SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ ગુજરાતી ભાવાનુવાદ તેણે પૂર્ણ કરી છે. (અપરાજિતને જોઈને) પૂર્વ ભવના પ્રેમના કારણે પ્રીતિમતિના શરીરમાં રેશમાંચા પ્રગટ થયાં અને એથી તેનાં વસ્ત્રો હાલી ઉથાં. પછી તેણે અપરાજિતના કંઠેમાં વિશુદ્ધ માળાનું આરોપણ કર્યું.. આથી રાજાએ ક્ષેાભ પામીને શરમ વિના આ પ્રમાણે ખેલવા લાગ્યા :– અરે ! આ કાપડીયા વળી કાણુ છે? કે જે અમે વિદ્યમાન હોવા છતાં આ કન્યાને પરણશે ? આ પ્રમાણે પ્રચંડ ઉદ્યમવાળા અને કાપથી પૃથ્વીને કંપાવનારા તે રાજાએ યુદ્ધ કરવા માટે જેમ સર્પો ગરુડની પાસે ઉપસ્થિત થાય તેમ અપરાજિતની પાસે ઉપસ્થિત થયા. કુમાર એક હેાવા છતાં જાણે બહુરૂપી હોય તેમ, તેણે પવન ફોતરાને ફેંકી દે તેમ ચારે બાજુએથી બધા રાજાઓને પરાસ્ત કર્યા. પૂર્વે સ્રીએ શાઓથી પુરુષાને જીત્યા હતા, અને હમણાં એક પુરુષે શસ્ત્રાથી અમને જીતી લીધા એમ વિચારીને ફરી ભેગા થઈને રાજાએ લડવા લાગ્યા. જેમ ઇંદ્ર માટા પતાને પણ પાડી નાખે તેમ અપરાજિતે વેગથી કુદી કુદીને રાજાએને ખળ વિનાના કરીને પાડી નાખ્યા, પછી સામપ્રભ નામના મામાએ ભયંકર યુદ્ધમાં પણ વાદળમાં ઢંકાયેલા સૂર્યની જેમ તેને ઓળખી લીધા. તેનાથી અટકાવાયેલા રાજાએ ક્ષણવારમાં યુદ્ધ કરતા અટકી ગયા. મામાએ કુમારને સર્વ અંગામાં આલિંગન કરીને આ પ્રમાણે કહ્યું: હું ભાણેજ ! ઘણા સમયે તું જોવામાં આવ્યા. તું ભ્રમરની જેમ કેમ ભમે છે? તારી શેાધ મેળવવા માટે તારા માતા-પિતા દુઃખી થઈ રહ્યા છે. તે રાજાઓએ પિતાના યાત્રિક ( =સ્વજન ) થઇને મહાત્સવપૂર્વક અપરાજિતના પ્રીતિમતીની સાથે વિવાહ કરાવ્યા. જિતશત્રુરાજાએ પોતાના મંત્રી સુમતિની પુત્રીને અપરાજિતના વિમલબાધ નામના મિત્રની સાથે પ્રેમથી પરણાવી. વિવાહરૂપ મંગલ થઇ ગયા પછી તે બંનેએ પાતાનું સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું. પછી રાજાથી સત્કારાયેલ તે બંનેએ પાતપેાતાના સ્થાનને અલંકૃત કર્યું. અપરાજિત કુંડનપુરમાં રહેલા છે એમ જાણીને હિરનદી રાજ્યએ તેને માલાવવા માટે મહામંત્રી કીર્તિરાજને ત્યાં મેાકલ્યા. અપરાજિતે પેાતાની ખેચરી અને ભૂચરી એ સર્વ પત્નીઓને કુંડનપુર ખેલાવી લીધી. પછી સસરાની રજા લઈને પ્રીતિમતી (વગેરે સવ પત્નીઓ)ની સાથે ત્યાંથી ચાલ્યા. દાનથી પૃથ્વીના લેાકેાને ખુશ કરતા અને સમૃદ્ધિથી મોટા ઇંદ્ર જેવા જણાતા તે થાડા જ દિવસોમાં સિંહપુર નામના નગરમાં આવ્યા. અપરાજિત ઉત્કંઠાપૂર્વક પિતાના ચરણામાં નમ્યા. તેની પત્ની માતાને હર્ષ થી નમી. મનેાતિ અને ચપલગતિ એ બે જીવેા દેવલાકમાંથી ચવીને અપરાજિ તના સૂર અને સામ નામના નાનાભાઈ થયા હતા. તે એ અપરાજિતને નમ્યા. એકવાર હરિનદીએ પુત્રને રાજ્ય ઉપર બેસાડ્યો, અને પાતે દીક્ષા લઈને માક્ષમાં ગયા. વિમલએાધ અપરાજિત રાજાના મંત્રી થયા, પ્રીતિમતી તેની પટ્ટરાણી થઇ, અને એ
SR No.022170
Book TitleShilopadeshmala
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
PublisherSalvina Adishwar Bhagwan Jain Derasar Trust
Publication Year1993
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy