SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - २ उक्तभेदेष्विति । मलनायैव = विनाशनिमित्तमेव । तद्धि भवोपायोत्कटेच्छया स्यात् । सा च न मुक्त्यद्वेष इति मुक्त्युपायमलनाभावप्रयोजकोऽयम् ।। १ ।। विषान्नतृप्तिसदृशं तद्यतो व्रतदुर्ग्रहः । उक्तः शास्त्रेषु शस्त्राग्नि-व्यालदुर्ग्रहसन्निभः ।।२।। विषेति । तद् = मुक्त्युपायमलनं विषान्नतृप्तिसदृशं, आपाततः सुखाभासहेतुत्वेऽपि बहुतरदुःखानुबन्धित्वात् । ટીકાર્થ મલન–વિનાશનું કારણ. આ મલન ભવના ઉપાયોની ઉત્કટ ઇચ્છાથી થાય છે. મુક્તિઅષ આવવાપર એ ઉત્કટ ઇચ્છા ટકી શકતી નથી. તેથી મુક્તિઅદ્વેષ એ મુક્તિઉપાયના મલનના અભાવનો પ્રયોજક છે. વિવેચનઃ પૂર્વબત્રીશીમાં ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તિઅદ્વેષ. આમ ચાર પ્રકાર યોગપૂર્વસેવાના જણાવ્યા. આમાંના પ્રથમ ત્રણ આચાર ક્રિયા રૂપ છે, જ્યારે ચોથો ભાવરૂપ છે. માટે ચોથો વધારે મહત્ત્વનો છે. એ કઈ રીતે મહત્ત્વનો છે ? એ આ બત્રીશીમાં દર્શાવવાનું છે. જે સાધના મોક્ષના ઉપાયભૂત છે એને જ, દિલમાં રમી રહેલી કારમી વિષયેચ્છાના કારણે, વિષયસુખના ઉપાય તરીકે તીવ્ર ઇચ્છાપૂર્વક સેવવામાં આવે તો એ મોક્ષના ઉપાયોનું મિલન થાય છે. આ મલન એટલે વિનાશનું કારણ. એમાં મોક્ષના ઉપાયોનો વિનાશ બે રીતે સમજવો જોઈએ. (૧) બાહ્યદૃષ્ટિએ એ ઉપાયો અસ્તિત્વમાં હોવા છતાં, મોક્ષના સાક્ષાત્ કે પરંપરાએ અંશમાત્ર પણ સાધક ન રહેવા એ એનો મોક્ષના ઉપાય તરીકે વિનાશ.. અને પછી તો (૨) એ બાહ્યદૃષ્ટિએ પણ અસ્તિત્વમાં ન રહેવા એ સ્વરૂપે જ વિનાશ. ભવોપાયની ઉત્કટ ઇચ્છાથી જ = તીવ્ર ભાવાભિવંગથી જ આ વિનાશ થાય છે. પણ મુક્તિઅદ્વેષ પ્રગટવા પર આ ઉત્કટ ઇચ્છા રહેતી નથી. અને તેથી મુક્તિના ઉપાયનું મલન થતું નથી. એટલે આ મલન ન થવામાં મુક્તિઅદ્વેષ એ પ્રયોજક છે= પરંપરાએ કારણ છે. / ૧ / ગાથાર્થ તે (=મલન) વિષભોજનથી થતી તૃપ્તિ જેવું છે, કારણ કે વ્રતનો દુર્રહ શાસ્ત્રોમાં શસ્ત્ર, અગ્નિ અને સાપના દુર્રહ જેવો કહેવાયો છે. ટીકાર્થ તે = મુક્તિઉપાયનું મલન વિષાનૂતૃપ્તિસદશ છે, કારણ કે તત્કાળ સુખાભાસનું કારણ હોવા છતાં પછી ઘણા દુઃખને લાવે છે. (આવું કેમ કહો છો ? એટલા માટે કે) યોગના સ્વરૂપનું નિરૂપણ કરનારા આવું સાશ્ય એમાં ઘટી શકતું જ નથી. તથા ત્રીજી ગાથામાં વિપાકવિરસ એવી રૈવેયકપ્રાપ્તિની વાત કરી છે. એ પણ આ જ સૂચવે છે કે અહીં એવી પ્રવૃત્તિની વાત છે જે સ્વરૂપે અવિરસ એવી દેવલોક પ્રાપ્તિ કરાવે ને કારમીભોગેચ્છા (મુક્તિદ્વેષ) એને વિપાકે વિરસ બનાવે. શું ભોગપ્રવૃત્તિ દેવલોકપ્રાપ્તિ કરાવે ? માટે અહીં ભોગપ્રવૃત્તિની વાત નથી, સંયમપાલનાદિની જ વાત છે એ અસંધિપણે સ્વીકારવું. અને તેથી જ શબ્દશઃ વિવેચનકારે ભાવાર્થમાં તેથી જેઓને ભવના ઉપાયમાં ગાઢ રાગ છે, તે જીવો ભવથી વિરુદ્ધ એવા મોક્ષના ઉપાયને અભિમુખ પણ થતા નથી. તેનાથી દૂર દૂર રહે છે. વગેરે જે લખ્યું છે તે પણ ગાઢ અજ્ઞાનને જ સૂચવે છે ને? રૈવેયકપ્રાપ્તિ જેનાથી થાય એવા સંયમપાલનાદિની વાત ખુદ ગ્રન્થકાર જણાવે છે ત્યારે તેનાથી દૂર દૂર રહેવાની વાતનો તુક્કો મનમાં ઊઠે જ શી રીતે ?
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy