SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ધ સંગ્રહ ૩૦ ભા૦ સાગદ્વાર ગા. ૧૯ મળી ગયેલું, પરમાંથી વિદ્યમાન, અનંતાનંત પરમાણુના સમૂહવાળુ, રૂપી, જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિવાળું આઠ પ્રકારનું કર્મ, અહીં આત્માને અધ્યમાન કહેવાથી સાંખ્યદર્શનના મતે આત્માના અંધ કે મેાક્ષ થતા નથી અને તે નવાં નવાં રૂપોને ધારણ પણ કરતા નથી. માત્ર ભિન્ન ભિન્ન રૂપાને ધારણુ કરનારી તેા પ્રકૃતિ છે, તે જ બધાય છે અને છૂટે છે, વગેરે સાંખ્ય દર્શનનું મન્તવ્ય મિથ્યા છે, તેના મતે તેા ક્રિયા કરવા છતાં આત્માના તા ખધ-માક્ષ થાય જ નહિ, તેથી તેના વિધિ-નિષેધો કે તદનુરૂપ ક્રિયા બધું નિષ્ફળ ગણાય. વળી કર્મીને ખંધન માનવાથી બૌદ્ધદર્શનની માન્યતા મિથ્યા ઠરે છે. તેના મતે આત્માથી અભિન્ન રાગ-દ્વેષ વગેરે દૂષણાવાળા મલિન આત્મા તે જ સસાર અને એ ાથી મુક્તિ તે જ માક્ષ, તેના મતે આત્માને બાંધનારી કમ જેવી કોઈ ભિન્ન વસ્તુ છે જ નહિ, આત્મા પોતે જ અધ્યમાન અને પોતે જ અધન છે, એ માન્યતા મિથ્યા કરે છે. કારણ કે ખધ્યમાન અને અધન એ જગતમાં ભિન્ન જ હોય છે. એમ યુક્તિપૂર્વક અંધ, મેાક્ષ તથા અધ્યમાન અને ખંધનનું સ્વરૂપ સમજાવીને કારણ વિના કાર્ય થાય નહિ, માટે ખ'ધનના હેતુએ પણ જણાવવા જોઈએ, તેમાં હિંસા, અસત્ય, ચારી, મૈથુન, મૂર્છા, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા અને લાભ, એ દશ પ્રકારના જે દુષ્ટ પરિણામા તે દુઃખમય સસારના ખીજભૂત પાપકર્મના હેતુઓ છે, તેના વશ પડેલા આત્મા પાપકર્મ દ્વારા બંધાય છે માટે ખંધનના હેતુ છે અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, મૂર્છાત્યાગ, તત્ત્વશ્રદ્ધા, ક્ષમા, નમ્રતા, સરળતા અને સાષ એ દર્શાવધ શુભ પિરણામેાથી ખ’ધન તૂટે છે માટે તે મુક્તિના હેતુ છે. પ્રત્યેક કાર્ય કારણને અનુરૂપ બને છે, તેમ અહી પણુ અશુદ્ધ પિરણામથી ખંધ અને શુદ્ધ પરિણામથી માક્ષ થાય છે, વગેરે સમજાવવું. બળી જીવ અનાદિ છે, તેમ આ કર્મરૂપ બંધન (પણ) પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે, જીવને આ અ`ધનના આદિ કાળ કોઈ જ નથી. પ્રશ્ન- અનાદિ સબંધને અંત કેમ થાય ? ને અનાદિના અંત થાય તા જીવના પણ અંત (નાશ) થવા જોઇએ, અનાદિ છતાં જીવ શાશ્વત અને કર્મબંધ નાશવંત, એ કેમ મનાય? ઉત્તર- પ્રવાહથી અનાદિ અને સ્વરૂપથી અનાદિ એમ અનાદ્ધિ બે પ્રકારે હોય છે, તેમાં જે પ્રવાહથી અનાદિ હોય તેના નાશ થાય, સ્વરૂપથી અનાદિના નાશ ી ન થાય. જેમ કે દરેક માણસના પિતા-દાદા-પરદાદા વિંગેરે વંશ અનાદિ છે, તેની કાઈ આદિ નથી, છતાં વંશના અંત (નિવંશ) થાય છે, કારણ કે તે પિતા-દાદા-પરદાદા વિગેરેના વંશ ક્રમથી (પરપરાથી) અનાદિ છે. તે રીતે કર્માંના બધ પણ સ્વરૂપે અનાદિ નથી, નવાં નવાં કર્મોના અધરૂપ પ્રવાહથી અનાદિ છે માટે તેના અંત થઈ શકે છે. જીવ પદાર્થ સ્વરૂપે અનાદિ છે માટે તેના સર્વથા નાશ કોઈ રીતે કદાપિ થતા
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy