SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૮ ટીકા : गच्छगतोऽनेनैकाकित्वविरहं लक्षयति, अनुरूपो ज्ञानादिभिः सह योगः सम्बन्धोऽनुयोगः, सोऽस्यास्तीत्यनुयोगी, अनेन पार्श्वस्थताऽभावं दर्शयति, गुरून् सेवितुं शीलमस्येति गुरुसेवी, अनेन स्वच्छन्दत्वाऽयोगं योजयति, अनियतो मासकल्पादिविहारी, अमुना स्थानवासित्ववैकल्यं द्योतयति, गुणेषु प्रतिदिनक्रियादिषु आयुक्तोऽप्रमादी, एतेनावसन्नता वैपरीत्यं भावयति, संयोगेनामीषां पदानां द्व्यादिमीलकेन संयमाराधका भणितास्तीर्थकरगणधरैस्तद्वन्त इति गम्यते । अत्रापि यथा यथा पदवृद्धिस्तथा तथा गुणवृद्धिर्द्रष्टव्येति ।।३८८।। ટીકાર્ય : કચ્છતો ... [વૃદ્ધિદતિ | ગચ્છમાં રહેલો=આના દ્વારા એકાકીપણાના વિરહને જણાવે છે, જ્ઞાનાદિની સાથે અનુરૂપ યોગ=સંબંધ અનુયોગ તે છે જેને તે અનુયોગી=આત્મામાં જ્ઞાનદર્શન-ચારિત્રની મૂળભૂત પ્રકૃતિ પ્રગટ કરે એવો જ્ઞાનાદિનો અનુરૂપ યોગ તે અનુયોગી, કષાયનું કારણ બને તેવો વિપરીત યોગ નહિ, આના દ્વારા પાર્શ્વસ્થતાનો અભાવ બતાવાય છે, ગુરુને સેવવાનો સ્વભાવ છે અને તે ગુરુસેવી=પરમગુરુના વચનાનુસાર ચાલનારા એવા ઉત્તમ ગુરુના વચનાનુસાર ચાલનાર ગુરુસેવી છે, આના દ્વારા સ્વચ્છંદતનો અયોગ જણાવે છે, અનિયત=માસકલ્પાદિ વિહારી, આના દ્વારા સ્થાનવાસિત્વના અભાવને પ્રગટ કરે છે, ગુણોમાં=પ્રતિદિનક્રિયા વગેરેમાં, આયુક્ત-અપ્રમાદી, આના દ્વારા અવસન્નતાના વિપરીતપણાને ભાવન કરે છે, આ પદોના સંયોગથી બે આદિનાં જોડકાંથી તીર્થંકર ગણધરો વડે સંયમના આરાધક કહેવાયા છે. કોણ કહેવાયા છે ? એથી કહે છે – તદ્વામ=દ્ધિક વગેરેના સંયોગવાળા, અહીં પણ જે જે પ્રમાણે પદની વૃદ્ધિ છે, તે તે પ્રમાણે ગુણની વૃદ્ધિ જાણવી. ૩૮૮ ભાવાર્થ : જે સાધુઓ ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને ભગવાનના વચનાનુસાર સર્વ પ્રવૃત્તિ કરવાના અર્થ છે, તેઓ સુવિહિત સાધુઓના ગચ્છમાં રહેનારા છે, આથી સંયમ ગ્રહણ કરનાર મહાત્મા દુષ્કર કાળમાં પણ પરીક્ષા કરીને સુવિહિત સાધુના ગચ્છમાં સંયમ ગ્રહણ કરે છે, જેથી તેઓનો ગચ્છવાસ પરમાર્થથી ગુણવૃદ્ધિનું પ્રબળ અંગ બને છે. વળી સુસાધુઓ ભગવાનના વચનનો સમ્યગ્બોધ થાય, સમ્યગુ રુચિ થાય અને અસંગભાવની પરિણતિ પ્રગટ થાય તે રીતે યત્ન કરે છે, તેઓ રત્નત્રયના અનુયોગી છેઃ આત્મામાં રત્નત્રયનું સમ્ય અનુયોજન કરનારા છે, તેઓ પાર્થસ્થભાવનો ત્યાગ કરનારા છે. વળી ગુરુની સેવા કરનારા છે–પરમગુરુની આજ્ઞાનુસારે ચાલનારા સુવિહિત ગુરુને પરતંત્ર થઈને વિચરનારા છે, વળી જેઓ જિનવચનાનુસાર માસકલ્પાદિ વિહાર કરીને ક્ષેત્રનો કે શ્રાવક વગેરેનો પ્રતિબંધ
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy