________________
ઉચિત નથી. મોક્ષનો અનુરાગ સંવેગસ્વરૂપ છે અને સમ્યજ્ઞાનાદિ મોક્ષના ઉપાય છે. તેને આશ્રયીને નીચે જણાવ્યા મુજબ યોગી જનોના નવ પ્રકાર છે.
મૃદૂપાય મૃદુસંવેગ, મધ્યોપાય મૃદુસંવેગ, અથુપાય મૃદુસંવેગ – આ ત્રણ પ્રકાર જઘન્ય મોક્ષરાગને આશ્રયીને છે. મૃદૂપાય મધ્યસંવેગ, મધ્યોપાય મધ્યસંવેગ, અબુપાય મધ્યસંવેગ - આ ત્રણ પ્રકાર મધ્યમ પ્રકારના મોક્ષરાગને આશ્રયીને છે. અને મૃદૂપાય અધિસંવેગ, મધ્યોપાય અધિસંવેગ, અબુપાય અધિસંવેગ - આ ત્રણ પ્રકાર ઉત્કૃષ્ટ મોક્ષરાગને આશ્રયીને છે. આ રીતે યોગીઓ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ મોક્ષરાગ તથા મોક્ષોપાયને આશ્રયીને નવ પ્રકારના છે. એ નવ પ્રકાર, એક જ પ્રકારના મુજ્યદ્વેષને લઇને કોઇ પણ રીતે સંગત નહીં બને, તેથી મુક્તિ પ્રત્યેનો અદ્વેષ અને મુક્તિ પ્રત્યેનો રાગ : એ બન્ને એક નથી – એ સમજી શકાય છે. ૧૨-૩૧ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ - એ મુક્તિ પ્રત્યેના રાગ સ્વરૂપ નથી - તેમાં કારણ જણાવાય છે–
द्वेषस्याभावरूपत्वादद्वेषश्चैक एव हि ।
रागात् क्षिप्रं क्रमाच्चातः परमानन्दसम्भवः ॥१२-३२॥ द्वेषस्येति-अद्वेषश्च द्वेषस्याभावरूपत्वादेक एव हि । अतो न तेन योगिभेदोपपत्तिरित्यर्थः । फलभेदेनापि भेदमुपपादयति-ततो मुक्तिरागात् क्षिप्रमनतिव्यवधानेन अतो मुक्त्यद्वेषाक्रमेण मुक्तिरागापेक्षया बहुद्वारपरम्परालक्षणेन परमानन्दस्य निर्वाणसुखस्य सम्भवः ।।१२-३२।।
અદ્વેષ દ્વેષના અભાવ સ્વરૂપ હોવાથી તે એકસ્વરૂપ જ છે જેથી તેના કારણે યોગીઓના નવ પ્રકાર સંગત નહિ થાય) તેમ જ મુક્તિના રાગથી શીધ્ર અને મુક્તદ્વેષથી ક્રમે કરી પરમાનંદનો સંભવ છે.” - આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે; પૂર્વે જણાવ્યા મુજબ મુજ્યદ્વેષ, દ્વેષ(મુક્તિ પ્રત્યેના ષ)ના અભાવ સ્વરૂપ હોવાથી તે એકસ્વરૂપ છે. તેથી તે એકના કારણે યોગીઓના ભેદ નહીં થાય. યોગીઓના નવ ભેદ (પ્રકાર) યોગાચાર્યોએ જણાવ્યા છે, તે મુક્તિના રાગની અપેક્ષાએ પૂર્વે જણાવ્યા મુજબ સંગત થઈ શકે છે. તેથી મુક્તષસ્વરૂ૫ મુક્તિનો રાગ નથી. એ બંન્ને પરસ્પર ભિન્ન છે.
મુક્તદ્વેષ અને મુક્તિનો રાગ - એ બેના ફળમાં પણ વિશેષતા છે. તેને લઇને એ બેમાં પણ ભેદ છે – એ શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવાયું છે. મોક્ષના રાગથી શીઘ એટલે કે બહુ વ્યવધાન (વિલંબ) વિના મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ અપેક્ષાએ મુક્યષથી ક્રમે કરીને એટલે કે ઘણાં વ્યવધાન(વધારે ભવના વિલંબ)થી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતે પરમાનંદસ્વરૂપ મોક્ષ ફળની પ્રાપ્તિના વિલંબ અને અવિલંબના કારણે પણ મુક્યષ અને મુક્તિના રાગમાં ભેદ છે. જેના કાર્યમાં વિશેષતા છે તે કારણમાં પણ વિશેષતા છે, એ સમજી શકાય છે. આથી સ્પષ્ટ છે કે મુજ્યદ્વેષ અને મુક્તિનો રાગ બંન્ને એક નથી. બંન્નેમાં ઘણું અંતર છે. મુક્તષના કારણે ૧૯૪
યોગપૂર્વસેવા બત્રીશી