________________
४०४
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ३ છે ને તેથી તે તેના અભાવરૂપ મુક્તિઅદ્વૈષ પણ અલગ અલગ બે પ્રકારનો છે. આમાંથી યોગ્યતારૂપ મુક્તિદ્વેષના અભાવાત્મક જે યોગ્યતા રૂપે મુક્તિઅદ્વેષ છે એ પૂર્વસેવારૂપ છે. એ એક જ પ્રકારનો છે, ને તેથી એ યોગીઓના ભેદમાં પ્રયોજક બની શકતો નથી.
પ્રશ્ન : મુક્તિઅદ્વેષ હજુ પ્રગટ્યો ન હોય તો સંયમપાલનાદિથી મુક્તિઉપાયોનું મિલન થાય છે ને એ પ્રગટી ગયો હોય તો એ મલન થતું નથી, આ રીતે તમે મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય દેખાડ્યું. આમાં મુક્તિઅદ્વેષરહિત (=મુક્તિષસહિત) જીવો વ્રતગ્રહણ-સંયમપાલનાદિ પૂજા- દેવલોક વગેરેની સ્પૃહાથી કરે છે એ તમે કહ્યું. પણ એ રીતે મુક્તિઅદ્વૈષવાળા જીવોના એ સંયમપાલનાદિ કઈ સ્પૃહાથી કરાયેલા અહીં પ્રસ્તુત છે ?
ઉત્તર : તેઓની પણ આવી પૂજા-દેવલોકાદિની ભૌતિક ઇચ્છાથી કરાયેલી સંયમપાલનાદિ ધર્મપ્રવૃત્તિ અહીં પ્રસ્તુત છે. આવું માનવું જરૂરી છે, કારણ કે (૧) હજુ મુક્તિરાગ પ્રગટેલો નથી, એટલે મોક્ષની ઇચ્છાથી કરે છે એવું તો કહી શકાતું નથી. (૨) ભૌતિકસ્પૃહાથી કરાતું અનુષ્ઠાન સાભિધ્વંગ અનુષ્ઠાન કહેવાય છે. એવી સ્પૃહાથી પર થઈને કરાતું અનુષ્ઠાન નિરભિમ્પંગ અનુષ્ઠાન કહેવાય છે. નિરભિમ્પંગ અનુષ્ઠાન તો મુક્તિઉપાયોનું પ્રબળ પોષક છે. એટલે એમાં મલન-અમલનનો પ્રશ્ન જ ઊભો થઈ શકતો નથી પ્રસ્તુતમાં એ પ્રશ્ન ઊભો થયેલો હોવાથી સાભિવંગ અનુષ્ઠાન જ લેવું પડે છે. (૩) મુક્તિઅદ્વેષની પ્રધાનતા દર્શાવવાનો અધિકાર છે. બાકીનું બધું સરખું હોય ને મુક્તિઅદ્વેષ ન હોવા- હોવાના કારણે મહત્ત્વનો ફેર પડતો હોય તો એની પ્રધાનતા જણાવેલી કહેવાય. એટલે મુક્તિઅદ્વેષ પ્રગટેલો નથી એવા જીવો માટે સાભિધ્વંગ અનુષ્ઠાનથી મલન જણાવ્યું છે, તો મુક્તિઅદ્વેષ પ્રગટી ચૂકેલો હોય એવા જીવો માટે એવું જ કહેવું જરૂરી બની રહે છે, તેઓએ સાભિધ્વંગ અનુષ્ઠાન કર્યું, અને છતાં મલન થયું નહીં, કારણ કે મુક્તિઅદ્વેષ પ્રગટેલો છે. જો તેઓનું અનુષ્ઠાન નિરભિન્કંગ લેવામાં આવે, તો તો એ નિરભિમ્પંગ હતું માટે જ મલન થયું નહીં, એમાં મુક્તિઅષે તો કાંઈ કરવાનું રહ્યું નહીં. અને તો પછી મુક્તિઅષની પ્રધાનતા ખ્યાપિત થયેલી કઈ રીતે કહેવાય ? (૪) મુક્તિઅષવાળા જીવોને પ્રાયઃ ચોથું તદ્ધત અનુષ્ઠાન હોય છે એ વાત આગળ નિશ્ચિત થશે. તદ્ધતુ અનુષ્ઠાન બાધ્ય એવી ભૌતિક ફળાપેક્ષાથી થતું હોય છે. આ હકીકત પણ એ જ સૂચવે છે કે મુક્તિઅદ્વૈષવાળા જીવો પ્રાયઃ કરીને ભૌતિક ફળની ઇચ્છાથી જ ધર્મઅનુષ્ઠાન કરતા હોય છે, ને એ જ અહીં પ્રસ્તુત છે.
આમ, મુક્તિદ્વેષવાળા જીવો અને મુક્તિઅષવાળા જીવો. બન્નેના ભૌતિક અપેક્ષાથી થતા ધર્માનુષ્ઠાનની પ્રસ્તુત માં વિચારણા ચાલી રહી છે એ નિશ્ચિત થયું. અલબત્ત ષવાળા અને અદ્વૈષવાળા આ જીવોની ભૌતિક અપેક્ષા ક્રમશઃ અબાધ્ય અને બાધ્ય હોય છે. પણ આ ભેદ આપણા છદ્મસ્થાનો વિષય ન હોવાથી આપણને તો બન્નેની અપેક્ષા એક સમાન જ ભાસે છે. અને છતાં મુક્તિઅદ્વેષનો પ્રભાવ જુઓ-મુક્તિષવાળા જીવોનું એ ધર્માનુષ્ઠાન મુક્તિ ઉપાયોનું મલન કરનાર હોય છે, વિષાત્રતૃપ્તિસદશ હોવાથી વિપાકવિરસ હોવાના કારણે અહિત હોય છે. મુક્તિઅષવાળા જીવોનું એ ધર્માનુષ્ઠાન મુક્તિઉપાયોનું મિલન કરતું નથી. અને તેથી જ એ પથ્થભોજનસદશ હોવાથી પરિણામ સુંદર હોવાના કારણે હિતકર હોય છે.
શંકાઃ “મુક્તિઅદ્વેષ હોય તો મલન થતું નથી' એ વાત તો ગ્રન્થકારે કહેલી જ છે. પણ પથ્થભોજન સદશ વગેરે વાતો તમે ક્યાંથી લઈ આવ્યા ?