્રપદ યજ્ઞના દેવતારૂપે સિદ્ધ થાય ત્યારે ઈંદ્રસંબંધી દધિયજ્ઞ સિદ્ધ થાય. અને ઈંદ્રસંબંધી દધિયજ્ઞ સિદ્ધ થાય ત્યારે પ્રસ્તુત દધિયજ્ઞના દેવતારૂપે ઈંદ્રપદ સિદ્ધ થાય. આ રીતે અન્યોન્યાશ્રય દોષ આવે છે. તેના નિવારણ માટે કહે છે – ટીકાર્ય : હેન્દ્ર...નાચોચાય: ઈંદ્રસંબંધી દધિયજ્ઞ થાય છે, ઈત્યાદિમાં=ઈત્યાદિ વાક્યમાં, દેવતાતદ્ધિતનું વિધાન હોવાથી ઇંદ્ર આનો આ દધિયજ્ઞનો, દેવતા છે, એ પ્રકારનો અર્થ‘રેન્દ્ર મસિ’ એ વાક્યનો છે. અહીં આ યજ્ઞમાં, ચતુર્થતપદનિર્દેશ્યત્વ જદેવતાપણું છે. એથી અન્યોન્યાશ્રય દોષ નથી. વિશેષાર્થ : એ પદમાં વ્યાકરણ પ્રમાણે દેવતા તદ્વિતનો પ્રત્યય છે. તેથી ઈંદ્ર સંબંધી દધિ થાય છે, એ વાક્યથી, દેવતાતદ્ધિતના પ્રત્યયના કારણે એ અર્થ પ્રાપ્ત થાય કે, આ દધિયજ્ઞનો ઈંદ્ર દેવતા છે. અને તે દધિયજ્ઞમાં દેવતાપણું શું છે, તે બતાવે છે કે, ચતુર્મન્ત પદથી નિર્દેશ્યત્વ જ દેવતાપણું છે; અર્થાતું પેન્દ્ર ધિ મવતિ એ વાક્યમાં ચતુર્થ્યન્ત પદ નથી, પરંતુ જ્યારે દધિયજ્ઞ કરાય છે ત્યારે રૂદ્રાય સ્વાહ એ પ્રકારના પદથી જ ઈન્દ્રપદનો નિર્દેશ કરાય છે, અને તે જ દેવતાપણું છે, અને તે દેવતા સંબધી દધિયજ્ઞ છે. એ પ્રકારે કહેવાથી અન્યોન્યાશ્રય પ્રાપ્ત થાય નહિ, તે આ રીતે – દેવતાતદ્ધિતના પ્રત્યયથી જ ઈન્દ્રનું દેવતાપણું સિદ્ધ થઈ ગયું, અને તેથી જ્યારે ઈન્દ્ર સંબધી દધિ થાય છે, એમ કહ્યું એનાથી એ ફલિત થાય છે કે, ઈન્દ્રપદરૂપ જે દેવતા છે, તેનો આ દધિયજ્ઞ છે. તેથી પૂર્વમાં બતાવેલ અન્યોન્યાશ્રયની પ્રાપ્તિ થાય નહિ. ઉત્થાન : આ રીતે હેન્દ્ર ધિ મતિ' માં આવતા અન્યોન્યાશ્રયનું નિરાકરણ કરીને દધિયજ્ઞમાં થતા “રૂદ્રાય સ્વાદા' એ પ્રકારના પ્રયોગનો શાબ્દબોધ શું છે ? કે જેથી તેના દ્વારા દેવતાના લક્ષણની પ્રાપ્તિ થાય ? તે બતાવવા માટે કહે છે – ટીકાર્થ ...... , રૂાસ્વાદા' ઇત્યાદિમાં ચતુર્થીથીઅર્થાત કેવલ ચતુર્થી વિભક્તિથી દેશનાદેશિત ચતુર્થત્ત પદનિર્દેશ્યત્વરૂપ અર્થ છે. ઈન્દ્રપદ સ્વપર છે અર્થાત્ પ્રસ્તુતાસ્વાદ પ્રયોગમાં ઈંદ્ર પદ ઈન્દ્રપદનો જવાચક છે, પરંતુ ઈન્દ્ર દેવતાનો અર્થાત્ સ્વર્ગમાં રહેલા ઈન્દ્ર દેવતાનો વાચક નથી.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy