SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નળ દમયંતી અહીં આવવાનું આ અવસ્થામાં શું ક્યારે પણ થાય ? ખરેખર ભરતાર્ધના સ્વામી નળરાજાની તે પત્ની છે. //પ૨પા પોતાનું રાજ્ય પણ તેના રાજ્યની સ્પર્ધા કરવા માટે અસમર્થ છે. વળી, તેણી એકસો ચુમ્માલીસ યોજન પ્રમાણ વડે દૂર છે. પરવા ત્યાં નગરની બહાર મહાદેવીની દાનશાળા છે જ્યાં દીનદુઃખીને હંમેશાં નિવાર્યા વિના દાન અપાય છે. પ૨૭ી એક વખત દેવીને ભૈમીએ કહ્યું કે હું યાચકોને દાન આપું. જો ક્યારેક પણ ભોજન માટે મારા પતિ આવે (તો મારે મેળાપ થાય.) //પ૨૮ દેવીના આદેશથી ત્યારથી આરંભીને પતિને જોવા માટે ઈચ્છતી દમયંતી રાતદિવસ કંટાળ્યા વિના દાન આપે છે. પ૨ા સરળ સ્વભાવી તેણી દરેક વાચકોને હંમેશાં પૂછતી કે કોઈ પણ ક્યારે પણ આવા પ્રકારનો પુરુષ તમારા જોવામાં આવ્યો છે ? //પ૩ ll એકવાર દાનશાળામાં રહેલી તેણીએ વિસ્વર રીતે વગાડાતા ડિડિમપૂર્વક કોટવાળો વડે લઈ જવાતા બાંધેલા ચોરને જોયો. પ૩૧મીએ તેઓને પૂછ્યું કે, હું કલ્યાણને કરનારા ! આના વડે શું નાશ કરાયું? જે કારણથી આને આવા પ્રકારની દુષ્ટ પ્રકારરૂપ વધની ક્રિયા કરાય છે. //પ૩રા તેઓએ પણ કહ્યું કે આણે ચંદ્રવતીનો રત્નનો ડાબલો ચોર્યો છે. જાણે કે જીવિતથી કંટાળેલો છે. તેથી તેનો વધ કરાય છે. //પ૩૩ી દીન એવા તે ચોરે નમીને કહ્યું કે હે દેવી! મારું રક્ષણ કરો. હે શરણાગત વત્સલ ! મેં તમારું શરણું સ્વીકાર્યું છે. પ૩૪ યમના દૂતો જેવા આ, મારા જીવિતને ગ્રહણ કરવામાં તત્પર છે. વાયુથી હણાયેલી ધજાની જેમ મારું હૃદય કંપે છે. પ૩પી તેણીએ કહ્યું, હે ભદ્ર ! કરેલા અકૃત્યવાળો પણ હાલમાં ભય પામ નહિ. મોટા રોગમાં પણ દર્દીને વૈદ્ય શું જીવાડતો નથી ? પ૩૬ો આ પ્રમાણે કહીને તેણે શીલની પ્રતિજ્ઞાને કરી અને તે જ ક્ષણે છૂરીથી છેદાયેલાની જેમ ચોરના બંધનો તૂટ્યા. પ૩૭ સવારના સૂર્યના કિરણોના પ્રકાશની વેલામાં તારાઓ વિખરાઈ જાય છે, તેમ ત્યારે કોટવાળો જલદીથી વિખરાઈ (છૂટા છવાયા) ગયા. //પ૩૮ તે આશ્ચર્ય વડે બોલા-વાયેલાની જેમ રાજા આવ્યો. આશ્ચર્યથી વિકસ્વર નેત્રરૂપી કમળવાળા રાજાએ સાધર્મિક એવી તેણીને કહ્યું. //પ૩૯માં સરળતા વડે કરાયેલું યોગ્ય છે પણ ચોરની રક્ષા કરાયેલી યોગ્ય નથી. કેમ કે દુષ્ટને નિગ્રહ કરવો અને શિષ્ટનું પાલન આ રાજધર્મ છે. //પ૪૦ણી પોતાની રક્ષા કરવાની ઇચ્છાવાળા લોકો રાજાને ટેક્ષ આપે છે અને ચોર વગેરેનું દમન કરવા દ્વારા તેઓની રક્ષા થાય છે. ૫૪૧/ વરૂણ-સમુદ્રનો અધિષ્ઠાતા દેવ જેમ સ્વેચ્છાપૂર્વક પાણીમાં રમે તે યોગ્ય છે પણ સ્થલમાં રમે તો અયોગ્ય થાય તેમ જો ચોર વગેરે ઉપર રાજા કૃપા કરે અને તેને સજા ન કરે તો સ્થલમાં વારૂણીનીતિ જેવું થાય. //પ૪રા દમયંતીએ કહ્યું કે, હે તાત ! અન્યાયીઓને જ શરણનું અથાણું થાય. વળી ન્યાયીઓ પોતાના ન્યાય વડે જ અહીં રક્ષણ કરાય. /પ૪all હે પિતાજી ! દયાથી પ્રેરાયેલી એવી મારા વડે આ કરાયું છે તેથી પિતા વડે આ મારો અપરાધ માફ કરાય. પ૪૪ો ત્યારબાદ તેના આગ્રહથી રાજાએ પણ ચોરને મુક્ત કર્યો. દાક્ષિણ્યતા પર આરૂઢ થયેલાને કંઈ પણ દુષ્કર નથી. //પ૪પા જીવિતદાનથી ચોર પણ તે દમયંતીને હંમેશાં માતાની જેમ માનતો અને દરરોજ નમતો હતો. પિ૪૬ll એક વખત દમયંતીએ તે ચોરને પૂછ્યું કે, હે ભદ્ર ! તું કોણ છે ? ક્યાંનો છે ? અથવા ક્યાંથી આવેલો છે ? પ૪શા તેણે પણ કહ્યું કે તાપસોના પ્રતિબોધથી કરાયેલા એવા તાપસપુરમાં વસંત સાર્થવાહ છે, તેનો હું પિંગલ નામે દાસ છું. પ૪૮ જુગાર વગેરે વ્યસનમાં આસક્ત, ખાતર પાડવા વડે પાપી એવા મેં તે જ સ્વામીના ઘરમાં ઘરનું બધું જ ગ્રહણ કર્યું (ચોર્યું). પ૪૯ો ત્યારબાદ ચોરેલો માલ છે હાથમાં જેને એવો
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy