SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૧-૪૦૨ ૩૧ ઉપયોગી ન હોય તો સાધુ માટે તે અકથ્ય છે. તેથી શાસ્ત્ર ભણીને જે તે પ્રકારે નિપુણ પ્રજ્ઞાને પામ્યા નથી અને વિવક્ષિત વસતિ આદિ સંયમની વૃદ્ધિનું કારણ નથી કે છે તેનો વિભાગ જાણતા નથી, તે દ્રવ્યને આશ્રયીને અજ્ઞ છે, માટે અગીતાર્થ છે. વળી કોઈ ગ્લાન સાધુ હોય, શૈક્ષ હોય, આચાર્ય હોય તો કઈ વસ્તુ તેમને સંયમની ઉપષ્ટભક બનશે અથવા ઉપષ્ટભક નહીં બને, તેનો વિભાગ કરી શકતા નથી. તેઓ યથાસ્થિત દ્રવ્યને જાણતા નથી. I૪૦૧ાા ગાથા : जट्ठियखित्त न याणइ, अद्धाणे जणवए य जं भणियं । कालं पि य नवि जाणइ, सुभिक्खदुब्भिक्ख जं कप्पं ।।४०२।। ગાથાર્થ: યથાસ્થિત ક્ષેત્રને જાણતા નથી – માર્ગમાં અને જનપદમાં જે કહેવાયું છે કર્તવ્યપણાથી જે કહેવાયું છે તેને જાણતા નથી, કાલને પણ જાણતા નથી – સુભિક્ષ અને દુભિક્ષમાં જે કથ્ય છે તેને જાણતા નથી. II૪૦શા ટીકા : यथास्थितं क्षेत्रं न जानाति, अध्वनि मार्गे, जनपदे च जनाकुले देशे यद् भणितं कर्त्तव्यतया जिनागमे तन जानाति कालमपि च नापि जानाति । कथमित्याह-'सुभिक्खदुब्भिक्ख जं कप्पंत्ति सुभिक्षे यत् कल्प्यं योग्यं दुर्भिक्षे च तन जानातीति ॥४०२।। ટીકાર્ય : યથાસ્થિત ક્ષેત્રે .. નાનાતીતિ | યથાસ્થિત ક્ષેત્રને જાણતા નથી=અગીતાર્થ સાધુ જાણતા નથી, માર્ગમાં, જનપદમાં=લોકોથી ભરેલા દેશમાં, જિતાગમમાં જે કર્તવ્યપણાથી કહેવાયું છે, તેને જાણતા નથી, કાળને પણ જાણતા નથી જ, કેમ કાળને જાણતા નથી ? એથી કહે છે – સુકાળ અને દુકાળમાં જે કથ્ય છે યોગ્ય છે તેને જાણતા નથી. II૪૦૨ાા ભાવાર્થ : ગીતાર્થ સાધુ કયા ક્ષેત્રમાં શું કરવું જોઈએ ? તેનો યથાર્થ નિર્ણય કરવા સમર્થ હોય છે, પરંતુ જેઓ શાસ્ત્ર ભણ્યા હોય છતાં પોતાના સંયમની વૃદ્ધિ માટે ક્ષેત્રને આશ્રયીને શું ઉચિત કર્તવ્ય છે અને સુભિક્ષદુર્મિક્ષ કાળને આશ્રયીને શું કર્તવ્ય છે, જનાકુળ દેશમાં શાસ્ત્રમાં કર્તવ્યપણાથી શું કહ્યું છે ? તેને યથાર્થ જાણતા નથી, તેઓ અગીતાર્થ છે. તેમને સુભિક્ષમાં નિર્દોષ લાવવું જોઈએ અને દુર્મિક્ષમાં દોષિત ગ્રહણ કરાય તેવો પૂલ બોધમાત્ર છે, પરંતુ સંયમવૃદ્ધિને અનુકૂળ કથ્ય અને અકલ્પનો નિર્ણય કરવા માટે સૂક્ષ્મ બોધ નથી, તેઓ અગીતાર્થ છે. II૪૦શા
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy