________________
પ્ર૦ ૪ દિનચર્યા-જયવીયરાય સૂત્રનાં અથ
૧૭૭
"चत्तारि अट्ठ दस दाय, व दिआ जिणवरा चउव्वीस ।
परमट्टनिटिअट्ठा, सिद्धा सिद्धिं मम दिसतु ॥५॥ અથ– (અષ્ટાપદ પર્વત ઉપર શ્રીભરતચકોએ સિંહનિષદ્યા નામનો પ્રસાદ બનાવીને તેમાં દક્ષિણાદિ દિશાના ક્રમે પ્રતિષ્ઠિત કરેલા) ચાર, આઠ, દશ અને બે, એમ ચોવીસ જિનેશ્વરે, કે પરમાર્થથી જેઓનાં સર્વ અર્થ એટલે પ્રજને નિષ્ઠિત=સમાપ્ત થવાથી સિદ્ધ છે, તેઓ મને સિદ્ધિને - મુક્તિને આપ! ઉત્કૃષ્ટ ચિત્યવંદનમાં અષ્ટાપદ તીર્થની વંદનારૂપ આ અગિયારમાં અધિકાર કહ્યો, આ ચત્તારિ અડ્ર- દશ અને દો પદોનું વિવિધ રીતે ગણિત કરવાથી વિવિધ પ્રકારે તીર્થાદિની સ્તવના થાય છે, (તે મૂળ ભાષાંતરના પૃષ્ટ ૪જી જેવું.)
આ સૂત્રનું શાસ્ત્રીય નામ “સિદ્ધસ્તવ” છે, તેની સંપદાઓ પદો જેટલી વીસ છે અને વણે એકસે છોરોર છે.
હવે ઔચિત્ય ધર્મનું ભૂષણ છે માટે અરિહંતાદિની સ્તવના પછી ઔચિત્યરૂપે તેમના શાસનની અને સંઘની સેવા તથા પ્રભાવના કરનારા દેવની સ્તુતિ કરે છે
વાવાળTIળ, સતિના, મારિરિ
"લાબ' લખાવ૬મદિરા', જેમ કરતાં ” અર્થ– શ્રીજનશાસનની સેવા કરનારા ગોમુખ વગેરે યક્ષો, ચકેશ્વરી વગેરે યક્ષિણીઓ અને અપ્રતિચકા વગેરે વિદ્યાદેવીએ, કે જેઓ સર્વલેકમાં શાન્તિ કરનારા અને સમકિતંદષ્ટિ ઇને સમાધિ (માં સહાય) કરનારા છે માટે તેઓને ઉદ્દેશીને કાર્યોત્સર્ગ કરું છું. કહીને દેવ અવિરતિ હોવાથી તેમને વંદન પૂજન વગેરે થઈ શકે નહિ, માટે “વંદણત્તિયાએ” વગેરે પાઠ છોડી લાગતું જ “અન્નત્ય” સૂત્ર કહેવું. પછી એક નવકારને કાઉસ્સગ કરીને નમોહંતુ કહેવા પૂર્વક વૈયાવચ્ચકર દેવ-દેવીની સ્તુતિ કહેવી. ઉત્કૃષ્ટ રચૈત્યવંદનમાં સમકિત-દ્રષ્ટિ દેના સ્મરણરૂપ આ બારમે અધિકાર જાણ. તે પછી ચિત્યવંદન (ગ) મુંદ્રાએ નીચે બેસીને પૂર્વવત્ નત્થણું સૂત્ર કહી છેલ્લે મુકતા-શુકિત મુદ્રાથી મસ્તકે બે હાથ જોડીને “જય વિયરાય” વગેરે પ્રાર્થના સૂત્ર નીચે પ્રમાણે કહેવું.
"जय वीयराय! जगगुरु! होउ मम तुहप्पभाषओ भयव। . भव - निव्वेओ मग्गाणुसारिआ इफलसिद्धि ॥१॥" लेोगविरुद्धञ्चाओ, गुरुजणपूआ परत्थकरण च ।
સુશુક્ર - તથા - તેવા સમયમાં રા” અર્થ– હે વીતરાગ! હે જગગુરુ! તમારે જય થાઓ ! હે ભગવંત! તમારા પ્રભાવથી (મને)ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, ઈષ્ટફળસિદ્ધિ, લેકવિરુધ્ધત્યાગ, ગુરુજનપૂજા અને પરાર્થકરણ,