________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२४९ परसमयं कहेइ, सम्मावायं कहित्ता मिच्छावायं कहेइ । तत्थ पुब्बिं ससमयं कहित्ता परसमयं कहेइ ससमयगुणे दीवेइ परसमयदोसे उवदंसेति, एसा पढमा विक्खेवणी गता । इदाणिं बितिया भण्णति-परसमयं कहित्ता तस्सेव दोसे उवदंसेति, पुणो ससमयं कहेति गुणे य से उवदंसेति, एसा बितिया विक्खेवणी गया । इदाणिं ततिया-परसमयं कहित्ता तेसु चेव परसमएसु जे भावा जिणप्पणीएहिं भावेहिं सह विरुद्धा असंता चेव
આત્મહિતકર છે, આચરવી શક્ય છે.. વગેરરૂપે એના ગુણોનું વર્ણન કરે. ત્યારબાદ પરસમયની=શ્રોતાની જેમાં શ્રદ્ધા છે તે ધર્મની એવી વાતો કહે જે તર્કસંગત ન હોવી, આત્મહિતકર ન હોવી વગેરે રૂપે સરળતાથી શ્રોતાને કહી-સમજાવી શકાય એવી હોય. આવું સાંભળીને શ્રોતાની પોતાના ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વિક્ષિપ્ત થાય છે=વિચલિત થાય છે. અને એ વિચલિત થાય એટલે, જ્યાં આવી કોઈ અસંગત વાતો નથી, પણ સંગત વાતો જ છે, એવા જૈનધર્મ પ્રત્યે એ શ્રોતાને આકર્ષણ-રુચિ જાગે છે. માટે આ વિક્ષેપણી ધર્મકથા બને છે. અહીં પણ, શ્રોતાની ભૂમિકા જોવાની તો હોય જ છે. જો એ બાળકક્ષાનો હોય તો જૈનદર્શનના લોચ કરાવવો, સ્ત્રી અને ધનના તો સ્પર્શ સુધ્ધાંનો ત્યાગ.. વગેરે વાત કરીને પછી એ કક્ષાની પણ તર્કથી ઘટી ન શકે એવી પરદર્શનની વાતો કરવી જોઈએ. એ જ રીતે મધ્યમજીવને સમિતિ વગેરેની સૂક્ષ્મ વાતો કરવી જોઈએ. અને એના ધર્મમાં આવી સૂક્ષ્મ વાતો છે જ નહીં, અથવા છે તો તર્કસંગત નથી-કલ્યાણકર નથી. વગેરે સમજાવવું જોઈએ. તથા શ્રોતા જો પંડિત હોય, તો શ્રીજૈનદર્શનના અનેકાન્તવાદમાં હિંસા-અહિંસા વગેરે બધું ઘટી શકે છે, જે શ્રોતાના એકાન્તદર્શનમાં ઘટી શકતા નથી, આવી બધી વાતો મધુર આલાપપૂર્વક સમજાવવી જોઈએ. આ જ રીતે આગળના ત્રણ પ્રકારમાં પણ બાળાદિને યોગ્ય વાતો જાણવી.
(૨) પર-સ્વસમયવિક્ષેપણી કથા-આમાં ઉપર કરતાં ઉલટો ક્રમ જાણવો. પહેલાં અન્ય ધર્મની અસંગત વાતો કરીને પછી સ્વધર્મની સંગત એવી વાતો કરવી.
(૩) મિથ્યા-સમ્યગ્વાદવિક્ષેપણી કથા-શ્રોતાનાં શ્રદ્ધેય ધર્મની વાતો કહ્યા પછી એમાં જૈનદર્શનને માન્ય વાતોથી જે વાતો વિપરીત હોય, તેથી જ અસતું હોય, અને તેથી જ દોષપ્રચુર હોય એવી વાતો કહીને એના દોષો દર્શાવવા. તથા પછી એ જ ધર્મમાં જૈનધર્મને માન્ય એવી જે વાતો ઘુણાક્ષરન્યાયે કરી હોય, તે સમ્યગુવાતો જણાવવી. ઘુણ એટલે કીડો. કીડો કાષ્ઠને કોતરે છે. યોગાનુયોગ કોતરણી એવી થઈ કે જેથી અક્ષર કોતરેલા હોય એમ વંચાય. આવા અક્ષર કોતરાઈ જવા એ કાંઈ કીડાની હોંશિયારી કે આવડત નથી, માત્ર યોગાનુયોગ બની ગયેલી ઘટના જ છે, એમ અન્ય ધર્મમાં કેટલીક સારી વાતો કહી હોય એટલા માત્રથી એ કહેનારા વાસ્તવિક તત્ત્વજ્ઞ સાબિત થઈ જતા નથી. (નહીંતર તો બીજી બધી ઢગલાબંધ અતત્ત્વભૂત વાતો તેઓ શી રીતે કહે ?) (અને તેથી એમનો કહેલો ધર્મ શ્રદ્ધેય રહેતો નથી.) કેટલીક સુંદર વાતો જે છે, તે યોગાનુયોગ કહેવાઈ ગયેલી છે.
અથવા, મિથ્યાવાદ એટલે નાસ્તિત્વ, સમ્યગ્વાદ એટલે અસ્તિત્વ. એટલે પહેલાં નાસ્તિકવાદીઓની વિચારધારા-દલીલો વગેરે કહીને પછી અસ્તિત્વવાદીઓની વિચારધારા-દલીલો વગેરે જણાવે, તો આ ત્રીજી વિક્ષેપણી ધર્મકથા થાય છે. (જ્યારે શ્રોતા નાસ્તિક હોય ત્યારે આ નાસ્તિક-આસ્તિકવાદીની વાતો કરવાની જાણવી. એનાથી શ્રોતાની નાસ્તિકતા વિક્ષિપ્ત થાય છે અને આસ્તિકતા તરફ ખેંચાણ શક્ય બને છે.)
(૪) સમ્યગુ-મિથ્યાવાદ વિક્ષેપણી કથા-આ પણ ત્રીજી વિક્ષેપણીકથા જેવી જ છે. માત્ર અહીં ક્રમ ઉધો