________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત
વળી એ ચારે કુંડ ૧૦ એજન ઉંડા છે, પાણીની ઉપલી સપાટી કુંડના કિનારાને અડીને રહી છે, અર્થાત કુંડની ઉપલી કિનારી સુધી જળ પૂર્ણ ભરેલું છે. એ કુંડની ભીત્તિઓ વજના પાષાણથી બંધાયેલી છે, કુંડનું તળીયું પણ વજા મય છે, કુંડના જળમાં પ્રવેશ કરે હોય તે સુખે પ્રવેશ કરી શકાય અને જળમાંથી સુખપૂર્વક બહાર નિકળી શકાય એવા એવારા તથા ઉતારા [ઘાટ) બાંધેલા છે. અને નીચે સુધી ગેતીર્થ જળ છે, અર્થાત્ અનુક્રમે ઉતરતી ભૂમિવાળું છે. જેથી કુંડના કિનારેજ ૧૦
જન ઉંડાઈ નથી પરંતુ અતિ મધ્ય ભાગમાં છે, એ કુંડામાં અનેક જાતિનાં વનસ્પતિકમળો છે, અનેક જળચર વડે વ્યાપ્ત છે, ઈત્યાદિ વિશેષ વર્ણન સૂત્ર સિદ્ધાન્તથી જાણવા યોગ્ય છે.
જેવા એ ચાર બાઘકુંડો કહ્યા તેવા જ પ્રકારના બીજી ૮૬ નદીઓના ૮૬ કુંડનું સ્વરૂપ પણ એ સરખું જ છે, પરંતુ તે કુંડમાં ૧ કુંડનો વિસ્તાર ૨ દ્વિીપનો વિસ્તાર અને ૩ વેદિકાના ત્રણ રણ વિસ્તાર એ ત્રણ પ્રકારના વિસ્તારમાં તફાવત છે કે જે કહેવાતી ૫૪ મી ગાથામાંજ કહેવાશે, તધા આ કુંડમાં પૃથ્વીમય કમળો કહેલાં દેખાતાં નથી, માટે કેવળ વનસ્પતિકમળેજ હશે એમ સમજાય છે.
તથા દ્રહ અને કુંડમાં તફાવત એ છે કે-દ્રહો લંબચોરસ આકારવાળા કહ્યા છે અને કુંડ સર્વત્ર વૃત્ત આકારના કહ્યા છે. જળનો ચઢાવ ઉતાર વિગેરે સ્વરૂપમાં તો કુંડ અને દ્રહ બન્ને સરખી રીતે જ કહ્યા છે. કિંચિત્ વિશેષતા કઈ કઈ બાબતમાં છે. પડે છે
અવતરણ–પૂર્વ ગાથામાં નવાં તે એ પદથી ૮૬ કુંડામાં જે તફાવત કહેવા બાકી રાખ્યા હતા તે તફાવત ત્રણ પ્રકારને આ ગાથામાં કહેવાય છે—
एसि वित्थारतिगं, पडुच्च समदुगुण चउगुणगुण । चउसहि सोल चउदा, कुंडा सव्वेवि इह णवई ॥ ५४॥
શબ્દાર્થ – f*-એ ચાર કુડના
સોવિં–સર્વે પણ કુડો વિરાતિ-ત્રણ વિસ્તારને
હેં–આ જંબૂદ્વીપમાં વહુ-આશ્રયિને
વર્ર–નેવુ થા—[ પરંતુ તે ૮૬ કુંડ] એ ચાર કુંડના ત્રણ વિસ્તારની અપેક્ષાએ વિચારતાં ૬૪ કુંડ સરખા વિસ્તારવાળા છે, ૧૬ કુંડ બમણા વિસ્તારવાળા છે, ૪ કુંડ ચાર ગુણ વિસ્તારવાળા છે, અને બે કુંડ આઠ ગુણ વિસ્તારવાળા છે, એ રીતે આ જંબુદ્વીપમાં સર્વ મળીને [૪૬૪+૧૬+૪+૨=] ૯૦ કુંડ છે. ૫૪