SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૮, ૪૩૯-૪૪૦ ટીકા : बहुदोषैरज्ञानक्रोधादिभिः सङ्क्लिष्टो-विबाधितो बहुदोषसक्लिष्ट इति नवरं केवलं मलिनयति पङ्कयत्यात्मानमिति शेषश्चञ्चलस्वभावो विषयादौ चटुलचित्तः सुष्ठ्वपि गाढमपि व्यायामयन् क्लेशयन्न प्रेक्षापूर्वकारितया कायंदेहं, न करोति किञ्चिद् गुणं कर्मक्षयादिकमिति ।।४३८।। ટીકાર્ય : વોશે . શર્મા હિમતિ | ઘણા દોષોથી અજ્ઞાત-ક્રોધ વગેરે દોષોથી, સંક્ષિણ=બાધા પામેલો, બહુદોષસંક્લિષ્ટ સાધુ કેવલ આત્માને મલિન કરે છે. ગાથામાં માત્માનમ્ એ અધ્યાહાર છે. કેવો સાધુ મલિન કરે છે ? એથી કહે છે – ચંચળ સ્વભાવવાળો=વિષય વગેરેમાં રાગયુક્ત ચિત્તવાળો, ગાઢ પણ કાયાને દેહને, વ્યાયામ કરાવતો અપેક્ષાપૂર્વકારીપણાથી ક્લેશ કરાવતો, કર્મક્ષય વગેરે કોઈ ગુણને કરતો નથી. અ૪૩૮ ભાવાર્થ : કોઈ મહાત્મા સંસારથી ભય પામીને સંયમ ગ્રહણ કરે અને સંયમની સર્વ ક્રિયાઓ અત્યંત પ્રયત્નપૂર્વક કરે તોપણ તે ક્રિયાઓ ચિત્તને નિર્લેપ કરવાનું કારણ થાય છે કે નહિ, તેનો વિચાર ન કરે અને કયા પ્રકારના નિપુણ યત્નથી આ ક્રિયા વિતરાગ થવાનું કારણ છે, તેનું અત્યંત અજ્ઞાન વર્તે છે અને તેને જાણવાની જિજ્ઞાસા નથી અને બાહ્ય નિમિત્તો અનુસાર ક્રોધાદિ ભાવો કરે છે અર્થાત્ કોઈનું વર્તન જોઈને અરુચિ કરે છે, લોકો આદર-સત્કાર કરે ત્યારે પ્રીતિ કરે છે. તેથી તેનું ચિત્ત ઘણા દોષોથી સંક્લિષ્ટ છે અને ઇન્દ્રિયના વિષયમાં ચંચળ સ્વભાવવાળો છે, છતાં મૂઢતાને કારણે બાહ્ય તપ અને કષ્ટકારી આચરણાઓ કરે છે, પરંતુ તેના દ્વારા ચિત્તને પ્રશમભાવમાં પ્રવર્તાવવા કોઈ યત્ન કરતો નથી, તેવા સાધુને કર્મક્ષય વગેરે કોઈ ગુણ થતો નથી; કેમ કે કાયાની ચેષ્ટા માત્રથી ગુણની પ્રાપ્તિ નથી, પરંતુ ચિત્ત મોહનો નાશ કરવાને અનુકૂળ વર્તે તો જ ગુણની પ્રાપ્તિ થાય છે. આથી જ કોઈ સાધુ મલિન વસ્ત્ર ધારણ કરે, છઠ વગેરે તપ કરે, છતાં ચિત્ત બાહ્ય નિમિત્તો અનુસાર પ્રવર્તતું હોય તો નિર્જરા કરી શકે નહિ. II૪૩૮મા અવતરણિકા – स तर्हि निर्गुणः किं म्रियतां ? नैतदस्ति मरणमपि गुणवतः श्रेयो यत आहઅવતરણિતાર્થ : તેeઘણા સંક્લેશવાળા સાધુ કાયાને ક્લેશ કરવા છતાં કોઈ ગુણ પ્રાપ્ત કરતા નથી, તે નિર્ગુણ તો શું કરે ? અર્થાત્ તેવા સાધુ મરી જાય તો તેઓનું શ્રેય છે ? આ નથી જ=તેઓ મરે એમાં શ્રેય નથી જ, મરણ પણ ગુણવાનનું શ્રેય છે, જે કારણથી કહે છે –
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy