________________
सम्बोधसप्ततिः
ગાથા-૫૫
પ્રમાદના પાંચ પ્રકાર
३०७
एते: पूर्वोद्दिष्टाः पञ्चापि प्रमादाः सेविताः सन्तो 'जीव' आत्मानं 'संसारे' भवे पातयन्ति, संसारसागरतीरप्राप्ता अपि जीवाः प्रमादवशगाः सन्तः पुनर्भववृद्धिं विदधतीति भावः । तत्र प्रमदनं प्रमादः प्रमत्तता सदुपयोगाभाव इत्यर्थः । मद्यादीनां पञ्चानामपि प्रमादकारणत्वा-त्प्रमादत्वमवसेयम् । अन्यैरप्युक्तम्–“केवलं रिपुरनादिमानयं सर्वदैव सहचारितामितः । यः प्रमाद इति विश्रुतः परामस्य वित्तशठतामकुण्ठिताम् ॥१॥ यत् करोति विकथाः प्रथावतीर्यत् खलेषु विषयेषु तृप्यति । सुप्रमत्त इव यद्विचेष्टते, यन्न वेत्ति गुणदोषयोभिदाम् ॥२॥ સંબોધોપનિષદ્
-
આ પૂર્વે કહેલાં પાંચે પ્રમાદોનું સેવન કરાય તો એ જીવને સંસારમાં પાડે છે. અર્થાત્ સંસારસાગરના કિનારાને પામેલા જીવો પણ જો પ્રમાદને વશ થાય, તો તેઓ ફરી સંસારવૃદ્ધિ કરે છે. તેમાં પ્રમદન = પ્રમાદ = પ્રમત્તતા = શુભ ઉપયોગનો અભાવ. મદિરા વગેરે પાંચે ય પ્રમાદના કારણ હોવાથી તેમાં પ્રમાદપણું છે એમ સમજવું.
અન્યોએ પણ કહ્યું છે કે - અનાદિકાલીન આ જ એક શત્રુ છે, કે જે હંમેશા સહચારી બની રહે છે. જે ‘પ્રમાદ’ તરીકે પ્રસિદ્ધ છે અને જે પરમ અકુંઠિત એવી ધનસંબંધી શઠતાને (ઉત્પન્ન કરે છે ?) ।।૧। આ લોક વિકથાઓને પ્રસિદ્ધિવાળી કરે છે, દુર્જન એવા વિષયોમાં સંતુષ્ટ થાય છે,