SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ પ્રવચનસારોદ્ધાર તે પછી તેમની પ્રથમ કિટ્ટી દલિકને દ્વિતીય સ્થિતિગતમાંથી ખેંચી, પ્રથમ સ્થિતિરૂપે કરી, અંતમુહૂર્ત કાળ સુધી ભગવે છે. અને સંજવલન માયાના બંધ, ઉદય, ઉદીરણાને વિછેર થયા પછી તેના દલિકને સમય ન્યૂન બે આવલિકા જેટલા કાળ પ્રમાણ ગુણસંક્રમવડે લેભમાં સર્વ સંક્રમાવે છે. અને સંજવલન લેભનું પ્રથમ કિટ્ટીરૂપ દલિક જે પ્રથમ સ્થિતિ કરી ભેગવતાં જે સમયાધિક આવલિકા કાળ જેટલું બાકી રહે તે પછી લેભનું બીજું કિટ્ટીદલ દ્વિતીય સ્થિતિગતમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિરૂપ કરી ભેગવે છે. અને તેને ભોગવતા તૃતીય કિટ્ટી દલિકને લઈ, સૂમકિટ્ટીઓ ત્યાંસુધી કરે કે જ્યાં સુધીમાં દ્વિતીય કિટ્ટી દલિકાનું પ્રથમ સ્થિતિ કરેલ દલિત સમયાધિક એક આવલિકા કાળ જેટલું બાકી રહે. તે જ સમયે સંજવલન લોભને બંધ વિચ્છેદ થાય છે. અને બાદર કષાયના ઉદય અને ઉદીરણાને વિરછેદ તથા અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કાળને યુગપતું એટલે એકી સાથે વિચ્છેદ થાય છે. - ત્યારબાદ સૂક્ષમ કિટ્ટી દલિકને દ્વિતીય સ્થિતિમાંથી ખેંચીને, પ્રથમ સ્થિતિરૂપ કરે છે. અને ભગવે છે. તે વખતે આ જીવ સૂક્ષમ સંપરાથી કહેવાય છે. પૂર્વોક્ત તૃતીય કિટ્ટીની બાકી રહેલ બધી આવલિકાઓને ભેગવાતી બાવન પ્રકૃતિએમાં રિતબુકસંક્રમ વડે સંક્રમાવે છે. પહેલી અને બીજી કિટ્ટીઓના દલિકે યથાનુક્રમે બીજી અને ત્રીજી કિટ્ટીઓમાં ભેગવાય છે. અને સૂથમ સંપરાયી લેભની સૂકમ કિટ્ટીએને ભેગવતે-ભગવતે સૂક્ષમ કિટ્ટીદલિકને અને સમયપૂન બે આવલિકા કાળમાં બાંધેલ દલિકને પ્રતિસમયે સ્થિતિઘાત વગેરે દ્વારા ત્યાં સુધી ખપાવે કે જ્યાં સુધીમાં સૂમસંપરાય (ગુણસ્થાનક) કાળના સંખ્યાતા ભાગો વીતી જઈ, એક ભાગ બાકી. રહે, ત્યારપછી તે સંખ્યાત ભાગમાં સંજવલન લેભને સર્વ અપવર્તન કરણવડે અપવર્તી, સૂકમસં૫રાયઅદ્ધાના સમાન કરે છે અને તે સૂમસં૫રાયઅદ્ધા હજુ પણ અંતમુહૂર્ત પ્રમાણુની રહે, ત્યારથી લઈ મેહના સ્થિતિઘાત વગેરે બંધ થાય છે પણ બીજા કર્મોના તે ચાલુ જ હોય છે. ' લેભની અપવર્તિત કરેલ સ્થિતિને ઉદય, ઉદીરણવડે ત્યાં સુધી ભગવે, કે જ્યારે તે સ્થિતિ સમયાધિક એક આવલિકા જેટલી બાકી રહે ત્યારે ઉદીરણ અટકી જાય છે. ત્યારપછીની સ્થિતિને છેલ્લા સમય સુધી ફક્ત ઉદય વડે ભેળવીને પૂરી કરે અને તેના ‘જ છેલ્લા સમયે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર, અંતરાય પાંચ, યશ તથા ઉચ્ચગોત્ર ઓ સેળ પ્રકૃતિને બંધ વિચ્છેદ થાય છે. તથા મેહનીયને ઉદય અને સત્તાનો વિચ્છેદ, થાય છે. તેથી આ જીવ ક્ષીણકષાયી કહેવાય છે. અને તેના બાકીના કર્મોના સ્થિતિઘાત વગેરે આગળની જે ક્ષીણકષાય અદ્ધાના સંખ્યાતભાગે વીતે. ત્યાં સુધી ચાલુ રહે છે. અને એક સંખ્યાત ભાગ બાકી રહે છે. તેમાં જ્ઞાનાવરણ પાંચ, અંતરાય પાંચ
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy