SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૫ ૧૫૧ ગાથા : विकहं विणोयभासं, अंतरभासं अवक्कभासं च । जं जस्स अणिट्ठमपुच्छिओ य भासं न भासिज्जा ।।४८५।। ગાથાર્થ :| વિકથાને, વિનોદભાષાને, અંતરભાષાને, અવાક્યભાષાને, કે જેને અનિષ્ટ એવી ભાષાને અને નહિ પુછાયેલો સાધુ બોલે નહિ. Il૪૮૫ll ટીકા : विरूपा कथा विकथा देशादिसम्बन्धिनी, तां न भाषेत इति सर्वत्र सम्बन्धः, ज्ञानादिप्रयोजनरहिता विनोदनिमित्तं कालनयनाय भाषा विनोदभाषा ताम्, अन्तरे गुरुभाषाविवरे भाषा अन्तरभाषा ताम्, अवाक्येनावचनीयेन यकारमकारादिना भाषा अवाक्यभाषा तां च, यां काञ्चिद्यस्य कस्यचिदनिष्टामप्रियामपृष्टश्च केनचिद् वाचालतया भाषां न भाषेत न ब्रूयादिति ॥४८५॥ ટીકાર્ય : વિરૂપ તથા નૂયાવિતિ | વિરૂપા કથા વિકથા દેશ વગેરે સંબંધી તેને બોલે નહિ, એ પ્રકારે સર્વત્ર સર્વ વિશેષણોમાં, સંબંધ છે, જ્ઞાન વગેરેના પ્રયોજતથી રહિત વિનોદના નિમિત્તે કાલ પસાર કરવા માટે ભાષા વિનોદભાષા, તેને બોલે નહિ, અંતરમાંકગુરુ બોલતા હોય તેની વચમાં બોલવું, અંતરભાષા, તેને બોલે નહિ, અવાક્યથી=અવચનીય એવા જકાર-મકાર વગેરેથી બોલાય તે અવાક્યભાષા તેને બોલે નહિ, જે કોઈ જેને કોઈને અનિષ્ટ છે-અપ્રિય છે, તેવી ભાષા બોલે નહિ અને નહિ પુછાયેલો=કોઈ વડે નહિ પુછાયેલો વાચાલપણાથી ભાષાને બોલે નહિ. II૪૮પા ભાવાર્થ વચનગુપ્તિના અર્થી સાધુ સંયમનું પ્રયોજન ન હોય તો મૌન રહીને આત્માને ભાવિત કરે છે અને સંયમના પ્રયોજનથી જે ભાષા બોલે તેનાથી શમભાવના પરિણામની વૃદ્ધિ થાય છે. આમ છતાં અનાભોગાદિથી અસંયમની વૃદ્ધિનું કારણ થાય તેવી ભાષા બોલવાનો સંભવ છે, તેવી ભાષા વચનગુપ્તિના અર્થી સાધુ બોલે નહિ, તે બતાવતાં કહે છે – સાધુ વિકથાવાળી ભાષા બોલે નહિ, જેમ વર્તમાન સંયોગોમાં શું શું બની રહ્યું છે, તે સર્વ માહિતી સાંભળવા અભિમુખ સંયમી ન હોય, છતાં ક્યારેક કોઈના વચનપ્રયોગથી સંભળાય તોપણ તે સંબંધી ભાષા બોલે નહિ; કેમ કે તેના દ્વારા શમભાવની વૃદ્ધિ થતી નથી, પરંતુ લોકો જે ક્ષુદ્ર માનસથી દેશાદિની કથા કરીને આનંદ લેનારા છે, તેનાથી મોહના ભાવોનું પોષણ થાય છે. વળી રત્નત્રયીની વૃદ્ધિના પ્રયોજન વગર વિનોદ માટે જે ભાષા બોલાય, તેનાથી સંસારી જીવો તે તે વાતો કરીને સુખપૂર્વક કાળ પસાર
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy