SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૧૬ દ૬ ૨ જાનાં ઈલાવમાંથી મળી આવેલાં તામ્રપત્રો | ( શક) સં. ૧૭ જ્યેષ્ઠ વદિ અમાવાસ્યા (ઇ. સ. ૪૫-૬) દ૬ ૨ જાનું લાવનું દાનપત્ર પ્રથમ પ્રોફેસર આર. જી. ભાંડારકરે જ છે. . ર. એ. સો. વો. ૧૦ પ. ૧૯ મે પ્રસિદ્ધ કર્યું હતું. બેબે ઍચ ઓફ રોયલ એશિયાટિક સેસાયટીની માલિકીનાં મૂળ પતરાંઓ ઉપરથી, લીગ્રાફ સાથે, તે હું ફરીથી પ્રસિદ્ધ કરું છું. તે ભરૂચ ડિસ્ટ્રિકટમાં ઈલાવ નજીક મળ્યાં હતાં. આમાં બે પતરાં છે. દરેક ૧૧” લાંબું અને ૬ ” પહેલું છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહેજ જાડા કરેલા છે, અને લેખ આખે સુરક્ષિત છે. બે કડીઓ માટે કાણું છે, પરંતુ જ્યારે પતરાં મને મળ્યાં ત્યારે ફક્ત ડાબી બાજુની કડી કાપ્યા વગરની રહી હતી. તે લગભગ રૂ“જાડી અને વલભીની કડી જેવી સાધારણ ગેળ છે. તેના ઉપરની મુદ્રા એકંદરે ગોળ છે. તેનો વ્યાસ આશરે ૧ ” અથવા ૧” ને છે. તેની ઉપર ઉપસેલી બિંબાકાર સપાટી પર કંઈક ચિત્રામણ છે. તે કદાચ પક્ષી રૂપમાં ગરૂડની આકૃતિ હશે. તેની નીચે લીગ્રાફ કરતાં મૂળમાં વધારે સહેલાઈથી વાંચી શકાય તેવા અક્ષરોમાં “શ્રી () મ” લેખ છે. આઘોપાંત ભાષા સંસ્કૃત છે. અને છેક ૧૩ મી પંક્તિ સુધી લેખ ઉમેટાનાં દાનપત્રના લેખ સાથે લગભગ અક્ષરશઃ મળતા આવે છે. વળી આ બને દાનપત્રાની પં. ૧ થી ૬ સુધીનું દ૬ ૧ લાનું વર્ણન ખેડાનાં બે દાનપત્રની ૫. ૨૫ થી. ૩૧ સુધીનાં દદુ ર જાનાં વર્ણનમાંથી શબ્દ શબ્દ લીધેલું છે. લેખ દ૬ ૨ જા ઉર્ફે પ્રશાંતરાગના સમયને છે. તેમાં તિથિ શકે ૪૧૭ (ઈ. સ. ૪૯પ-૬) ના જ્યેષ્ઠ અમાવાસ્યાને દિવસે સૂર્યગ્રહણ સમયની છે. તે દિવસે જનરલ કનીગહામની સૂચનાનુસાર બુધવાર તા. ૮ મી જુન ૪૯પ-ઈ હતી તે દિવસે સૂર્યગ્રહણ પણું હતું. પરંતુ તે ગ્રહણ પારિસમાં સાંજના ૬-૩૦ વાગે થયું હતું. એટલે ગુજરાતમાં તે રાત્રે લગભગ ૧૧ વાગે થયું હતું અને દેખાય એવું નહતું. અર્થાત આ ગ્રહણ હિંદુ ખગોળવેત્તાઓ ધ્યાનમાં ન લે તેવું હતું. પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી, જેણે આ દાનપત્રના ખરાપણું વિરૂદ્ધ આગળ પા. ૭૨ થી ૭૪ માં ટીકા કરેલી છે અને જે ધ્યાનમાં રાખવા લાયક છે તે એમ ધારવા પ્રેરાય છે કે ગુર્જરનાં દાનપત્રના ખરા સંવતના વર્ષ ૪૧૭ ના જ્યેષ્ઠ અમાવાસ્યાને દિવસે થયેલા સૂર્યગ્રહણની ખરી માહિતી આ ખેટે લેખ બનાવી કાઢનારે મેળવી હશે, અને તેના ખરા સંવતની માહિતી નહીં હોવાથી તેણે વર્ષને શકના સંવત્ તરીકે જણાવ્યું. આ મત પ્રમાણે જનરલ કેનીંગહામે કરેલી ગણત્રીનું પરિણામ આગળ પાને ૭૭ માં આપ્યું છે. * ભરૂકચ્છ અથવા ભરૂચના દરવાજા પાસે વિજયી છાવણીમાંથી આ દાનપત્ર અપાયું છે, અને અને દાનપત્રમાં અકુલેશ્વરના “ વિવા’ માં આવેલાં રાધમ ગામને ઉલેખ છે. અકુલેશ્વર એ નં. ૧૩૯૯ અને ૧૪૦ના દાનપત્રોનાં અકરેશ્વરનું, હાલનાં અંકલેશ્વર અથવા અંકલેશ્વરને બહુ જ મળતું બીજું નામ હશે. આપેલાં ગામની પૂર્વે વારણેરા ગામ,જેને પ્રેફેસર ભાંડારકર ઈલાવની ઈશાન કણમાં આશેર ૪ મૈલ ઉપર અને અંકલેશ્વરની અગ્નિ કેણમાં આશરે ૮ મૈતા ઉપર આવેલા હાલના વાલનેર' તરીકે ઓળખાવે છે; દક્ષિણે વરડા નદી, જેને તે હાલની “ વંદ–ખરી” તરીકે ઓળખાવે છે; પશ્ચિમે શુંઠવડક અથવા શુંઠવાડક ગામ; અને ઉત્તરે અરલૌમ ગામ. શંવડક અગર શુંઠવાડ એ કદાચ સુરત ડિસ્ટ્રિકટમાં ‘ચીખલી તાલુકામાં આવેલું હાલનું “સંથવાડ' હશે. પરંતુ આ ગામના ચોક્કસ સ્થાન વિશે ખાત્રી કરવા માટે મારી પાસે નકશા નથી. રાઈધમ અને અરલમનાં ગામડાંઓનું નિશ્ચિત સ્થળ હજી જાણવાનું બાકી રહે છે. * ઈ. એ. વ. ૬૩ ૫. ૧૧૫ જે. એફ. ફલીટ ૧ શિવના અકુલ નામ ઉપરથી કદાચ પડયું હશે. ૨: પિતાના ચર્ચાપત્રના મથાળે છે. ભાડાકર એમ કહે છે કે આ દાનપત્ર સુરત કિષ્ટમાં ગામડાંમાંથી ઉપલબ્ધ હતું, પરંતુ તેના ચર્ચાપત્રના અંતમાં જે પ્રમાણે પોતે જ ખે છે તેમ ઈલાય કે કયાંથી આ દાનપત્ર મળી આવ્યું હતું તે ગામ ભરૂચ ડિસ્ટ્રિકટમાં આવેલું છે. માનના ખરા સંવતના વર્ષ સાનમાં રાખવા લાયક છેમારાપણા વિરૂદ્ધ આગામા For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy