SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૩૫ કરે તેનું દષ્ટાંત આપીને કોઈ ઉપદેશક યોગ્ય જીવને બોધ કરાવે કે ઉપદેશક પાસેથી ઉચિત યોગમાર્ગને જાણવા યત્ન કરવો જોઈએ અને જે આચરણા પોતે તીવ્ર સંવેગપૂર્વક કરી શકે તેવી આચરણાને જ કરવા માટે યત્ન કરવો જોઈએ, પરંતુ શક્તિનો વિચાર કર્યા વગર માત્ર બાહ્ય આચરણા થાય અને અંતરંગ ઉચિત ભાવો ન થાય તેવી સંવેગરહિત આચરણા કરવી જોઈએ નહિ. આ પ્રકારે પૃચ્છાના લોકોત્તર દૃષ્ટાંત દ્વારા યોગ્ય જીવને માર્ગાનુસારી પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ થાય તે રીતે જે મહાત્મા સમજાવે તે પૃચ્છારૂપ ઔપમ્પસત્યભાષા કહેવાય. દ્રવ્યાનુયોગ આશ્રયી પૃચ્છાદેશ : વળી કોઈ મહાત્મા યોગ્ય જીવને જોઈને દ્રવ્યાનુયોગનું અવલંબન લઈને વિચારે કે આ યોગ્ય પણ જીવ વિપરીત બોધને કારણે આત્માનું હિત સાધી શકતો નથી એ વખતે “આત્મા નથી” એ પ્રકારે બોલનાર નાસ્તિકને તે મહાત્મા પૃચ્છા કરે છે, કેમ આત્મા નથી ? ત્યારે આત્માને નહિ માનનાર તે નાસ્તિક કહે કે દેખાતો નથી માટે આત્મા નથી તે વખતે તત્ત્વને જોવામાં કંઈક માર્ગાનુસારી બુદ્ધિ છે તેવા શ્રોતાને મહાત્મા કહે કે આત્મા નથી એ પ્રકારની વિવફા ન હોય તો વિશિષ્ટ શબ્દની ઉત્પત્તિ થઈ શકે નહિ અને આત્મા નથી એવી વિવક્ષા તને થયેલ છે તેથી જ આત્મા નથી એ પ્રકારનો વિશિષ્ટ શબ્દપ્રયોગ તું કરે છે અને વિશિષ્ટ શબ્દપ્રયોગ કરવાને અનુકૂળ વિવક્ષાવાળો એવો જ આત્મા છે એમ સિદ્ધ થાય છે માટે તારા વચનપ્રયોગથી જ આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. આ પ્રકારે દ્રવ્યાનુયોગને આશ્રયીને કોઈક નાસ્તિકને પૃચ્છા કરવામાં આવે એ પણ ઔપમ્પસત્યભાષા છે; કેમ કે એ પૃચ્છા દ્વારા જ ઔપમેય એવા આત્માની સિદ્ધિ કરાય છે. જેથી યોગ્ય જીવની કલ્યાણ અર્થે પ્રવૃત્તિ થાય છે માટે યોગ્ય જીવના કલ્યાણ . અર્થે પૃચ્છારૂપ ઔપમ્પસત્યભાષાનો પ્રયોગ મહાત્માઓ કરે છે. જ્ઞા તદેશ ઉપમાનના ચોથા ભેદરૂપ નિશ્રાવચનને કહે છે – ટીકા : निश्रावचनं च तत् यद् एकं कञ्चनं निश्राभूतं कृत्वा विचित्रप्रतिपादनम्, या द्रुमपत्रकाध्ययने भगवता गौतमनिश्रयाऽन्येऽप्यनुशासिताः, एवमसहना अपि शिष्या मार्दवसम्पन्नमेकं शिष्यं निश्राभूतं कृत्वाऽनुशासनीयाः, उदाहरणदेशता चास्य लेशत एव, तथानुशासनात्, एवं तावच्चरणकरणानुयोगमधिकृत्योक्तम् द्रव्यानुयोगमधिकृत्य त्वन्यापदेशेन लोकायतो वक्तव्यः, अहो! धिक्कष्टं नास्ति येषामात्मा, तदभावे दानादिक्रियावैफल्यात्, न च तद्वैफल्यम्, सत्त्ववैचित्र्यानुपपत्तेरित्यादि ।४। उक्तः सभेद ડાદરપટ્ટેશ: Jારા ટીકાર્ય : નિશ્રાવણ ૨ .... ૩ઃાદરવેશ: અને વિશ્રાવચત તે છે જે કોઈ એકને નિશ્રા કરીને વિચિત્ર પ્રતિપાદન કરાય, જે પ્રમાણે દ્રમપત્રક અધ્યયનમાં ભગવાન વડે ગૌતમસ્વામીને નિશ્રા કરીને અન્ય
SR No.022031
Book TitleBhasha Rahasya Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy