________________
છઠ્ઠા આરાના મનુષ્ય.
पंचमसमछट्ठारे, दुकरुच्चा वीसवरिसआउणरा । मच्छासिणो कुरुवा, कूरा बिलवासि कुगइगमा ॥ १०५॥
શબ્દાર્થ – હિંમર-પાંચમા આરાના સરખા પ્રમાણુવાળા | મચ્છ માસિ-મછનું ભક્ષણ કરનારા છ-છઠ્ઠા આરામાં
કુવા-કદ્રુપ તુર ડાં-એ હાથ ઉંચા
રા-કૂર હૃદયવાળા વીસ વરસ૩-૨૦ વર્ષના આયુષ્યવાળા નિવાસ-બિલમાં વસનારા RT-મનુષ્ય
ગુરૂવા-દુર્ગતિમાં જનારા થાર્થ –પાંચમા આરાસરખા પ્રમાણવાળા છઠ્ઠા આરામાં મનુષ્ય બે હાથ ઉંચા. વિશ વર્ષના આયુષ્યવાળા, મજ્યભક્ષણ કરનારા, કુરૂપવાળા, કૂરચિત્તવાળા, બિલેમાં વસનારા અને મરીને દુર્ગતિમાં જનારા હોય છે . ૧૦૫
વિસ્તર–પૂર્વની ગાથાઓમાં પાંચે આરાઓનું સ્વરૂપ કહીને હવે અવસર્પિણીને છઠ્ઠો આ કેવું છે? તે કહેવાય છે –
છઠ્ઠા આરાના મનુષ્ય છે પાંચમા આરાના પર્યન્તભાગનું જ સ્વરૂપ કહ્યું તેમાંનું કેટલુંક દુઃખદસ્વરૂપ આ છઠ્ઠા આરામાં પણ ચાલુજ હોય છે, તે ઉપરાન્ત મનુષ્યોના સ્વરૂપમાં જે તફાવત છે દર્શાવે છે આ છઠ્ઠો આજે પણ ૨૧૦૦૦ વર્ષ પ્રમાણને એટલે પાંચમા આરા એટલે હોય છે. એમાં મનુષ્યનું શારીર ઉત્કૃષ્ટથી બે હાથ ઉંચું અને જઘન્યથી અંગુલના અસંખ્યાતમાભાગનું હોય છે. તથા આયુષ્ય પુરૂષનું ૨૦ વર્ષનું અને સ્ત્રીઓનું ૧૬ વર્ષનું હોય છે. તથા ગંગાઆદિ મહાનદીને કાંઠે બિલમાં વસનારા હોય છે, તે બિલમાંથી પ્રભાતે ૧ મુહુર્ત અને સંધ્યાકાળે ૧ મુહૂર્તમાં ભિલમાંથી શીધ્ર બહાર નીકળી દેડીને નદીમાંથી માછલાં પકડીને કિનારા ઉપર લાવીને નાખે, અને તે પ્રમાણે કરીને ૧ મુહૂર્ત પૂર્ણ થયે પુનઃ શીઘગતિએ બિલમાં આવી જાય છે, મુહુર્ત ઉપરાન્ત પ્રભાતે અતિશય સૂર્યતાપ અને રાત્રે અતિશય શીત પડવાથી બિલબહાર રહી શકાતું નથી. ત્યારબાદ કિનારાની રેતીમાં નાખેલા (વા દાટેલા) મા દિવસના આકરા તાપથી અને રાત્રિની અતિશય ઠંડીથી શેષાઈને તેના કલેવરો રસરહિત થયે તેવા સૂકામસ્યાનું ભક્ષણ કરે છે, જીવતા અથવા નહિં શેષાયેલા રસવાળા મા પચી શકે એવી તે મનુષ્યોની જઠરશક્તિ નથી, એ પ્રમાણે શુષ્કમભ્ય કાચબાના ભક્ષણવડે સંપૂર્ણ ૨૧૦૦૦ વર્ષ પર્યન્ત પિતાની આજીવિકા ચલાવે છે.
વળી એ મનુષ્યના શરીરના આકાર ઘણું કદરૂપ હોય છે, વળી આચારવિચારરહિત, માતા સ્ત્રી બેન આદિના વિવેકરહિત તિર્યંચ સરખા વ્યભિચારવૃત્તિવાળા, મોટા