________________
થયા છે. અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણીઓના કાળને એક પુદ્ગલપરાવર્ત કાળ કહેવાય છે. દરેક પુદ્ગલપરાવર્તે એ યોગ્યતાનો ક્રમિક દ્રાસ-વ્યય થાય છે. અન્યથા કષાયાદિ દોષોનો ક્રમિક દૃાસ ન થાય તો ભવ્યાત્મા મોક્ષે જઈ શકશે નહિ. યોગ્યતાની અલ્પતાથી મુક્તિ પ્રત્યેના વૈષનો અભાવ ઉપપન્ન બને છે. આ વાત યોગબિંદુ ગ્રંથના એકસો સિત્તેરમા શ્લોકમાં પણ જણાવી છે. આ રીતે આ કર્મબંધની યોગ્યતા હોતે છતે દોષોના ક્રમિક હાસની સુનીતિથી દરેક આવ મલની અલ્પતા પ્રાપ્ત થયે ચોક્કસપણે ભાવશુદ્ધિ પણ થાય છે. અન્યથા મલના અપગમનો જ અભાવ થશે. આ પ્રમાણે યોગ્યતાની અલ્પતાએ થયેલા મુજ્યષથી કુશલ અનુબંધની પરંપરા થાય છે. તો પછી મુક્તિના અનુરાગથી કુશલ અનુબંધની ઉપપત્તિ થાય - એમાં કહેવાનું જ શું હોય? અર્થાત્ મુક્તિના અનુરાગથી કુશલનો અનુબંધ થાય - એમાં કોઈ આશ્ચર્ય નથી. ૧૨-૩૦
ઉપર જણાવ્યા મુજબ મુજ્યદ્વેષથી અને મુત્ત્વનુરાગથી કલ્યાણની પરંપરાની ઉપપત્તિ થાય છે – એ તો સમજી શકાય છે. પરંતુ મુજ્યષ સ્વરૂપ જ મુક્તિરાગ છે, તેથી વિં પુનર્મુદ્રિરાત: આ ગ્રંથ સંગત કઈ રીતે બને? આ શંકા કરવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છે
न चायमेव रागः स्यान्मृदुमध्याधिकत्वतः ।
તત્રોપાયે ૨ નવધા યોજમેવાર્શનાર્ 9ર-રૂ9ી न चेति-न चायमेव मुक्त्यद्वेष एव रागः स्याद् मुक्तिरागो भवेदिति वाच्यं । मृदुमध्यादिकत्वतो जघन्यमध्यमोत्कृष्टभावात् । तत्र मुक्तिरागे उपाये च नवधा नवभिः प्रकारैर्योगिभेदस्य प्रदर्शनादुपवर्णनात् । तथाहि-मृदूपायो मृदुसंवेगः, मध्योपायो मृदुसंवेगः, अध्युपायो मृदुसंवेगः । मृदूपायो मध्यसंवेगः, मध्योपायो मध्यसंवेगः, अध्युपायो मध्यसंवेगः । मृदूपायो अधिसंवेगः, मध्योपायोऽधिसंवेगः, अध्युपायोऽधिसंवेगश्चेति नवधा योगिन इति योगाचार्याः ।।१२-३१।।
મુક્યàષસ્વરૂપ જ મુક્તિરાગ છે: આ પ્રમાણે માનવાનું ઉચિત નથી. કારણ કે મુક્તિના રાગના વિષયમાં અને મુક્તિના ઉપાયના વિષયમાં મૃદુ, મધ્યમ અને અધિકતાને આશ્રયીને યોગીઓના પ્રકાર નવ રીતે બતાવ્યા છે.” - આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મુક્તિના અષને જ મુક્તિનો રાગ માનવાનું યોગ્ય નથી. કારણ કે જઘન્ય મૃદુ) મધ્યમ(મધ્ય) અને ઉત્કૃષ્ટ(અધિક) સ્વરૂપે મુક્તિનો રાગ અને મુક્તિનો ઉપાય - એ બંન્નેને આશ્રયીને યોગી જનોના નવ પ્રકાર વર્ણવ્યા છે. મુક્તિનો અદ્વેષ, મુક્તિ પ્રત્યેના દ્વેષના સામાન્યાભાવ સ્વરૂપ હોવાથી એક જ પ્રકારનો છે. આવા મુજ્યદ્વેષને મુત્ત્વનુરાગસ્વરૂપ માની લેવામાં આવે તો તેને આશ્રયીને યોગી જનોના નવ પ્રકારનું નિરૂપણ સંગત નહિ બને. તેથી યોગી જનોના નવ પ્રકારના વર્ણનના અનુરોધથી મુક્તદ્વેષને મુત્ત્વનુરાગસ્વરૂપ માનવાનું
એક પરિશીલન
૧૯૩