________________
શ્લોક-૩૧ : આત્મહિત માટે યત્ન
इष्टोपदेश:
बहुप्रक्षेपाल्पनिष्क्रमादिक्रमेणेदम् । अन्यदाऽपि मोहनीयमाश्रित्य स्वोदयोपचय उपपन्न एव यदुक्तम् - जे वेयइ ते बंधइ इति । न च विशेषापेक्षमिदं शेषेष्वसिद्धमिति वाच्यम्, मोहनीयस्य कर्मराजत्वेन राज्ञि राज्यव्यपदेशस्य न्यायानपेतत्वात् । इत्थञ्च कर्मणि स्वहिताबन्धिता सिद्धैव ।
किञ्च जीवोऽपि व्यपगतानादिभवभावनोऽवगतविविक्ता
९४
—
પોતાના ઉદયમાં પોતાનો ઉપચય ઘટે જ છે. તેથી જ કહ્યું છે કે જેને વેદે છે, તે (હાસ્યમોહનીયાદિ કર્મ) બાંધે છે.
શંકા - પણ એ વિધાન તો વિશેષની અપેક્ષાએ છે. માટે બાકીના કર્મોની અપેક્ષાએ તો એ વાત (પોતાના ઉદયમાં પોતાનો ઉપચય કરવાની વાત) અસિદ્ધ જ રહી ને ?
સમાધાન - ના, કારણ કે મોહનીય એ કર્મોનો રાજા છે. રાજામાં રાજ્યનો વ્યપદેશ કરવો એ ન્યાયસંગત છે. માટે મોહનીયમાં ઘટે એ વાત પણ સામાન્ય કર્મના વ્યપદેશથી કહેવાય તેમાં દોષ નથી. આ રીતે કર્મમાં પોતાનું હિત કરવાની પ્રવૃત્તિ સિદ્ધ જ છે.
વળી જીવ પણ, જેને અનાદિ કાળની સંસારભાવના (સંસાર જ ઉપાદેય લાગે તેવો ભાવ) જતી રહી છે, જેણે