________________
૮૮ શ્લોક-૨૯ : મૃત્યુ આદિથી રહિત આત્મા રૂપવેશ:
किञ्च नाहं बाल इत्यादि । अत्र हेतुमाह - पुद्गल एवैतानि मरणादीनि यतो भवन्ति । न च त्वमपि पुद्गलान्तभूतत्वेन तद्गोचर इति वाच्यम्, भिन्नद्रव्यत्वात्, एतदपि गुणवैधात् । नन्वस्तु गुणवैधर्म्य माऽस्तु द्रव्यभेदः, को दोष इति चेत् ? वसुन्धराव्योमाभेदप्रसङ्ग इति गृहाण, तयोरपि શાથી? અર્થાત્ વ્યથાનું કારણ જ ન હોવાથી મને કોઈ રીતે વ્યથા નથી.
વળી હું બાળ નથી ઈત્યાદિ. એનું કારણ કહે છે કે જેથી આ મરણ વગેરે પુલમાં જ થાય છે.
શંકા - પણ તમે ય પુદ્ગલમાં જ અંતર્ભત છો. તેથી મરણ વગેરેના વિષય છો જ ને ?
સમાધાન - ના, હું પુદ્ગલથી જુદો છું. કારણ કે પુદ્ગલદ્રવ્યથી મારું આત્મદ્રવ્ય ભિન્ન છે. એનું કારણ પણ એ છે કે પુદ્ગલના ગુણો અને મારા આત્માના ગુણોમાં વિસદશતા છે.
શંકા - ગુણોની વિસદશતા ભલે હોય, પણ દ્રવ્યમાં ભિન્નતા ન હોય, તો શું વાંધો છો ?
સમાધાન - વાંધો એ કે તો પછી ધરતી અને આકાશ એ બન્ને વચ્ચે ય ભેદ ન રહેવાની આપત્તિ આવે. કારણ કે ધરતી અને આકાશ પણ એ જ કારણથી જુદા છે કે