________________
१६२
दुःषमगण्डिका હશે, ઉત્કૃષ્ટ છઠ્ઠ તપ કરશે, તથા બાર વર્ષની વયે તે દીક્ષા ગ્રહણ કરશે. (૮૧) अठुमभत्तस्स अंते, सुहमे सारए विमाणम्मि । देवो तओ अ चविउं, दुप्पसहो सिज्झिही भरहे ॥८२॥
અર્થ : અંત સમયે તે અઠ્ઠમ તપ કરી સુધર્મા નામના પ્રથમ દેવલોકમાં સારદ નામના વિમાનમાં દેવ થશે. ત્યાંથી ચવી તે દુષ્યસભસૂરિનો જીવ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચારિત્ર પાળી સિદ્ધિ પદને પામશે. (૮૨)
પાંચમા આરાના અંતના ભાવ समत्ते जिणधम्मे, मज्झन्ने नासई य निवधम्मो । अग्गी वि पच्छिमस्सन्ने, दुसमाए अंतदेसंमि ॥८३॥
અર્થ : દુષમા નામના પાંચમા આરાને અંતે પહેલે પહોરે જિનધર્મ સમાપ્ત થશે, મધ્યાન્હ (બીજા પહોરે) રાજધર્મ નાશ પામશે એટલે રાજા અને મંત્રી વીજળી પડવાથી મૃત્યુ પામશે, પાછલે (ત્રીજે) પહોરે અગ્નિ પણ નાશ પામશે. દુષ્યસભ આચાર્ય, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે ઉપાશ્રયમાં એક સાથે મૃત્યુ પામશે.) (૮૩)