SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પ્રતિમાશતક | શ્લોક : ૧૫ વિશેષાર્થ : જે જીવમાં ક્ષયોપશમભાવનું સમ્યક્ત હોય છે, તે જીવમાં પરા શબૃષા, પરા ચારિત્રરાગ અને પરા વૈયાવચ્ચના ગુણરૂપ શુભાત્મપરિણામવિશેષ વર્તે છે. અને તેવા આત્મપરિણામવિશેષથી અનુગત એવા પૂર્વમાં વર્ણન કરાયેલાં દ્રવ્યસમ્યક્તો અર્થાત્ અવિવિક્ત દેવ-ગુરુ-ધર્મ શ્રદ્ધાનરૂપ કે અવિવિક્ત નવ તત્ત્વ શ્રદ્ધાનરૂપ કે અવિવિક્ત ગુરુપરતંત્રરૂપ કે અવિવિક્ત ષકાયના પરિજ્ઞાનરૂપ કે સ્વસમયપરસમયના પરિજ્ઞાન વગર ચરણકરણના પરિજ્ઞાનપૂર્વક તેના પાલનરૂપ જે દ્રવ્યસમ્યક્તો છે, તે ભાવસમ્યક્તને પણ વ્યભિચરતાં નથી. કહેવાનો આશય એ છે કે, જે જીવમાં દ્રવ્યસમ્યક્ત વર્તે છે, તે જીવમાં ગૌણરૂપે ભાવસમ્યક્ત પણ વર્તે છે; કેમ કે અર્પિત વડે અનર્પિતાની સિદ્ધિ હોવાથી ઉભયરૂપનો અવિરોધ છે. અર્થાત્ જ્યારે દ્રવ્ય અને ભાવ ઉભય સમ્યક્ત વિદ્યમાન હોય ત્યારે, કોઈ એકની મુખ્યતા કરીને અર્પણ કરવામાં આવે છે. તેથી જે જીવમાં શુભાત્મપરિણામવિશેષ વિદ્યમાન છે, તે જીવમાં અવિવિક્ત દેવ-ગુરુ-ધર્મશ્રદ્ધાનાદિ ભાવોને મુખ્ય કરીને અર્પિત કરવામાં આવે છે, તેથી ત્યાં દ્રવ્યસમ્યક્ત કહેવામાં આવે છે; પરંતુ તે મુખ્યરૂપે અર્પણ કરવાને કારણે અનર્પિત એવા ગૌણભાવની સિદ્ધિ થાય છે કે જે શુભાત્મપરિણામવિશેષ ભાવસમ્યક્તસ્વરૂપ છે. તેથી તે જીવમાં દ્રવ્યભાવઉભયરૂપ સમ્યક્તનો અવિરોધ છે. ટીકાર્ચ - ત વ પ્રજ્ઞતી આથી કરીને જ શુભાત્મપરિણામવિશેષથી અનુગત એવાં દ્રવ્યસખ્યત્વો ભાવસખ્યત્વને વ્યભિચરતાં નથી આથી કરીને જ દ્રવ્યસખ્યત્વરૂપે આભા સમાન પણ રુચિના ભેદો પણ ક્ષાયોપથમિકાદિ ભેદોમાં જ વાચક ચક્રવર્તી વડે શ્રાવકપ્રજ્ઞપ્તિમાં અંતભવ કરાયેલા છે. તથહિ. તે આ પ્રમાણે - વિહુવારૂપેથી ..... ત્તિ ! વળી સંક્ષેપરુચિ વગેરે ઉપાધિના ભેદથી આગમમાં આ=સમ્યક્વ, દશ પ્રકારનું પ્રરૂપિત છે, તો પણ ઓઘથી આ ભેદોનું=દશ પ્રકારના ભેદોનું, લાયોપથમિક આદિ ભેદોથી અભિન્ન સ્વરૂપ જ છે. ‘' શબ્દ શ્રાવકપ્રજ્ઞપ્તિના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ‘વિમેવાડજ અહીં ' થી એ સમુચ્ચય કરવો છે કે, રાગાદિરહિત ઉપયોગનો તો ક્ષાયોપથમિક આદિ ભેદોમાં અંતર્ભાવ કર્યો, પણ રુચિભેદોનો પણ લાયોપથમિક આદિ ભેદોમાં અંતર્ભાવ થાય છે. છે “વ્યસચવરૂપેTમાસમાનાડપિ” અહીં ‘’ થી એ સમુચ્ચય થાય છે કે, ભાવસભ્યત્ત્વનો ક્ષાયોપથમિક આદિ ભેદોમાં અંતર્ભાવ થાય છે, પણ દ્રવ્યસમ્યક્તરૂપે આભા સમાન પણ રુચિભેદોનો ક્ષાયોપથમિક આદિ ભેદોમાં અંતર્ભાવ થાય છે. વિશેષાર્થ : દશ પ્રકારના રુચિના ભેદો શાસ્ત્રમાં કહેલા છે, તે પરમાર્થના અપરિજ્ઞાનવાળી અવસ્થાવાળા છે,
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy