SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૩ પ૩ છે, અને તેને જ બતાવતાં ટીકામાં ‘સત્ર.....” થી કહે છે. ત્યાં, દૃષ્ટાંતથી બતાવે છે કે – “અંધકાર અંગોને જાણે લેપતો ન હોય” - ઈત્યાદિ. ઉ–ક્ષા અલંકારમાં અંધકારથી લેપ સંભવે નહિ, તેથી ત્યાં લેપ શબ્દ વ્યાપન અર્થમાં છે=અંધકાર જાણે અંગોને વ્યાપ્ત કરતો ન હોય ! તે અર્થ ઘોતિત થાય છે. તેની જેમ શ્લોકમાં કહ્યું કે, મોહરૂપી વિષથી તે લંપાકનું મન લુપ્ત છે, ત્યાં લુપ્ત'નો અર્થ નાશ થાય. પરંતુ જેમ અંધકાર અંગોને લેપે છે, ત્યાં લેપન'નો અર્થ “વ્યાપન' ગ્રહણ કર્યો, તેમ પ્રસ્તુતમાં મોહરૂપી વિષકર્તક લુપ્તતાદિના કથન વડે લુપાકના મનનો નાશ નથી બતાવવો, પરંતુ મનોમૂઢતાનો અધ્યવસાન બતાવવો છે; અને તે અધ્યવસાન બતાવવા દ્વારા કિ આદિ દ્યોતકસ્વરૂપ ઉન્મેલા અલંકાર છે. તે જ રીતે મિથ્યાદંભોલિથી હણાયેલું મન કહ્યું, ત્યાં પણ લુપાકનું મન નાશ પામ્યું, એમ ગ્રહણ કરવાનું નથી, પરંતુ મૂઢતાનો અધ્યવસાન ગ્રહણ કરવાનો છે. અને તે જ રીતે “કુનયરૂપી કૂપમાં મગ્ન” અને “દોષાકરમાં લીન' એ શબ્દથી પણ, મગ્નતા કે લીનતા ગ્રહણ કરવાનાં નથી, પરંતુ મૂઢતાનો અધ્યવસાન જ ગ્રહણ કરવાનો છે. તેથી તે ચારે કથનો સ્વરૂપ ઉપ્રેક્ષા અલંકાર છે, તે બતાવીને હવે ઉન્ઝક્ષા અલંકારનું લક્ષણ કાવ્યપ્રકાશ પ્રમાણે અને આચાર્ય હેમચંદ્રાચાર્યના કથન પ્રમાણે બતાવતાં કહે છે. ત્યાં કાવ્યપ્રકાશ પ્રમાણે ઉન્મેલા અલંકારનું સ્વરૂપ આ પ્રમાણે છે – પ્રકૃતિનું = પ્રસ્તુતમાં લંપાકના મનનું, સમની સાથે = મોહવિષથી લુપ્ત કહ્યું એ રૂપ સમની સાથે, જે તેની મનોમૂઢતાના અધ્યવસાનનું સંભાવન તે ઉન્મેલા અલંકાર છે. અને આચાર્ય હેમચંદ્રાચાર્યના લક્ષણ પ્રમાણે ઈવાદિ પદોથી ઘોત્ય અસદ્ધર્મોનું સંભાવન તે ઉન્મેક્ષા અલંકાર છે. અને પ્રસ્તુતમાં શું મોહવિષથી લંપાકનું મન લુપ્ત છે ? તે “જાણે મોહવિષથી લંપાકનું મન લુપ્ત ન હોય !” તેથી તે અર્થ “ફવ’િ થી ઘોત્ય છે. અને મોહવિષથી મનને લુપ્ત ગ્રહણ કરવાનું નથી, પરંતુ મૂઢતાનો અધ્યવસાન બતાવવો છે; તે લુપ્ત’ શબ્દથી દેખાતા અર્થરૂપ નથી, તેથી અસદ્ ધર્મોના સંભાવનરૂપ છે = લુપ્ત’ શબ્દથી નહિ દેખાતા એવા ધર્મોના સંભાવનરૂપ છે. ટીકા : __ अयं भावः - णमो बंभीए लिवीए' इति पदं यद् व्याख्याप्रज्ञप्तेरादौ उपन्यस्तम् तत्र ब्राह्मीलिपि:= अक्षरविन्यास:, सा यदि श्रुतज्ञानस्यानाकारस्थापना तदा तद्वन्द्यत्वे साकार-स्थापनाया भगवत्प्रतिमाया: स्पष्टमेव साधूनां वन्द्यत्वम्, तुल्यन्यायादिति तत्प्रद्वेषे प्रज्ञप्तिप्रद्वेष एव, ટીકાર્ચ - મયં મા .... પત્ત, કાવ્યનો ભાવ આ પ્રમાણે છે – બ્રાહ્મીલિપિને નમસ્કાર થાઓ' - એ પ્રકારનું જે પદ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની આદિમાં ઉપવ્યસ્ત છે, ત્યાં=તે પદમાં, બ્રાહ્મીલિપિ અક્ષર વિત્યાસરૂપ છે; અને જો તે શ્રુતજ્ઞાનની અનાકાર સ્થાપના છે, ત્યારે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પ્રારંભમાં, તેનું વંઘપણું હોતે છત, સાકાર સ્થાપના એવી ભગવદ્ પ્રતિમાનું સાધુઓને સ્પષ્ટ જ વંદ્યપણું પ્રાપ્ત થાય છે. કેમ કે
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy