SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪ દિનચર્યા – દિન સૂત્રનાં અર્થ ૨૫૯ અથ– ઈન્દ્રિઓ અને કષાયથી કર્મ બંધાય તેમાં મુખ્ય હેતુ અજ્ઞાન છે, અને અજ્ઞાનથી જ્ઞાનમાં અતિચાર લાગે છે, માટે કહે છે કે રાગ અથવા દ્વેષને વશ થયેલી અપ્રશસ્ત ઈન્દ્રિયેથી અને અપ્રશસ્ત કષાયથી, એમ અજ્ઞાનથી મેં જે કર્મ બાંધ્યું હોય તેને નિંદુ છું અને ગહ કરું છું એ અર્થ બીજી ગાથા પ્રમાણે સર્વત્ર જાય. હવે સમ્યગ દર્શન તથા ચક્ષુદર્શનના અતિચારો વિષે કહે છે કે ગામને જામળે, ટાળે મને અમોને મfમને જ નિરો, વહિને રિઝ વા અર્થ- મિથ્યાષ્ટિઓના વરડા વગેરે જેવાના તૂહલથી ત્યાં આ + ગમન = સર્વ રીતે જવું, ત્યાંથી પાછા ફરવું, તેઓની દહેરીઓ વગેરે હોય ત્યાં ઉભા રહેવું, ત્યાં આમતેમ ફરવું, તે બધું અનુપગથી, અજ્ઞાનથી, રાજા કે જનતાના બલાત્કારથી અથવા નગરશેઠ વગેરે પદવીને કારણે ઔચિત્યરૂપે કરવામાં મેં જે કર્મ બાંધ્યું હોય તે દિવસ સંબંધી સર્વપાપનું પ્રતિક્રમણ કરું છું. એ અર્થ ત્રીજી ગાથા પ્રમાણે સર્વત્ર જાણે. હવે સમકિતના અતિચારોના પ્રતિક્રમણ માટે કહે છે કે ત્તા-હ-જિનિછા, ઉત્તર તદ રંથ કુળિg समत्तस्सइयारे, पडिक्कमे देसि सव्य ॥६॥" અર્થ– જિનકથિત છવાછવાદિ તમાં તે સત્ય હશે કે નહિ?' એવી શંકા, અન્ય ધર્મીઓના દયા -દાન, ક્ષમાદિ લેશ ગુણો જાણીને તે ધર્મની અભિલાષા કરવી તે કાંક્ષા, દાનાદિ ધર્મક્રિયાઓનું ફળ મળશે કે નહિ? એ સંદેહ કરે, અથવા સાધુ-સાધ્વીના મલમલિન ગાત્ર-વસ્ત્રાદિ પ્રતિ અણગમો કરે તે વિગચ્છા અથવા પાઠાંતર વિ8છા, અન્ય ધર્મીઓની પ્રગટ પ્રશંસા અને તેઓના સાધુ વગેરે સાથે પરિચય. એ સમ્યકત્વના પાંચ અતિચારેનું પ્રતિક્રમણ કરું છું, વગેરે પૂર્વ કહ્યું તેમ. હવે સર્વ સામાન્ય ચારિત્રાચારની શુદ્ધિ માટે કહે છે કે "छक्कायसमारभे, पयणे य पयावणे य जे दोसा । अत्तठ्ठा य परट्ठा, उभयटा चेव त निंदे ॥७॥" અર્થ – પિતાને માટે, પર (પ્રાથૂર્ણકાદિ)ને માટે અને “ચ” શબ્દથી સ્વ-પર ઉભય માટે, સ્વયં પાક (રઈ) કરવાથી, કરાવવાથી અને “ચ” શબ્દથી અનુમેદવાથી, પૃથ્વીપાણી – અનિ-વાયુ- વનસ્પતિ અને ત્રસ એ છક્કાય જીને સમારંભ એટલે પીડા કરવાથી તથા તુલાઘટીન્યાયે સંરંભ અને આરંભ પણ લેવા, તેમાં સંરંભ એટલે તે સંકલ્પ કરવાથી અને આરંભ એટલે ઉપદ્રવ (પ્રાણુનાશ) કરવાથી, જે દોષ લાગ્યું હોય તેને હું બિંદુ છું. બીજી રીતે “હું સાધુઓ માટે ભેજનાદિ તૈયાર કરીશ તે મને પુણ્ય થશે” એવી મુગ્ધ
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy