SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ સમ્યક્ત્વ પ્રકરણ. કરું ? ll૮lી ભૂખથી પીડિત હોવા છતાં પણ અનાકુળ (આકુળતા વ્યાકુળતા વગરની) દાન ઉપર શ્રદ્ધા રાખનારી, મહાભાગ્યશાળી તેણી એ આપવા યોગ્ય પાત્રને જોવા માટે દ્વારા સન્મુખ જોયું. l૮૧|| આ બાજુ પહેલા કૌશાંબીમાં છબસ્થ એવા ચરમ જિનેશ્વરે પોષ વદી એકમે આ પ્રમાણે અભિગ્રહને ગ્રહણ કર્યો હતો. ll૮રી દ્રવ્યથી સૂપડાના ખૂણામાં રહેલા અડદને, ક્ષેત્રથી વળી આપનારી એક પગ ઊંબરાની અંદર, એક પગ બહાર, કાળથી સર્વ ભિક્ષુકો આવીને પાછા ચાલ્યા ગયા હોય, ભાવથી રડતી, રાજકન્યા પણ દાસીપણાને પામેલી હોય. II૮૩-૮૪-૮પા પગમાં લોહમય બેડી નાંખેલી હોય, મુંડિત મસ્તકવાળી, ત્રણ દિવસની ભૂખી હોય, આવી સ્ત્રી અને લાંબા કાળે પણ આપશે. ત્યારે જ હું લઈશ, અન્યથા નહિ. IIટકો આવા પ્રકારના અભિગ્રહ લઈને (લોકો જાણતા નહિ તેવા) પ્રભુ પ્રતિદિન ભિક્ષા સમયે ઊંચ-નીચ ઘરોમાં ગોચરી માટે ફરવા લાગ્યા. IIટવા લોકો ભિક્ષા આપતા પણ અભિગ્રહના વશથી પ્રભુ લેતા નહીં. તેથી નગરજનો પોતાની નિંદા કરતા ખેદને ધારણ કરતા હતા. ૮૭થી આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કર્યા વગર પરિષદને સહન કરતા પ્રભુએ ચાર પ્રહરની જેમ ચાર માસ નિર્ગમન કર્યા. l૮૮ એક વખત સુગુપ્ત મંત્રીના ઘરે ભિક્ષાને માટે આવેલા સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા પ્રભુને નંદાએ જોયા. Iટા ભાગ્યયોગથી મારા ઘરે આજે વીર પ્રભુ સ્વયં પધાર્યા છે. આ પ્રમાણે આનંદથી બોલતી પ્રભુની સન્મુખ આવી. ll ll કલ્પે તેવા અભૂત અન્નાદિ સ્વયં તેણી પ્રભુ પાસે લાવી અભિગ્રહને વશ થયેલા પ્રભુ કંઈ પણ લીધા વગર નીકળી ગયા. (ચાલ્યા ગયા.) I૯૧ી ત્યારબાદ નંદા વિષાદ પામી (ખેદ કરવા લાગી.) હું અભાગણિ છું, જોયા માત્રથી નષ્ટ થયેલા નિધિની જેમ મારા માટે નિષ્ફળ એવું પ્રભુનું આગમન થયું. ત્યાં આ પ્રમાણે ખેદ કરતી તેને બેઠેલી દાસીએ કહ્યું કે આ દેવાર્ય ! દરરોજ આવી રીતે ભિક્ષા લીધા વગર જ ચાલ્યા જાય છે. ૯૩ ત્યારે નંદાએ કહ્યું કે નિચ્ચે સ્વામીને કોઈ પણ અભિગ્રહ હશે ? ખેદને ધારણ કરતી તેણીએ પોતાના પતિ અમાત્યને કહ્યું. II૯૪ો હે પ્રિય ! મંત્રીપણું અને તમારી મતિનું ફળ શું ? કે જે ભિક્ષાના વિપ્નને કરનારા પ્રભુના અભિગ્રહને તમે જાણતા નથી. ll૯૫ા મંત્રીએ પણ કહ્યું કે હે પ્રિયે ! તું ખેદ ન પામ. પ્રભુના અભિગ્રહને જાણવા માટે ઉપાયને ગોઠવીશ. (રચીશ). Iકા તે વખતે ત્યાં આવેલી મૃગાવતીની દાસી વિજયાએ આ વાર્તાલાપ સાંભળીને પોતાની સ્વામિની મૃગાવતીને કહ્યો. ll૯ળી તે સાંભળીને મૃગાવતી પણ વિષાદના વિષથી વિહ્વળ થઈ. ખેદ પામેલી મૃગાવતીને ડરેલા રાજાએ પણ તેણીને ખેદનું કારણ પૂછ્યું. I૯૮ રાણીએ પણ કહ્યું કે રાજાઓ તો ચર પુરુષો દ્વારા ચરાચર જગતને જાણે છે. તમે તમારા નગરના સ્વરૂપને પણ જાણતા નથી. હા અહીંયા ત્રણ લોકને પૂજિત ભગવાન શ્રી વીર પ્રભુ છે. તેઓ અપૂર્વ અભિગ્રહને લીધે ભિક્ષા લીધા વગર જ પાછા ફરે છે. તેનો કાળ શું તમે જાણો છો ? ૧૦૦lી રાજાએ કહ્યું કે હે દેવી ! શું આપણી નગરીમાં કોઈ ધનવાન નથી ? અથવા તો દુકાળ છે કે જેથી ભગવાનને પણ ભિક્ષા મળતી નથી ? ||૧૦૧ી દેવીએ કહ્યું કે ભિક્ષા તો મળે છે. પરંતુ ભિક્ષા લેતા નથી. દરેક ઘરમાં પ્રભુ હંમેશાં પ્રવેશ કરે છે. તેને જાણો. l/૧૦૨ા તમારી વિભૂતિ વડે શું ? અમાત્ય વડે પણ શું કંઈ જ જાણતા નથી. અપૂર્ણ અભિગ્રહવાળા સ્વામી વાપરતા નથી. સ્વયં ખાઓ છો, આ શું યોગ્ય છે ? I/૧૦૩ી રાજાએ પ્રત્યુત્તર આપ્યો કે હે દેવી ! પ્રમાદરૂપી નિદ્રામાં સૂતેલા મને જગાડ્યો છે. તે તમે સુંદર કર્યું. ૧૦૪ સવારે કોઈ પણ ઉપાય વડે હું પ્રભુના અભિગ્રહને જાણી લઈશ. આ પ્રમાણે કહીને મંત્રીને બોલાવીને સમગ્ર વૃત્તાંત કહ્યો. // ૧૦૫ મંત્રીએ પણ તે સાંભળીને પ્રભુના અભિગ્રહને જાણવા માટે તથ્યવાદી નામના ઉપાધ્યાયને
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy