SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૭-૪૬૮ કરાયું ? એ પ્રકારે ચિંતવન કરે છે; કેમ કે સુચરિતના અવલંબનનો અભાવ છે=મનુષ્યભવમાં પ્રમાદને વશ કંઈ સુંદર આચરણ કર્યું નથી, તેથી તેના અવલંબનનો અભાવ છે. ૪૬૭|| ટીકા ઃ तथाहि एकमपि नास्ति यत् सुष्ठु सुचरितं यथेदं बलं सुगतिगमनसामर्थ्यं ममेति, यस्य तस्य को नाम ! न कश्चित् सम्भाव्यते, 'दढक्कारो 'त्ति द्रढिमा अवष्टम्भ इत्यर्थः, मरणान्ते मरणलक्षणावसाने मन्दपुण्यस्य निर्भाग्यस्य, तस्यैवं सुसामग्रीहारणात्, तदुक्तम् लोहाय नावं जलधौ भिनत्ति, सूत्राय वैडूर्यमणिं दृणाति । सच्चन्दनं ह्योषति भस्मनेऽसौ यो मानुषत्वं नयतीन्द्रियार्थे ।।४६८ ।। ટીકાર્ય : एकमपि નયતીન્દ્રિયાર્થે ।। તે આ પ્રમાણે – એક પણ જે સારી રીતે સુંદર આચરણ કરાયેલું નથી, જે પ્રમાણે આ બળ થાય=સુગતિમાં ગમન કરવા સમર્થ થાય, જેનો તેનો ખરેખર કોણ ? અર્થાત્ કંઈ સંભાવના કરાતો નથી, દૃઢકાર=દૃઢ અવરંભ, સંભાવના કરાતો નથી, મરણના અંતકાળમાં મંદ પુણ્યવાળા=ભાગ્ય વગરના જીવને, દૃઢકાર સંભવતો નથી એમ અન્વય છે; કેમ કે સુસામગ્રીનું હારવું છે=સુસામગ્રીની પ્રાપ્તિ નિરર્થક કરી છે, કહેવાયું છે ..... - જે મનુષ્યભવને ઇન્દ્રિયોના વિષય માટે પસાર કરે છે, તે સમુદ્રમાં લોખંડ માટે નાવડીને તોડે છે, દોરા માટે વૈડુર્ય મણિને તોડે છે, રાખ માટે સાચા ચંદનને બાળે છે. ૪૬૮॥ ભાવાર્થ : જેઓ પંચેન્દ્રિયપણાથી માંડીને શ્રદ્ધાન સુધીની સર્વ સામગ્રીને પામ્યા છે તોપણ જેઓ વર્તમાનને જોવાની અત્યંત મતિવાળા છે, તેથી વર્તમાનમાં દેખાતા ભોગોથી વિમુખ મતિવાળા થતા નથી, તેઓ ભોગાદિમાં સંશ્લેષવાળા થઈને શરીરની ક્ષીણતા દ્વારા પોતાના આયુષ્યને લઘુ કરે છે; કેમ કે ભોગાસક્ત જીવ જીવનધારાની શક્તિરૂપ વીર્યનો નાશ કરીને આયુષ્યને ક્ષીણ કરે છે. વળી ભોગાદિમાં આસક્તિ કરીને શરીરનાં અંગોપાંગ વગેરેને શિથિલ કરે છે અને શરીરની સ્થિતિને પણ શિથિલ કરે છે. તેથી શીઘ્ર મરણકાળ ઉપસ્થિત થાય છે અને મરણ વખતે શરીરની વિહ્વળતા વગેરે અધિક થાય છે. વળી વર્તમાનને જોવાની દૃષ્ટિ હોવાથી પુત્ર, સ્ત્રી, ધન વગેરેમાં અત્યંત મમત્વ વર્તે છે, તેથી હવે મારે એનો ત્યાગ કરવો પડશે, એ પ્રકારે જાણવાથી કરુણા ઉત્પન્ન કરે તેવા અનેક ઉદ્ગારોને કાઢે છે અને તે વખતે તેને પશ્ચાત્તાપ થાય છે કે મને અક્ષેપથી મોક્ષ પ્રાપ્ત કરાવનારું સર્વજ્ઞનું શાસન પ્રાપ્ત થવા છતાં તુચ્છ વૈષયિક સુખોની લોલુપતાને કા૨ણે મંદભાગ્યવાળા મારા વડે કોઈ સુંદર અનુષ્ઠાન કરાયું નથી. કેવળ દુ:ખથી યુક્ત એવું
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy