SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦૫ 'यथासूत्रम्' इति सूत्रस्यानतिक्रमेण यथासूत्रम् । तत् पुनःसूत्तं गणहररइयं, तहेव पत्तेयबुद्धरइयं च । सुयकेवलिणा रइयं, अभिन्नदसपुस्विणा इयं ॥ इति एषां च निश्चयतः सम्यग्दृष्टित्वेन सद्भूतार्थवादित्वाद्, अन्यग्रथितमपि तदनुयायि प्रमाणमेव, न पुनः शेषमिति, आचरति सर्वक्रियामप्रमादी य इह चारित्रीति सुगममेवेति ॥११४॥ धर्मरत्नપ્રશRUT II ટીકાર્ય : કાલમાં=અવસરમાં=જે પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાનો પ્રસ્તાવ છે તેમાં સર્વક્રિયાને કરે છે, એ પ્રમાણે સંબંધ છે. અહીં પ્રશ્ન થાય કે “વાર્તામિ" કેમ કહ્યું? તેથી કહે છે કાળ વગર ખેતી આદિ પણ ઈષ્ટસિદ્ધિ માટે થતાં નથી. એથી કરીને સાધુ પ્રત્યુપેક્ષણાદિક સર્વક્રિયાઓ કાળે કરે છે, તેમ કહેલ છે. કેવા પ્રકારની ક્રિયા કરે છે? એથી કહે છે અન્યૂન અનધિક-ન્યૂન પણ નહિ અને અધિક પણ નહિ તેવી ક્રિયા કરે છે. તે જ સ્પષ્ટ કરે છેપ્રમાદના અતિશયથી ન્યૂન કરતા નથી. વળી, શૂન્યચિત્તપણાને કારણે અધિક કરતા નથી, કેમ કે ન્યૂન કે અધિક કરે તો અવસન્નતાનો પ્રસંગ છેઃશિથિલાચારીપણાનો પ્રસંગ છે=ક્રિયામાં સિદાતા છે. જે કારણથી શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે આવશ્યક આદિ ક્રિયાઓ ન કરે અથવા હીન કરે કે અધિક કરે અને ગુરુવચનના બળથી=દબાણથી કરે, આ=આવા સાધુ અવસન કહેવાયા છે અર્થાત્ શિથિલ આચારવાળા કહેવાયા છે. મૂળ ગાથાના “નૈમિ મUપૂ'િ 'નો અર્થ પૂર્વમાં બતાવ્યો. હવે “વિશ્વરિયંતવામિ ''નો અર્થ કરે છે અને “ક્રિયાન્તરથી વિરહિત” અપ્રમાદી ચારિત્રી છે. ક્રિયાન્તર વિરહિતનો અર્થ સ્પષ્ટ કરે છે. એક ક્રિયાથી બીજી ક્રિયા એટલે ક્રિયાન્તર. તેનાથી રહિત ક્રિયાન્તરવિરહિત. ક્રિયાન્તર વિરહિતનો સમાસ ખોલીને હવે અપ્રમાદી સાધુ કેવા પ્રકારની ક્રિયાન્તરને કરતા નથી, એ બતાવે છે પ્રત્યુપેક્ષણાદિ કરતા સ્વાધ્યાયને કરતા નથી, સ્વાધ્યાયને કરતા વસ્ત્રપાત્રાદિ પડિલેહણ અથવા ગમનાદિ કરતા નથી. આથી કરીને જ=અપ્રમાદી સાધુ ક્રિયાન્તરવિરહિત હોય છે આથી કરીને જ, આર્ષમાં=આગમમાં કહેવાયું છે ચિલ્થ ઇન્દ્રિયોના અર્થોને અને પાંચ પ્રકારના સ્વાધ્યાયને વર્જન કરીને તમુત્તી =તમૂર્તિ=ઈર્યાની મૂર્તિ=ઈર્યાસમિતિમાં જ પ્રવૃત્ત શરીરવાળા, તપુરવા–ઉપયોગથી ઇર્યાસમિતિને જ પુરસ્કાર કરનારા= ઇર્યાસમિતિમાં જ યત્ન કરનારા, સંગ-સંયમવાળા, રૂ૩િ gિ-ઇર્યાસમિતિમાં પ્રયત્ન કરે છે. ૩વકરે રિય gિ ના સ્થાને “સંગ િરિ" પાઠ ઉત્તરાધ્યયન સૂત્રમાં (અ. ૨૪ ગા. ૮) છે અને તે પ્રમાણે અહીં અર્થ કરેલ છે.
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy