SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક) શુદ્ધિપત્રક નનું ..... કાદ - અહીં પૂર્વપક્ષી ‘નનું થી કહે છે કે, ભગવતી સૂત્રમાં ચારણ શ્રમણો વડે જે, પ્રતિમાનતિ=પ્રતિમાને નમસ્કાર, કહેવાયો, તે વ્યક્ત જ છે; પરંતું ચૈત્યવંદન નિમિત્ત આલોચનાના અભાવમાં અનારાધકપણું કહેવાયું છે, એથી કરીને ચારણ શ્રમણોની ચૈત્યનતિસ્વારસિકી અમે સ્વીકારતા નથી. એ પ્રમાણે લુંપાકની આશંકામાં સેવા .... થી મૂળ શ્લોકમાં કહે છે - તેષાં ....નિમિત્તાનું લબ્ધિતા ઉપજીવનને કારણે=લબ્ધિ ફોરવવાને કારણે (જે પ્રમાદ સેવ્યો હોય, તેની) વળી વિકટતાનો=આલોચનાનો, અભાવ હોવાને કારણે (તેવાં–તેઓની જંઘાચારણ, વિદ્યાચારણોની) અનારાધના છે; પરંતુ અન્ય નિમિત્તથી નથી=ચૈત્યવંદન કર્યું એ રૂપ અન્ય નિમિત્તથી નથી. કેમ કે તેનું લબ્ધિ ઉપજીવનનું, પ્રમાદરૂ૫પણું છે અર્થાત્ લબ્ધિ ફોરવવી એ પ્રમાદ છે. અહીં આલોચના એ વિકટના અર્થમાં છે, એ પ્રમાણે નિર્યુક્તિનું વચન હોવાથી વિકટતા શબ્દનો આલોચના અર્થ કરેલ છે. તવાદ તે કહે છે=જંઘાચારણ અને વિદ્યાચારણની અનારાધના લબ્ધિતા ઉપજીવન નિમિત્ત=લબ્ધિ ફોરવવાને કારણે, છે; પરંતુ ચૈત્યવંદન નિમિત્તક નથી. તે કહે છે - સા કનારાથના ..... વવનાત્ ા તે અનારાધના પ્રમાદની આલોચનારૂપ કૃત્યતા અકરણથી છે. અહીં પૂર્વપક્ષી કહે કે, ચારણોએ ભગવાનને નમસ્કાર કર્યો તે રૂપ ચૈત્યવંદનને કારણે તેઓની અનારાધના છે, પરંતુ લબ્ધિનો ઉપયોગ ફોરવવાને કારણે અનારાધના નથી. તેથી કહે છે – ચૈત્યવંદન વડે અકૃત્યકરણ મિથ્યાત્વકરણ છે. તેથી તેને અત્યકરણને આગળ કરીને અનારાધના કહેવાય છતે ભગ્નવ્રતપણું થાય. તેમાં હેતુ કહે છે - મિથ્યાત્વ સહચરિત અનંતાનુબંધીના ઉદયથી ચારિત્રનો મૂલથી ઉચ્છેદ થાય છે. કેમ કે, બાર કષાયના ઉદયથી ચારિત્રનો મૂલથી ઉચ્છેદ થાય છે, એ પ્રમાણે વિશેષાવશ્યક ભાષ્યનું વચન છે. તવ્ય ... રિકવાય છે અને તે અકૃત્યના કરણથી ભગ્નવ્રતપણું થાય તે, આલોચના માત્રથી પણ શુદ્ધિ કરવા માટે શક્ય નથી. એથી કરીને આ ભાર આલોચતા માત્રથી પણ શુદ્ધિ કરવા માટે શક્ય નથી આ ભાર, મિથ્યાકલ્પકના=લુંપાકના, મસ્તક ઉપર થાય. આ પ્રકારે આ મૂળ શ્લોકમાં તેવાં માસ્તા સુધી અને ટીકામાં તેષાં .... મ’ સુધી કહેલી એવી આ સમીચીન દષ્ટિ અથત ગ્રંથને સમ્યફ રીતે ભોજન કરવાની દૃષ્ટિ=પ્રસ્તુતમાં ભગવતી સૂત્ર વિષયક જંઘાચારણ, વિદ્યાચારણોને આલોચનાના અભાવને કારણે અનારાધતા કહેલ છે તે રૂપે સમ્યફ રીતે યોજન કરવાની દષ્ટિ, તે જ મિથ્યા કલ્પતારૂપી વિષના વિકારને દૂર કરનાર હોવાથી અમૃત છે તેના વડે સદ્ભયરૂપ અમૃત વડે, સારવાળી પ્રધાન એવી બુધોની સિદ્ધાંતના પારને જોનારાઓની, વાણી વિલાસ પામે છે. list
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy