SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪પપ ગાથાર્થ : નિયમ-શીલ-તપ અને સંયમથી યુક્ત એવો જે આત્માના હિતને કરે છે તે મસ્તક ઉપર સર્ષપની જેમ લોકમાં દેવતાની જેમ પૂજ્ય થાય છે. ll૪પપા ટીકા - य एव कश्चिनियमशीलतपःसंयमैः पूर्वोक्तस्वरूपैर्युक्तः करोत्यात्महितम् अनुष्ठानं, स देवतेव देव इव स्वार्थे तल्प्रत्ययः पूज्यः पूजनीयो भवति, तथा शिरसि मस्तके कृतश्चोह्यत इति शेषः, क इवेत्याह-सिद्धार्थकवत् सर्षप इव, जने लोके माङ्गलिकत्वाद्, अयमभिप्रायः-नेह तदुचितानां काचित् खनिरस्ति, किं तर्हि ? गुणाः पूज्यत्वहेतवस्ते च सर्वस्य स्वप्रयत्नसाध्याः, ततः सर्वेण तेष्वादरो विधेयस्तदुक्तम् गता ये पूज्यत्वं प्रकृतिपुरुषा एव खलु ते, जना दोषत्यागे जनयत समुत्साहमतुलम् । न साधूनां क्षेत्रं न च भवति नैसर्गिकमिदं, गुणान् यो यो धत्ते स स भवति साधुर्भजत तान् ।।४५५।। ટીકાર્ય : વ ... સાપુર્માત તાન્ ! પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળા નિયમ-શીલ-તપ-સંયમ વડે યુક્ત એવો જે જ કોઈ આત્મહિત કરે છેઅનુષ્ઠાન કરે છે, તે દેવતાની જેમ=દેવની જેમ પૂજ્ય થાય છે, રેવતા શબ્દમાં તત્ પ્રત્યય સ્વાર્થમાં છે, એથી દેવ જ દેવતા છે અને મસ્તક ઉપર કરાયેલો વહન કરાય છે–તપ-સંયમમાં ઉદ્યમ કરે છે તે મસ્તક ઉપર ધારણ કરાય છે, કોની જેમ ? એથી કહે છે – સિદ્ધાર્થકની જેમ=સર્ષપની જેમ; કેમ કે લોકમાં માંગલિકપણું છે=જેમ સર્ષપ માંગલિક છે માટે મસ્તકે ધારણ કરાય છે, તેમ નિયમાદિમાં ઉદ્યમ કરનારા મહાત્મા માંગલિક હોવાથી મસ્તક ઉપર ધારણ કરાય છે. આ અભિપ્રાય છે=અવતરણિકામાં શંકા કરી તેને અનુરૂપ અર્થ ગાથામાં કઈ રીતે પ્રાપ્ત થાય છે એ વિષયક આ અભિપ્રાય છે, અહીં=જગતમાં, તેના ઉચિતોની=નિયમાદિ કરવાને ઉચિતોની, કોઈ ખાણ નથી, તો શું છે ? એથી કહે છે – ગુણો પૂજ્યત્વના હેતુ છે અને તે સર્વને સ્વપ્રયત્નથી સાધ્ય છે, તેથી સર્વ જીવોએ તેમાં આદર કરવો જોઈએ, તે કહેવાયું છે – જે પૂજ્યત્વને પામ્યા તે ખરેખર પ્રકૃતિપુરુષો જ છે, તે લોકો ! દોષના ત્યાગમાં અતુલ સમુત્સાહને ઉત્પન્ન કરો. સાધુઓનું ક્ષેત્ર નથી=કોઈ એવી ભૂમિ નથી જ્યાં સાધુ ઉત્પન્ન થાય અને આ સાધુપણું, નૈસર્ગિક નથી, જે જે પુરુષ ગુણોને ધારણ કરે છે, તે તે સાધુ થાય છે. તેઓને તમે ભજો. II૪પપા.
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy