SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ યદ્યપિ આત્મા અને કાળને છોડીને અન્ય શરીરાદિસ્વરૂપ આત્મોપાધિમાં અવચ્છેદકતાસંબંધથી અને અનિત્ય ઘટપટાદિ સ્વરૂપ કાલોપાધિમાં કાલિકસંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ હોવાથી તેને લઇને ઉપર જણાવ્યા મુજબ આશ્રયાસિદ્ધિદોષ અવસ્થિત જ છે. પરંતુ અહીં ગ્રાત્માન પદથી આત્મોપાધિસ્વરૂપ શરીરાદિનું અને કાલોપાધિસ્વરૂપ અનિત્ય ઘટપટાદિનું પણ ગ્રહણ કર્યું છે. તેથી આત્મા, કાળ અને આત્મકાલોપાધિથી અન્ય આકાશાદિમાં દુઃખધ્વંસ વૃત્તિ ન હોવાથી આશ્રયાસિદ્ધિદોષ નહીં આવે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. II૩૧-૧|| મોક્ષસાધક અનુમાનના પક્ષનું વિવેચન કરીને હવે તેના સાધ્ય અને હેતુનું નિરૂપણ કરાય છે— सत्कार्यमात्रवृत्तित्वात्, प्रागभावोऽसुखस्य यः । तदनाधारगध्वंसप्रतियोगिनि वृत्तिमत् ॥३१-२॥ सदिति - असुखस्य दुःखस्य यः प्रागभावस्तदनाधारो महाप्रलयस्तत्र गच्छति यो ध्वंसो दुःखीयस्तत्प्रतियोगिनि दुःखे वृत्तिमदिति साध्यं । वृत्तिमदित्युक्तौ सिद्धसाधनं, दुःखत्वस्य दुःखे विद्यमानत्वात् । प्रतियोगिवृत्तित्वोक्तावपि दुःखात्यन्ताभावप्रतियोगिवृत्तित्वेन तद्ध्वंसेत्याद्युक्तावपि दुःखध्वंसाङ्गीकारात्तदेव । प्रागभावानाधारवृत्तित्वस्य ध्वंसविशेषणत्वे दृष्टान्तासिद्धिः प्रदीपावयवानां प्रदीपप्रागभावाधारत्वात्तदर्थं दुःखेत्यादि, प्रदीपावयवास्तु दुःखप्रागभावानाधारभूता इति दृष्टान्तसङ्गतिः । दुःखानधिकरणेत्यादिकरणे खण्डप्रलयेनार्थान्तरता स्यादिति दुःखप्रागभावनिवेशः । सत्कार्यमात्रवृत्तित्वादिति हेतुः । वृत्तित्वमात्मत्वे व्यभिचारि कार्यवृत्तित्वमनन्तत्वे ध्वंसाप्रतियोगित्वरूपस्य तस्याकार्ये आत्मादौ कार्ये ध्वंसे च सत्त्वात् । कार्यमात्रवृत्तित्वमपि ध्वंसत्वे व्यभिचारवृत्तित्वे (व्यभिचारि तदर्थं भाववृत्ते) सतीति विशेषणे दीयमानेऽपि न तदुद्धारः । प्रागभावध्वंसस्य प्रतियोगितद्ध्वंसस्वरूपत्वेन ध्वंसत्वस्यापि भाववृत्तित्वात् । ततः सदिति कार्यविशेषणम् ।।३१-२।। તાદેશ (આત્મકાલાન્યગગનાદિવૃત્તિ ધ્વંસના પ્રતિયોગીમાં અવૃત્તિ) દુઃખત્વ - “દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વંસના પ્રતિયોગીમાં વૃત્તિ છે. કારણ કે તેવું દુઃખત્વ સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે.” આ પ્રમાણે બીજા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફ૨માવ્યું છે કે – અસુખ એટલે દુઃખ, તેનો જે પ્રાગભાવ, તેનો અનાધાર(અનધિકરણ) મહાપ્રલયકાળ, એમાં રહેનારો જે ધ્વંસ તે દુઃખનો ધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુ:ખત્વ (તાદેશ દુઃખત્વ) વૃત્તિ હોવાથી તાદેશદુઃખત્વમાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિધ્વંસપ્રતિયોગિનિરૂપિત વૃત્તિતા(સાધ્ય) છે. - માત્ર ‘વૃત્તિમત્ત્વ'(વૃત્તિતા)ને સાધ્ય માનવામાં આવે તો દુઃખત્વ(તાદેશ દુઃખત્વ)રૂપ પક્ષમાં દુઃખનિષ્ઠાધિકરણતા-નિરૂપિત વૃત્તિતા સિદ્ધ જ હોવાથી સિદ્ધસાધન દોષ આવે છે. પ્રતિપક્ષી જેને માનતા નથી, તે અસિદ્ધને સાધ્ય બનાવાય છે. અન્યથા પ્રતિપક્ષીને જે સિદ્ધ છે એક પરિશીલન ૨૨૫
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy