SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ શુકલધ્યાન આ ધ્યાન કેને આવે ? કે અ-રાગભાવવાળાને આવે. જ્યાં સુધી અંતરાત્મામાં રાગપરિણામ જાગતે હેય ત્યાં સુધી આ પ્રથમ શુકલધ્યાનનું સૂક્ષમ પદાર્થનું ચિંતન આવી શકે નહિ, કેમકે રાગના લીધે આત્માનું એ રાગના વિષય તરફ ખેંચાણ છે, તેથી શુકલધ્યાનના સૂક્ષ્મ વિષયમાં મન તન્મય એકાગ્ર બની શકે નહિ. હવે શુકલધ્યાનને બીજો પ્રકાર કહે છે, વિવેચન -૨જુ ફલધ્યાન એકત્વ-વિતર્ક-અવિચાર – શુકલધ્યાનને ૨ જે પ્રકાર “એકત્વ-વિતર્ક-અવિચાર” નામે છે. આ પ્રકાર પહેલા પ્રકાર કરતાં અત્યંત નિપ્રકંપ યાને સ્થિર હોય છે. જેમ ઘરના પવન વિનાના ભાગમાં રહેલ દીવાની ત સહેજ પણ હાલતી–ફરફરતી નથી હોતી, કિન્તુ એક જ સ્થિર અવસ્થામાં હોય છે, એ રીતે બીજા શુકલધ્યાનમાં ચિત્ત અત્યંત સ્થિર બની ગયું હોય છે. પહેલા પ્રકારમાં તે ઉત્પત્તિસ્થિતિ–નાશ વગેરે વસ્તુ પર્યાયમાં એક પર્યાય પરથી બીજા પર્યાય ઉપર ચિત્ત જતું હતું, ત્યારે આમાં એમાંના ગમે તે એક પર્યાય પર ચિત્ત સ્થિર લાગી જાય છે. એટલું જ નહિ પણ અવિચાર–પહેલા પ્રકારમાં ચિત્ત અર્થ પરથી શબ્દ પર યા પેગ પર વિચરણવાળું યાને સંક્રમણવાળું હતું, ત્યારે આમાં અર્થ—વ્યંજન–ગમાં સંક્રમણ નથી હતું. જે એક પદાર્થ યા શબ્દ કે યોગ પર મનની લીનતા થઈ તે થઈ એવી ચિત્તની અત્યન્ત સ્થિરતા હોય છે. વળી આમાં
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy