________________
૧૨ - અભયદાન દ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા)
[અહિંસાધર્મની સર્વોત્કૃષ્ટતા
અભયદાન દ્વાર
જિનધર્મ દાન-શીલ-તપ-ભાવભેદથી ચાર પ્રકારે છે. દાન અભયદાન-શાનદાનઉપષ્ટભદાનના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પહેલાં જ યુક્તિપૂર્વક અભયદાનના ઉપદેશને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
सो य अहिंसामूलो, धम्मो जियरायदोसमोहेहिं । भणिओ जिणेहिं तम्हा, सविसेसं तीएँ जइयव्वं ॥५॥
ગાથાર્થ– તે ધર્મ રાગ-દ્વેષ-અજ્ઞાનતાથી રહિત એવા તીર્થકરોએ અહિંસામૂલ કહ્યો છે. તેથી અહિંસામાં જ સદા વિશેષથી પ્રયત્ન કરવો જોઈએ.
વિશેષાર્થ- અહિંસામૂલ એટલે જેનું મૂળ અહિંસા છે તેવો. ધર્મનું મૂળ અહિંસા છે. આથી જ કહ્યું છે કે “જેવી રીતે ધાન્યની રક્ષા માટે વાડ કરવામાં આવે છે. તેવી રીતે અહીં હિંસાવિરમણરૂપ પ્રથમવ્રતની રક્ષા માટે બાકીના ચારે વ્રતો કરવામાં આવે છે.” અહીં અભય, અહિંસા, જીવદયા અને વધનિવૃત્તિ એ બધા શબ્દોનો એક જ અર્થ છે. આથી બધય અભયદાનના ઉપદેશમાં વિરોધ આવતો નથી, અર્થાત્ અભયનો ઉપદેશ, અહિંસાનો ઉપદેશ, જીવદયાનો ઉપદેશ કે વધનિવૃત્તિનો ઉપદેશ એ બધાય ઉપદેશો અભયદાનના જ ઉપદેશો છે. [૫]
અહિંસાથી બીજો જ કોઈ ધર્મ મહાન હશે, આથી અમે તેને જ કરીશું, અહિંસાથી શું? આવી આશંકા કરીને ગ્રંથકાર તેનું સમાધાન કહે છે
किं सुरगिरिणो गरुयं ?, जलनिहिणो किं व होज गंभीरं ?। વિંધ્ર યUMI ૩ વિમાનં?, જો ૩ અહિંસાનો થો? | ૬ |
ગાથાર્થ શું મેરુપર્વતથી પણ અધિક કોઈ મોટી વસ્તુ છે? શું સમુદ્રથી પણ અધિક કોઇ ગંભીર પદાર્થ છે? શું આકાશથી પણ અધિક કોઈ વિશાળ વસ્તુ છે? અને શું અહિંસા સમાન બીજો કોઈ ધર્મ છે? અર્થાત્ નથી.
વિશેષાર્થ- અહિંસાની સમાન પણ બીજો કોઈ ધર્મ નથી તો પછી અહિંસાથી અધિક કોઈ ધર્મ ક્યાંથી હોય? આ વિષે બીજાઓએ પણ કહ્યું છે કે-“ભયભીત બનેલા પ્રાણીઓને જે અભય આપવામાં આવે છે તેનાથી મોટો બીજો કોઈ ધર્મ આ પૃથ્વી પર નથી.”
(૧) એક જીવને આપેલી અભયની દક્ષિણા શ્રેષ્ઠ છે. પણ હજાર બ્રાહ્મણોને