SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નળ દમયંતી વારંવાર જય થયો. ૧૯૨ા ઉનાળામાં સરોવર જેમ પાણી વડે (સૂકાવાથી) શોભા વડે હીન થાય તેમ ત્યાર પછી નળ ધીમે ધીમે ગામ-નગરોને હારતો લક્ષ્મી વડે હીન થયો. ૧૬૩ નળ જુગારને નહિ મૂકતે છતે, જુગાર પ્રજાને માટે રાત્રિરૂપ થયો અર્થાત્ વિનાશ માટે થયો અને વળી ક્ષણે ક્ષણે જયને મેળવતા કુબેરને તે જ જુગાર દિવસરૂપ અર્થાત્ અભ્યદય માટે થયો. ૧૯૪ll. ત્યારબાદ નળના અનુરાગી લોકો વડે હાહારવ કરાયો. તેને સાંભળીને આકુલ થયેલી દમયંતી પણ આવી. ૧૬પી અને કહ્યું, ઈચ્છિતને આપનાર હે દેવ ! હું તને કાંઈક પ્રાર્થના કરું છું કે, દુર્ભાગ્યના પાશની જેમ આ પાસાઓને તમે રમો નહીં. ૧૯કા હે પ્રિય ! શ્રેષ્ઠ એવા રાજ્યને નાના ભાઈ એવા કુબેરને સ્વયં આપો. બલાત્કારે આને રાજ્યને હરણ કર્યું, એ પ્રમાણે પોતાની અપકીર્તિ ન કરો. I/૧૯૭lી જે યુદ્ધ વડે મેળવેલું રાજ્ય તે નળે અક્ષ વડે હાર્યું, એ પ્રમાણે હે નાથ ! ચોર આદિથી હરણ કરાયેલી વસ્તુની જેમ મને દુઃખ કરનાર છે. ll૧૬૮ મત્ત થયેલા હાથીની જેમ તેની વચનશ્રેણીને નળે ગણકારી નહીં. ત્યારબાદ તેણી વડે અમાત્યો કહેવાયા કે, નલને ચૂતથી નિષેધો. ૧૦૯ો ઘૂતથી અત્યંત વરાતો પણ નળ તેઓને માનતો ન હતો. સંનિપાતના રોગવાળા શું ઔષધકર્મને કરે ? II૧૭lી ત્યારબાદ અખંડિત પરાક્રમવાળો પણ નળ ધૂત વડે અંધ થયેલો આ ત્રણ ખંડ પૃથ્વીને હાર્યો. ૧૭૧II હવે ભેમી સહિત અંતઃપુરને, શરીરના આભરણાદિ પણ હાર્યો, કેવલ દેહમાત્ર વડે જન્મ થયો હોય તેમ રહ્યો. ll૧૭૨ll હવે નળ કુબેર વડે કહેવાયો કે મારા રાજ્યને જલદીથી મૂક. જેમ પિતા વડે તને તેમ હમણાં પાસાઓ વડે મને રાજ્ય અપાયું છે. //૧૭૩ હે જીતકાશી ! અભિમાન ન કર. સત્ત્વવાળાઓને લક્ષ્મી હાથમાં છે, એ પ્રમાણે તેને કહીને પહેરેલા વસ્ત્રના વૈભવવાળો નળરાજા ચાલ્યો. ./૧૭૪ll નળને અનુસરતી એવી દમયંતીને કુબેર વડે કહેવાયું, જુગારમાં તું જીતાઈ છે. જા નહિ. મારા અંતઃપુરમાં પ્રવેશ કર. ll૧૭પII હવે પ્રધાનો વડે કુબેર કહેવાયો. આ દમયંતી મહાસતી પરપુરુષની છાયાને ક્યારે પણ સ્પર્શતી નથી. I/૧૭ફા આણીને અન્તઃપુરમાં નાખ નહીં. જે કારણથી આ તારી માતા સમાન છે. મોટા ભાઈ સર્વ લોકમાં પિતા તુલ્ય ગવાય છે. ||૧૭૭ી બલાત્કાર કરાયેલી આ તને ભસ્મસાત્ કરશે. ખરેખર કુપિત થયેલી સતીઓને કાંઈ પણ દુષ્કર નથી. ૧૭૮ આ મહાસતીને કોપિત કરીને અનર્થનું ભોજન ન થા. વળી પોતાના પતિને અનુસરતી એવી આણીને ઉત્સાહિત કર. ૧૭૯ાા હે કુબેર ! પુર, ગામ-નગરાદિ આપીને તો સર્યું. સારથિ સહિત ભાથા સહિત નળને રથ આપ. /૧૮૦ણા ત્યારપછી એ પ્રમાણે કહેવાયેલા દાક્ષિણ્યતા રહિતના કુબેરે પણ તે પ્રમાણે કર્યું. કૂર પણ ગ્રહ ક્યારેક શુભના યોગથી શુભને આપનાર થાય. /૧૮૧/ નળ કહ્યું, જો હું ભુજાના બળથી મેળવેલી આ લક્ષ્મીને ક્રીડા વડે ત્યજું , તો હું રથને માટે શા માટે સ્પૃહા કરું? I૧૮૨ા નગરજનોએ કહ્યું, હે સ્વામી ! તારા ચરણની રજ સમાન અમે તારી સાથે આવીએ છીએ. વળી કુબેરે તેઓને રોક્યા. ll૧૮૩ી અને વળી આ પણ તારા વડે રાજ્યમાં કરાયેલો છે, તેથી કેવી રીતે છોડાય. અન્ય પણ અહીં જે રાજા થાય તે પણ અમારે તારી જેમ સેવવા યોગ્ય છે. /૧૮૪ll તેથી હે દેવ ! હમણાં અમે આવશું નહીં, આપની સાથે જનારી આ ભૈમી જ ભાર્યા, નોકર, મિત્ર અને અમાત્ય છે. II૧૮પી. તેથી રાજાની પુત્રી, સૂર્યને પણ નહીં જોનારી રાજવલ્લભા કોમલ અંગવાળી એવી આ હે નાથ ! કેવી રીતે પથિકભાવને સ્વીકારશે ? II૧૮૦ લલાટને તપાવનાર સૂર્યના કિરણોથી ભુંજાઈ ગયેલી છે રજ જેની એવા માર્ગો સુકોમલ પગ વડે આણીને કેવી રીતે ઉલ્લંઘાશે ? /૧૮થી હે સ્વામી ! મહેરબાની કરીને રથને ગ્રહણ
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy