SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત અને શરીરની ઊંચાઈ ૩ ગાઉની છે. બીજે સુષમ નામને આરે બે કેડાર્કડિ સાગરો૫મને છે. તેમાં મનુષ્યનું આયુષ્ય બે પશેપમ અને શરીરની ઉંચાઈ બે ગાઉની છે. ત્રી સુષમgષમ નામને આરો ૧ કે ડાકડિ સાગરોપમાને છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ૧ પલપમ અને શરીરની ઉંચાઈ ૧ ગાઉની છે. એ સર્વ ઉત્કૃષ્ટ આયુષ્ય તથા ઉંચાઈ કહી, પરંતુ જન્યથી તે એ ત્રણેમાં સ્ત્રીઓને જ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ જૂના આયુષ્ય, અને દેશના ૩-ર-૧ ગાઉની ઉંચાઈ કેવળ સ્ત્રીની જ જાણવી. એ ભારતઐરાવતક્ષેત્રમાં પરાવર્તન પામતા આરાઓમાં પણ એજ પ્રમાણ છે, તેમજ અવસ્થિત એ ત્રણ આરાવાળા યુગલિક ક્ષેત્રોમાં પણ એ જ પ્રમાણુ સદાકાળ જાણવું. તથા અહિ પલ્યોપમ અને સાગરોપમ કહા તે ઉદ્ધાર વા ક્ષેત્ર ભેટવાળા નહિં પરંતુ અદ્ધાભેરવાળા જાણવા એટલે અદ્ધાપલ્યોપમ અને અંદ્ધાસાગરોપમ જાણવા. છે ૯૩ . અવતરા :-હવે આ ગાથામાં એજ ત્રણ આરાના મનુષ્યના આહારનું પ્રમાણ તથા પૃષ્ઠકરંકનું (પાંસળીઓનું) પ્રમાણુ કહે છે – तिदइगदिणेहिं तूवरि-चयरामलमित्तु तेसिमाहारो । पिट्ठकरंडा होसय-छप्पन्ना तद्दलं च दलं ॥ ९४ ॥ શબ્દાર્થ – વગર માન-બર અને આમળું [ પિરારંજ-મૃણકરંડ, પાંસળીઓ મા-માત્ર, પ્રમાણને તદ્ રહૃ–તેને અર્ધભાગ Tયાયા–તે પહેલા ત્રણ આરાના મનુષ્યોનો આહાર અનુક્રમે ત્રણ બે એક દિવસને અન્તરે તુવેરના દાણા જેટલ બોરજેટલે અને આમળા જેટલું હોય છે, અને તે મનુષ્યોની પીઠની પાંસળીઓ અનુક્રમે ૨૫૬; તેનું અર્ધ ૧૨૮, અને તેનું અર્ધ ૬૪ હોય FIRL 1 . . નિરંતર–પહેલા આરાના મનુષ્ય દિવસમાં એકવાર તુવરના દાણા જેટલે આહાર કર્યા બાદ ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ પછી પુનઃ તુવર એટલે આહાર કરે, એટલે ત્રણદિવસ બાદ આહારની ઈચ્છા થાય, પરંતુ એક દિવસમાં અનેકવાર કે દરરોજ આહાર કરતા નથી. એ મનુષ્ય કલ્પવૃક્ષના પત્ર પુષ્પ ફળ આદિને આહાર કરે છે, અથવા મૃત્તિકા (માટી) વિગેરે પણ આહાર કરે છે, તે પત્રપુષ્પાદિ એવાં મધુર સ્નિગ્ધ અને તૃપ્તિ કરનાર છે કે જેથી તુવરના કણ જેટલા આહારથી પણ ત્રણદિવસ સુધી આહારની ઈચ્છા થતી નથી. તથા એ મનુષ્યનાં શરીર ત્રણ ગાઉ જેટલાં ઉચાં હોવાથી બરડાની પાંસળીઓ પણ ૨૫૬ જેટલી હોય છે, એ પ્રમાણે બીજા આરાના મનુષ્યોને બે દિવસને અંતરે આહારની ઈચ્છા થાય છે, અને ઈચ્છા થેયે બેર જેટલે
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy