________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૭–૪૬૮, ૪૬૯
૧૨૭
સંસારનું કા૨ણ મારા વડે સેવાયું છે, તેથી મારો જન્મ નિષ્ફળ છે. વળી મેં જીવનમાં એવું સુંદર ચરિત્ર કર્યું નથી, જેથી મને સુગતિ મળશે, તેથી મરણકાળમાં મંદ પુણ્યવાળા જીવને સુગતિનું આશ્વાસન પણ મળી શકે તેમ નથી, તે જીવ કેવળ ખેદ અને હતાશાથી મૃત્યુ પામશે માટે તેવો પ્રસંગ આવે તેના પૂર્વે જ વિવેકીએ દુર્બુદ્ધિનો ત્યાગ કરીને શક્તિ અનુસાર ધર્મ સેવવા માટે યત્ન કરવો જોઈએ અને તે ધર્મ પણ બાહ્ય આચરણાથી ક૨ીને સંતોષ માનવો જોઈએ નહિ, પરંતુ ષટ્કાયના પાલનનો અધ્યવસાય અને ક્ષમાદિ ભાવોનો પરિણામ સતત વૃદ્ધિ પામે તે રીતે સેવવો જોઈએ. II૪૬૭–૪૬૮॥
અવતરણિકા :
न केवलं पित्तादिक्षोभादायुषश्च्याव्यते, किं तर्हि ? एवं च्याव्यत इत्याह च
અવતરણિકાર્થ :
કેવળ પિત્ત વગેરેના ક્ષોભથી આયુષ્યનો નાશ થતો નથી, તો શું ? અને આ રીતે નાશ પામે છે. એને કહે છે
ગાથા:
-
सूलविस अहिविसूइयपाणियसत्थऽग्गिसंभमेहिं च । વેદંતરસંમળ, રૂ નીવો મુદુત્તુળ ।।૪૬।।
ગાથાર્થ
જીવ શૂળ-વિષ-સાપ-વિશૂચિકા-પાણી-શસ્ત્ર-અગ્નિ અને સંભ્રમ વડે એક મુહૂર્તમાં બીજા શરીરને પ્રાપ્ત કરે છે. II૪૬૯॥॥
ટીકા ઃ
शूलविषाऽहिविसूचिकापानीयशस्त्राऽग्निसम्भ्रमैश्च प्रतीतैः हेतुभूतैः किं देहान्तरसङ्क्रमणं प्रस्तुतशरीरं विहायाऽन्यदेहे सङ्क्रान्तिं करोति विधत्ते जीवः प्राणी मुहूर्त्तेन स्वल्पकालेनेति । ।४६९ ।। ટીકાર્ય ઃ
.....
ભૂવિષા . સ્વલ્પળાનેનેતિ । પ્રતીત હેતુભૂત એવા શૂળ, વિષ, સર્પ, વિશુચિકા, પાણી=સમુદ્ર વગેરે, શસ્ત્ર, અગ્નિ અને સંભ્રમો વડે દેહાંતરના સંક્રમણને=પ્રસ્તુત શરીરને છોડીને બીજા શરીરમાં સંક્રાંતિને, જીવ મુહૂર્તથી=અત્યંત અલ્પકાળથી કરે છે. ।।૪૬૯।।
ભાવાર્થ:
જીવો આયુષ્યના ક્ષયથી કે પિત્ત વગેરેના ક્ષોભથી જેમ ચ્યવે છે, તેમ શૂળ વગેરે ઉપઘાતક સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે પણ અલ્પકાળમાં બીજા શરીરમાં સંક્રમણ પામે છે. તેથી હજી મારું દીર્ઘ આયુષ્ય છે,