________________
श्रामण्योपनिषद्
ઢાળ-૫ શક્તિ સ્વભાવે તપ કહ્યો રે, પંચમ મુનિવર ધર્મ, પંચમગતિને પામવા રે, અંગ અછે શુભ મર્મ;
સોભાગી મુનિવર ! તપકીજે અનિદાન, એ તો સમતા સાધન (ધ્યાન-સ્થાન). સોભાગી... ૧ ષડવિધ બાહિર તે કહ્યો રે, અત્યંતર પટ ભેદ; અનાશંસ અગિલાણતા રે, નવિ પામે મન ખેદ.
સોભાગી... ૨ અણસણ ને ઉણોદરી રે, વૃત્તિ સંક્ષેપ રસ ત્યાગ; કાયકિલેશ સંલીનતા રે, બહિરતપ ષટવિધ ભાગ.
સોભાગી૦ ૩ અશન ત્યાગ અનશન કલ્યો રે, તેહ દુભેદ જાણ; ઈવર યાવત્ કથિક છે રે, તનુ બહુ સમય પ્રમાણ.
સોભાગી૦ ૪ ઉણોદરી ત્રણ ભેદની રે, ઉપકરણ અશન પાન; * ક્રોધાદિકના ત્યાગથી રે, ભાવ ઉણોદરી માન.
સોભાગી૦ ૫ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી રે, વૃત્તિસંક્ષેપ એ ચાર; વિગયાદિક રસત્યાગથી રે, ભાખ્યા અનેક પ્રકાર.
સોભાગી૦ ૬