SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિભગવંતે સંભ્રાંતિરહિત અને મૂચ્છરહિત થઈને આ ક્રમના યોગ વડે ભાત પાણીની ગવેષણા કરવી' ઇત્યાદિ જણાવીને તે તે સૂત્રોમાં પિંડાદિગ્રહણ વગેરેનો વિધિ જણાવ્યો છે. “રંગનો સમૂહ જતો રહી પીળાં પડી ગયેલાં વૃક્ષોનાં પાંદડાં જેમ પડી જાય છે તેમ મનુષ્યનું જીવન ક્ષણિક છે. માટે હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો યોગ્ય નથી.”.. ઇત્યાદિ અર્થને જણાવનારાં કુમત્તિકંકુ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.-૧૦)... ઇત્યાદિ સૂત્રો ઉદ્યમ સૂત્રો છે. તે ઉદ્યમ કરવાનું જણાવે છે. નરકને વિશે માંસ, લોહી વગેરેનું જે જે સૂત્રોથી વર્ણન કરવામાં આવ્યું છે, તે નરકાદિનો ભય દેખાડવા માટે પ્રસિદ્ધ વસ્તુને લઈને જ કરવામાં આવ્યું છે. ખરી રીતે તો વૈક્રિયશરીરોમાં તે હોતાં નથી. તેમ જ દુઃખના વિપાકોનું જે વર્ણન કરાય છે તે તે વર્ણનો; ભય પેદા કરાવીને પાપની નિવૃત્તિ કરાવવા માટે છે. એવાં વર્ણનોવાળાં વિપાકસૂત્રાદિ ભયસૂત્રો છે. “ઇત્યાદિ છ જવનિકાયનો સ્વયં દંડન આરંભે...' ઇત્યાદિ અર્થને જણાવનારાં “પ્તિ છË નીવનિયાનું (શ્રી દશવૈકાલિક સૂત્ર, અ.-૪)...” ઇત્યાદિ ઉત્સર્ગસૂત્રો છે. “ગુણથી અધિક અથવા સમાન એવો નિપુણ સહાયક ન મળે તો પાપકર્મનો ત્યાગ કરી તેમ જ કામભોગની આસક્તિનો ત્યાગ કરી એકલો પણ વિચરે'. ઇત્યાદિ અર્થને જણાવનારાં “ર યા નમિન્ના નિ . (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.-૩૨) ઇત્યાદિ તેમ જ છેદગ્રંથોનાં સૂત્રો અપવાદસૂત્રો છે. અપવાદ અને ઉત્સર્ગ જેમાં એક સાથે વર્ણવેલા હોય તે તદુભય (ઉત્સર્ગોપવાદ) સૂત્રો છે. “આર્તધ્યાન થતું ન હોય તો સમ્યફ પ્રકારે રોગ સહન કરવો; પરંતુ આધ્યાન થતું હોય તો વિધિપૂર્વક રોગનો પ્રતિકાર કરવા પ્રયત્નશીલ બનવું... ઇત્યાદિ અર્થને જણાવનારા ‘રક્ષામાવે સંપ્ન દિયાસિયવ્યકો વાદી’... વગેરે સૂત્રો તદુભયસૂત્રો છે. તેમ જ જ્ઞાતાધર્મકથાદિનાં સૂત્રો વર્ણકસૂત્રો છે. તેમાં મહાપુરુષોનાં જીવનચરિત્રો અને નગર વગેરેનાં વર્ણન કરાયેલાં હોવાથી તે વર્ણકસૂત્રો છે. આવી જ રીતે સ્વસમય-પરસમય; વ્યવહાર-નિશ્ચય અને જ્ઞાન, ક્રિયા વગેરેનું વર્ણન કરનારાં અનેક પ્રકારનાં સૂત્રો છે. તે તે પ્રકારે તે તે સૂત્રોના વિષયવિભાગને સમજ્યા વિના જેઓ નિરૂપણ કર્યે રાખે છે તેઓ પટુ નિપુણ) નથી હોતા. જેઓ ઉપર જણાવ્યા મુજબ વિધ્યાદિસૂત્રોના વિષય-વિભાગને સમજીને કથા કરે છે; તેઓ પટુ છે. -૨ ઉપર જણાવ્યા મુજબ વિધ્યાદિ સૂત્રોના વિષય-વિભાગને જાણ્યા વિના કથા કરવાથી જે વિપરીત ફળની પ્રાપ્તિ થાય છે - તે જણાવવાપૂર્વક કથાના વિષયમાં અધિકારી જણાવાય છે– एवं होकान्तबुद्धिः स्यात्, सा च सम्यक्त्वघातिनी । विभज्य वादिनो युक्ता, कथायामधिकारिता ॥९-३०॥ “આ પ્રમાણે વિધિ, ઉદ્યમ અને ભય વગેરે સૂત્રોનો પરિચ્છેદ કર્યા વિના દેશના આપવાથી એકાંતબુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તે સમ્યકત્વનો ઘાત કરનારી બને છે. તેથી વિધ્યાદિસૂત્રના ૭૨ કથા બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy