________________
द्वात्रिंशद्वात्रिंशिका साधुः श्राद्धश्च संविग्नपक्षी शिवपथास्त्रयः। शेषा भवपथा गेहिद्रव्यलिंगिकुलिंगिनः ।।२९ ।। गुणी च गुणरागी च गुणद्वेषी च साधुषु। श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाधमबुद्धयः ।।३०।। ते च चारित्रसम्यक्त्वमिथ्यादर्शनभूमयः। अतो द्वयोः प्रकृत्यैव वर्तितव्यं यथाबलम् ।।३१।। इत्थं मार्गस्थिताचारमनुसृत्य प्रवृत्तया। मार्गदृष्ट्यैव लभ्यन्ते परमानन्दसंपदः ।।३२।।
साधुरित्याद्यारभ्य चतुःश्लोकी सुगमाः।।२९।।३०।।३१।।३२।। સંસારના માર્ગ છે. [ઉપદેશમાલા (૫૨૦) માં કહ્યું છે કે “સેલા મિટ્ટી િિર્તિનિર્ધાતિકોટિંગદ તિજ ૨ મુવપદી, સંસારપદી તદા તિજાપિ૨વો “બાકીના ગૃહીલિંગ, કુલિંગ અને દ્રવ્યલિંગથી (મનાયેલ ગુરુ) એ મિથ્યાદૃષ્ટિ છે. જેમાં ત્રણ મોક્ષમાર્ગ છે એમ ત્રણ સંસાર માર્ગ જાણવા.”]રા જેઓ સ્વયં ગુણી છે (સર્વવિરત અને દેશવિરત) તેઓ ઉત્કૃષ્ટબુદ્ધિવાળા છે, જેઓ ગુણોના રાગી છે (સંવિપાક્ષિક અને અવિરતસમ્યક્તી) તેઓ મધ્યમબુદ્ધિવાળા છે અને જેઓ સાધુઓ પર ગુણષી છે તેઓ અધમબુદ્ધિવાળા છે આ વાત શાસ્ત્રોમાં વ્યક્તપણે સાંભળવા મળે છે. [અથવા સાધુપણું લીધેલા સાધુઓમાં જેઓ ગુણી છે (સંયમગુણથી યુક્ત છે) તેઓ (સુસાધુ) ઉત્કૃષ્ટબુદ્ધિવાળા છે, જેઓ ગુણરાગી છે (સ્વયં સંયમથી શિથિલ બન્યા છે, પણ સંયમગુણના રાગી છે) તેઓ (સંવિગ્નપાલિક) મધ્યમબુદ્ધિવાળા છે અને જેઓ ગુણદ્વેષી છે (સ્વયં સંયમથી શિથિલ થયા છે અને સાચા સંયમમાર્ગરૂપ ગુણના દ્વેષી છે) તેઓ અધમબુદ્ધિવાળા છે.]ll૩૦ આવા ત્રણ પ્રકાર ચારિત્ર, સમ્યક્ત અને મિથ્યાત્વદર્શનની ભૂમિકા પર ઊભા છે. માટે શક્તિને અનુસરીને ગુણી અને ગુણરાગી એ બે પ્રકારમાં સ્વાભાવિક રીતે જ વર્તવું Il૩૧ી આ પ્રમાણે માર્ગસ્થિત આચારને અનુસરીને પ્રવૃત્ત થયેલી માર્ગદૃષ્ટિથી જ પરમાનન્દ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે.૩૨
માર્ગદ્વાર્કિંશિકા અંગે કેટલીક વિચારણા શ્રતોક્ત માર્ગમાં (શ્રુતવ્યવહારમાં) ફેરફાર કરીને જે આચરણો પ્રવર્તે છે તેની આ બત્રીશીમાં વિચારણા કરી છે. મુખ્યતયા એના ૪ પ્રકારો છે. (૧) જીતવ્યવહાર (૨) શિથિલાચાર (૩) સ્વછંદવિહાર અને (૪) સંવિપક્ષ. આમાંનો પ્રથમ તત્ત્વજ્ઞાનથી થયો હોય છે, બીજો અને ત્રીજો મોહથી થયો હોય છે જ્યારે ચોથો વીર્યાન્તરાયના ઉદયથી થયો હોય છે. (બીજામાં પણ વીર્યાન્તરાયનો ઉદય હોય છે પણ મોહનો ઉદય મુખ્ય હોય છે. ત્રીજામાં બાહ્ય દૃષ્ટિએ વધુ કઠોર જેવા દેખાતા આચાર પણ હોય, એટલે વીર્યાન્તરાયનો ઉદય એ અપેક્ષાએ ન પણ હોય.).
પ્રથમમાં દ્રવ્યથી શાસ્ત્રોક્તમાર્ગ કરતાં ભેદ છે પણ ભાવથી નથી માટે એ નિશ્ચયથી તાત્વિક માર્ગ રૂપ જ છે. બીજામાં દ્રવ્યથી અને ભાવથી ઉભયથી માર્ગભેદ થયેલ છે માટે એ માર્ગ રૂપ નથી. ત્રીજામાં ગુરુકુલવાસનો ત્યાગ તેમજ અગીતાર્થોનો ગીતાર્થ અનિશ્રિત વિહાર એ અંશમાં માર્ગ ભેદ હોવા છતાં