SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૭–૪૩૮ ભાવાર્થ : જે સાધુ સંસારથી ભય પામ્યા છે અને સંસારથી વિસ્તારનો ઉપાય જિનવચનના પરમાર્થના નિશ્ચયપૂર્વક તેનાથી નિયંત્રિત ઉચિત સર્વ ક્રિયાઓ છે, તેવો સ્થિર નિર્ણય છે, તેથી સંયમ ગ્રહણ કર્યા પછી પોતાની શક્તિ અનુસાર સૂત્રોના અર્થોના યથાર્થ તાત્પર્યનો જેમણે નિશ્ચય કર્યો છે તેવા મહાત્માને શ્રુતનાં સર્વ વચનો ત્રણ ગુપ્તિનો અતિશય કઈ રીતે કરશે, તેનો પરમાર્થ દેખાય છે. આથી સૂત્રોના અર્થોથી ભાવિત થઈને ત્રણ ગુપ્તિને અતિશયિત કરવા યત્ન કરે છે અને તેના કારણે તે મહાત્માનું ચિત્ત સર્વ ભાવો પ્રત્યે સમભાવને ધારણ કરીને સંયમની ઉચિત પ્રવૃત્તિ કરવા માટે તત્પર રહે છે. આથી જ તેવા સાધુ પાંચ મહાવ્રતોના સૂક્ષ્મ સ્વરૂપથી આત્માને હંમેશાં વાસિત કરે છે અને પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તર ગુણોના સ્વરૂપને પણ તે રીતે ભાવન કરીને તે ઉત્તર ગુણો કઈ રીતે મૂળગુણની વૃદ્ધિનું કારણ છે, તેના પરમાર્થને સ્થિર કરે છે અને તેના બળથી મૂળ-ઉત્તર ગુણના સમૂહને જીવે ત્યાં સુધી સમ્ય પ્રકારે સેવે છે અને હંમેશાં અસ્મલિત આચારો પાળે છે. અનાભોગથી પણ કોઈ સ્કૂલના થાય તો તત્કાલ ઉચિત પ્રયત્નથી તેનું શોધન કરે છે. તેવા સાધુ સાધુની ગણનાને પ્રાપ્ત કરે છે, બીજા નહિ. અહીં વિશેષ એ છે કે સંઘયણ બળ શિથિલ હોય અને બાહ્ય આચરણમાં ઉત્સર્ગનું સેવન દુષ્કર જણાય તો અપવાદનું સેવન કરીને પણ તે મહાત્મા સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે. પરંતુ બાહ્ય ભાવોમાં જેમનું ચિત્ત વર્તે છે, તેઓ બાહ્ય આચરણાનાં કષ્ટો વેઠે તોપણ સાધુની ગણનામાં સ્થાન પ્રાપ્ત કરતા નથી, પરંતુ જેઓ સૂત્રાર્થના પરમાર્થથી આત્માને ભાવિત કરીને પ્રમાદ વગર સર્વ ઉચિત પ્રવૃત્તિમાં શક્તિ ફોરવે છે, તેઓ જ ભાવસાધુ છે. II૪૩ળા અવતરણિકા : अत एवाहઅવતરણિકાર્ય : આથી જ કહે છે ગાથા-૪૩૭માં કહ્યું કે સૂત્રાર્થ નિશ્ચયકૃત આગમવાળા અને મૂળગુણઉત્તર ગુણોના સમૂહવાળા સાધુની ગણવામાં આવે છે, બીજા નહિ. આથી જ કહે છે – ગાથા - - વઘુવોસસંવિતિદ્દો, નવરં મરૂ ગ્રંથનસદાવો ! सुट्ठ वि वायामंतो, कायं न करेइ किंचि गुणं ।।४३८।। ગાથાર્થ : ઘણા દોષોથી સંક્લેશ પામેલો, ચંચળ સ્વભાવવાળો, કાયાને અત્યંત પણ નિયમન કરતો કાયાથી સંયમની આચરણા કરતો, કેવળ આત્માને મલિન કરે છે, કોઈ ગુણને કરતો નથી. ll૪૩૮.
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy