SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૮, ૩૮૯ થી ૩૧ ન થાય તે પ્રકારે ઉચિત યત્ન કરનારા છે, તેઓ અનિયત વિહારવાળા છે. વળી જેઓ સંયમની પ્રતિદિન ક્રિયામાં અંતરંગ ગુણવૃદ્ધિનું કારણ બને તે રીતે અપ્રમાદવાળા છે, તેઓ ગુણોમાં ઉપયોગવાળા છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધમાં બતાવેલાં પાંચ પદો જેમનામાં વર્તે છે અને તે પદોનો પરસ્પર સંયોગ વર્તે છે, તે પ્રમાણે તેઓ આરાધક બને છે અર્થાતુ પાંચ પદોમાંથી સર્વ પદોની જેમને પ્રાપ્તિ થઈ હોય, તેઓ સંયમના સંપૂર્ણ આરાધક બને છે અથવા તે પાંચ પદોમાંથી જેટલાં પદો જેમને પ્રાપ્ત થાય તેને અનુરૂપ તેઓ આરાધક બને છે. l૩૮૮ll અવતરણિકા - ननु यदि स्थानवासित्वं दोषाय कथमार्यसमुद्रादिभिस्तदनुष्ठितं ?, कथं चाराधकास्ते सम्पन्ना ? इत्युच्यते-भगवदाज्ञाकारित्वात्, तथा चाहઅવતરણિકાર્ય : નનુથી શંકા કરે છે – જો સ્થાનવાસીપણું દોષ માટે છે=ગાથા-૩૮૭માં કહ્યું કે સ્થાનવાસી સાધુ પાર્થસ્થાદિ છે, તો આર્યસમુદ્ર વગેરે વડે કેમ તેનું આચરણ કરાયું ? અને કેવી રીતે તેઓ આરાધક થયા ?=સ્થાનવાસી હોવા છતાં કોના બળથી આરાધક થયા ? એથી કહે છે – ભગવાનની આજ્ઞાનું કરવાપણું હોવાથી આરાધક થયા અને તે પ્રમાણે કહે છે=ગાથામાં કહે ગાથા - निम्ममानिरहंकारा, उवउत्ता नाणदंसणचरित्ते । एगक्खत्ते वि ठिया, खवंति पोरायणं कम्मं ।।३८९।। जियकोहमाणमाया, जियलोभपरीसहा य जे धीरा । वुड्डावासे वि ठिया, खवंति चिरसंचियं कम्मं ।।३९०।। पंचसमिया तिगुत्ता, उज्जुत्ता संजमे तवे चरणे । वाससयं पि वसंता, मुणिणो आराहगा भणिया ।।३९१।। ગાથાર્થ : નિર્મમ નિરહંકાર જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ઉપયોગવાળા એક ક્ષેત્રમાં પણ રહેલા પૂર્વે બંધાયેલા કર્મને ખપાવે છે. II3૮૯II જિતાયા છે ક્રોધ, માન, માયા જેમના વડે, જિતાયા છે લોભ અને પરિષહ જેમના વડે, જેઓ ધીર છે, તેઓ વૃદ્ધાવાસમાં પણ રહેલા લાંબા વખતથી એકઠાં કરેલાં કર્મોને ખપાવે છે. II3oll
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy