________________
૨૦૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પર૪
ગાથાર્થ :
માનથી સાંકડા લોકમાં અવસન્ન સાધુ વડે આદરતર સન્માનરૂપ સંવિગ્નપાક્ષિકપણાને સ્પષ્ટ કરવા માટે સુદુષ્કર છે. પ૨૪|| ટીકા -
आदरतरेण सातिशयप्रयत्नेन सन्मानं सुसाधूनामभ्यर्चनं यस्मिन् संविग्नपाक्षिकत्वे तद् आदरतरसन्मानं सुदुष्करं दुरनुष्ठेयं मानसङ्कटे गर्वतुच्छे लोके स्वाभिमानग्रस्तप्राणिगणमध्ये दुःशक्यं कर्तुमिति भावः, तदुक्तम्
सर्वस्यात्मा गुणवान्, सर्वः परदोषदर्शने कुशलः । सर्वस्य चास्ति वाच्यं न चात्मदोषान् वदति कश्चित् ।।१।। किं तत् ? पक्षेण चरतीति पाक्षिकः संविग्नानां पाक्षिकः संविग्नपाक्षिकस्तद्भावस्तत्त्वं, तदवसन्नेन शिथिलेन स्वयं स्फुटं लोकप्रकाशं निर्व्याजं वा कर्तुं विधातुं सुदुष्करमिति सण्टङ्कः ।।५२४ ।। ટીકાર્ય :
મારે... સદા આદરતરથી અતિશય પ્રયત્નથી સહિત, સુસાધુઓનું સન્માન=અભ્યર્ચત છે જેમાં એવા સંવિગ્નપાણિકપણામાં તે આદરતર સન્માન સુદુષ્કર છે–દુ:ખે કરીને આચરી શકાય એવું છે, કેમ દુષ્કર છે ? એથી કહે છે –
માનથી સાંકડા લોકમાં દુષ્કર છે–ગર્વથી તુચ્છ સ્વઅભિમાનથી ગ્રસ્ત એવા પ્રાણીના સમૂહની મધ્યમાં કરવું દુષ્કર છે, એ પ્રકારનો ભાવ છે, તે કહેવાયું છે – સર્વને પોતાનો આત્મા ગુણવાન દેખાય છે. પરદોષદર્શનમાં સર્વ કુશળ છે અને સર્વના દોષો વાચ્ય છે અને કોઈ પોતાના દોષો કહેતું નથી. તે શું છે ?=માતથી સાંકડા લોકમાં આદરતર સન્માન દુષ્કર છે એમ પૂર્વમાં કહ્યું એ શું છે ? એથી કહે છે – પક્ષથી ચરે છે તે પાક્ષિક, સંવિગ્લોના પાક્ષિક સંવિગ્સપાક્ષિક છે, તેનો ભાવ તત્વ, તે સંવિગ્સપાક્ષિકપણું, અવસત્ર વડે=શિથિલ વડે, સ્વયં સ્પષ્ટ=લોકમાં કહેવું અથવા લિવ્યંજ અર્થાત્ નિષ્કપટ કરવા માટે, અત્યંત દુષ્કર છે. પિરસવા ભાવાર્થ :
સામાન્યથી સંસારી જીવો સર્વત્ર માન સભર જીવવાના અભિલાષી હોય છે, ક્યારેક તેવું પુણ્ય ન હોય તો તે પ્રકારનું માન ન મળે તોપણ પોતપોતાના સ્થાનમાં માન સભર જીવવાની ઇચ્છાવાળા હોય છે, તેથી પોતાની મહાનતાનું લોકમાં પ્રકાશન કરીને આદર-સત્કાર પામવાની પરિણતિવાળા હોય છે,