________________
કરાયેલી કથાથી ઉપર જણાવ્યા મુજબ શ્રોતાને આક્ષેપણીકથા સ્વરૂપ કલ્પવેલડીના રસ સ્વરૂપ વિદ્યા, ક્રિયા વગેરેની પ્રાપ્તિ થાય છે, જે શ્રોતાના ચિત્તને કથામાં આકૃષ્ટ કરે છે. II૯-૮. બીજી વિક્ષેપણીકથા સ્વરૂપ ધર્મકથાનું નિરૂપણ કરાય છે–
स्वपरश्रुतमिथ्यान्यवादोक्त्या सक्रमोत्क्रमम् ।
विक्षेपणी चतुर्धा स्याद् ऋजोर्मार्गाभिमुख्यहृत् ॥९-९॥ स्वेति-स्वपरश्रुते स्वसमयपरसमयौ, मिथ्यान्यवादौ मिथ्यावादसम्यग्वादौ, तयोरुक्त्या प्रतिपादनेन । सङ्क्रमोत्क्रम पूर्वानुपूर्वीपश्चानुपूर्वीसहितं यथा स्यात्तथा । चतुर्धा विक्षेपणी स्यात् । तथा च सम्प्रदाय:“विक्खेवणी सा चउव्विहा पन्नत्ता, तं जहा-ससमयं कहित्ता परसमयं कहेइ, परसमयं कहित्ता ससमयं कहेइ, मिच्छावायं कहित्ता सम्मावायं कहेइ, सम्मावायं कहित्ता मिच्छावायं कहेइ । तत्थ पुट्विं ससमयं कहित्ता परसमयं कहेइ ससमयगुणे दीवेइ परसमयदोसे उवदंसेत्ति, एसा पढमा विक्खेवणी गता । इदाणिं बितिया भण्णति-पुट्विं परसमयं कहित्ता तस्सेव दोसे उवदंसेति पुणो ससमयं कहेति गुणे य से उवदंसेति, एसा बितिया विक्खेवणी गया । इदाणिं ततिया-परसमयं कहित्ता तेसु चेव परसमएसु जे भावा जिणप्पणीएहिं भावेहिं सह विरुद्धा असंता चेव विअप्पिया ते पुव्वं कहित्ता दोसा तेसिं भाविऊण पुणो
जिणप्पणीयभावसरिसा घणक्खरमिव कहवि सोभणा भणिआ ते कहेति. अहवा मिच्छावादो णत्थित्तं भण्णति, सम्मावादो अत्थित्तं भणति । तत्थ पुट्विं णाहियवादीणं दिट्ठीओ कहित्ता पच्छा अत्थित्तपक्खवादीणं दिट्ठीओ कहेइ, एसा ततिआ विक्खेवणी गया । इदाणिं चउत्था विक्खेवणी - सा वि एवं चेव, णवरं पुट्विं सोभणे कहेइ पच्छा इतरेत्ति । एवं विक्खिवइ सोयारं । इयं च ऋजोर्मुग्धस्य । मार्गाभिमुख्यहृत् स्वरूपतो मार्गरुचिहीं ।।९-९।।
સંક્રમે અથવા ઉત્ક્રમે સ્વ અને પર શ્રુતના તેમ જ મિથ્યા અને સમ્યગ્વાદના કથનથી ચાર પ્રકારની વિક્ષેપણી કથા મુગ્ધ શ્રોતાના માર્ગની રુચિને હણનારી છે.” - આ પ્રમાણે નવમાં શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે સ્વશ્રુત(જૈનદર્શન) અને પરફ્યુતને આશ્રયીને તેમ જ મિથ્યાવાદ અને સમ્યગ્વાદને આશ્રયીને વિક્ષેપણીકથાના ચાર પ્રકાર થાય છે. સ્વશ્રુતના વર્ણનપૂર્વકની પરહ્યુતના વર્ણનવાળી વિક્ષેપણીકથા; પરશ્રુતના વર્ણનપૂર્વકની સ્વશ્રુતના વર્ણનવાળી વિક્ષેપણીકથા; મિથ્યાવાદના વર્ણનપૂર્વકની સમ્યગ્વાદના વર્ણનવાળી વિક્ષેપણીકથા તેમ જ સમ્યગ્વાદના વર્ણનપૂર્વકની મિથ્યાવાદના વર્ણનવાળી વિક્ષેપણીકથા : આ ચાર પ્રકારની વિક્ષેપણીકથા છે.
એ ચાર પ્રકારની વિક્ષેપણ કથાના વિષયમાં પૂર્વમહર્ષિઓએ જણાવ્યું છે કે શાસ્ત્રમાં ચાર પ્રકારની વિક્ષેપણી કથા જણાવી છે. સ્વશ્રુતને જણાવીને પરશ્રુતને જણાવે છે, પરશ્રુતને જણાવીને સ્વશ્રુતને જણાવે છે, મિથ્યાવાદને કહીને સમ્યગ્વાદ જણાવે છે અને સમ્યગ્વાદને
એક પરિશીલન
૫૧