SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩૯, ૪૦ કૃત્તિ ।। શક્તિને આશ્રયીને દીક્ષાર્થી જીવની આર્થિક શક્તિ અને શારીરિક શક્તિને આશ્રયીને, દેવ-ગુરુ-સંઘપૂજાદિ વિષયમાં અર્થવ્યયલક્ષણ ત્યાગ અને અનશનાદિરૂપ તપ, તેને= દીક્ષાર્થીને, કરાવવો જોઈએ. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૩૯/૨૬૫ ૨૩૬ ટીકાર્ય ઃ‘શòિત:' ભાવાર્થ: દીક્ષા લેવા માટે તૈયાર થયેલા યોગ્ય જીવને દીક્ષા આપવા પૂર્વે જો તેની આર્થિક સ્થિતિ સારી હોય તો ઉપદેશક કહે કે તીર્થંકરો, ગુરુ અને ચતુર્વિધ સંઘ આદિની ભક્તિમાં તે રીતે ધન વ્યય કરવો જોઈએ કે જેથી તીર્થંક૨, ગુરુ અને ગુણવાન એવા સંઘ પ્રત્યેનો ગુણકૃત આદરભાવ પ્રવર્ધમાન થાય અને ધન વિદ્યમાન હોવા છતાં સુપાત્રમાં તેનો વ્યય ન કરી શકે તેવી ક્ષુદ્રપ્રકૃતિ દૂર થાય. શારીરિક શક્તિ અનુસાર તપાદિમાં યત્ન કરવો જોઈએ જેથી દેહ પ્રત્યેનું મમત્વ દૂર થાય. વળી, યોગ્ય ઉપદેશક પ્રસંગે પ્રસંગે બાહ્ય કૃત્યોમાં લોકની પ્રશંસા આદિની આશંસા ન થાય તે પ્રકારે અંતરંગ ગુણવૃદ્ધિના વ્યાપારપૂર્વક ધન વ્યય કરવાનો અને તપાદિ ક૨વાનો ઉપદેશ આપે. II૩૯/૨૬૫]ા અવતરણિકા : तथा સૂત્રઃ 1 અવતરણિકાર્થ : અને – ***** સૂત્રાર્થ क्षेत्रादिशुद्धी वन्दनादिशुद्ध्या शीलारोपणम् ||४० / २६६ ।। ક્ષેત્રાદિની શુદ્ધિ થયે છતે વંદનાદિની શુદ્ધિ દ્વારા શીલનું આરોપણ=સર્વવિરતિ સામાયિકનું આરોપણ, કરવું જોઈએ. ।।૪૦/૨૬૬ા : ટીકા ઃ ‘ક્ષેત્રસ્વ’ ભૂમિમાાનક્ષમ્ય ‘ગાવિ’શાધિશશ્વ ‘શુદ્ધો’ સત્યાં ‘વન્તનાવિશુધ્ધા' ચૈત્વવન્તનकायोत्सर्गकारणसाधुनेपथ्यसमर्पणादिसमाचारचारुतारूपया 'शीलस्य' सामायिकपरिणामरूपस्य क भंते! सामायिकमित्यादिदण्डकोच्चारणपूर्वकमारोपणं प्रव्रज्यार्हे न्यसनं गुरुणा कार्य । क्षेत्रशुद्धिः इक्षुवनादिरूपा ।
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy