________________
પૂજ્યપાદ ન્યાયવિશારદ પ્રગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મહારાજાએ આ ગ્રંથ ઉપર વાચનાઓ આપી તથા વિશાળ વિવેચન રૂપ “ઉચ્ચ પ્રકાશના પંથે” નામના ગ્રંથનું નિર્માણ કરેલ.
આ પ્રસંગે આવા મહાન વિવેચન શ્રીસંઘને ભેટ આપનાર પૂજ્યપાદ ગુરુદેવશ્રીનો ખૂબ ખૂબ ઉપકાર માનું છું. આ ગ્રંથનો ચિરસ્થાયી સંસ્કૃત ભાષામાં તાત્પર્યાનુવાદ કરેલ છે. આ તાત્પર્યાનુવાદના મૂલાધાર છે- મુનિ શ્રી જિનપ્રેમવિ. અને અનન્ય સહયોગી છે મુનિ શ્રી ભાવપ્રેમવિ. તથા મુનિ શ્રી રાજપ્રેમવિ.
ભરત ગ્રાફિક્સે પરિશ્રમથી ટાઈપસેટીંગ-મુદ્રણાદિ કાર્ય કરેલ છે, જે અનુમોદનીય છે.
સંસ્કૃત જાણનારા શ્રમણ-શ્રમણીઓ આ ગ્રન્થના વાંચન-મનન દ્વારા મોક્ષમાર્ગની સાધનામાં વિશેષ પ્રગતિ કરે એ શુભેચ્છા સહ...
આ. વિજય હેમચંદ્રસૂરિ
મા.વદ ૧૦, ૨૦૬૮ પ્રેરણાતીર્થ, અમદાવાદ