SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્યજીવ કોઈ બાકી સંસારમાં રહેશે નહીં. ઉત્તર - તથાપ્રકારે-શ્રેણિબંધ ભવ્યજીવો સિદ્ધિમાં જાય છે. તો પણ અહીં જીવો અનંતાનંત હોવાથી ભવ્યનો વિચ્છેદ થશે નહીં. શંકા - વનસ્પત્યાદિકને વિષે અનંતકાળની કાયસ્થિતિ છે તો પણ તેનો ક્ષય થાય છે તેમ અનંતી ભવ્યરાશિનો પણ ક્ષય કેમ નહીં થાય? ઉત્તર - આ ભવ્ય જીવોનું અનંતક સમયની જેમ અનંતાનંતક છે. એટલે કે જેમ ક્ષણે ક્ષણે સમયોનો અતિક્રમ થયા છતાં પણ અનંતાનંતક હોવાથી તેનો ક્ષય થવાનો નથી, તેમ ભવ્યજીવોનો પણ ક્ષય થવાનો નથી. શંકા- “વીતી ગયેલી ઋતુઋતુઓ ફરી ફરીને આવે છે અને ક્ષય પામેલો ચંદ્ર ફરી ઉદય પામે છે, પરંતુ નદીનું જળ અને મનુષ્યનું આયુષ્ય એ ગયું છતું પાછું આવતું નથી.” આ પ્રમાણે પંડિતોએ કહ્યું છે. છતાં કેમ કહેવાય છે કે ગયો કાળ પાછો આવતો નથી ? ગયેલો કાળ તો પાછો આવે છે. ઉત્તર - એ તો માત્ર વ્યવહારથી જ કહેવાય છે કેમ કે તે જ કાળ પાછો આવતો નથી. માત્ર તે નામની ઋતુ વિગેરે આવે છે. જો કાળ પાછો આવતો હોય તો કાળનો સ્વભાવ બાલ્યાદિક અવસ્થા કરનાર હોવાથી તે 214 श्री पञ्चसूत्रम्
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy